Search This Blog

10/07/2016

ઍનકાઉન્ટર : 10-07-2016

* આજે સમય એવો છે કે, મનુષ્ય ઇચ્છે તો પણ ભલાઈ કરી શકે એમ નથી, તો પછી શું કરવું જોઇએ ?
- ઇચ્છવાનું બંધ કરી દો.

(દીપક એ. સોલંકી, અમદાવાદ)

   
* તમારી દ્રષ્ટિએ વિજય માલ્યા અને આસારામ બાપુ વચ્ચે શું ફેર છે ?

- બેમાંથી એકેય... પારકી સ્ત્રીને મા-બહેન ગણે છે ?

(નિધિ ગણાત્રા, પોરબંદર)

   
* શું મુહમ્મદ રફી જેવા મહાન ગાયક હવે આપણને ક્યારેય નહિ મળે ?

- બીજા મહાન ગાયકની હવે જરૂર ક્યાં છે ?

(શ્રેયસ જોશી, રાજકોટ)

   
* ભારત-પાકિસ્તાનના નેતાઓ મળે છે, ત્યારે તો દુશ્મની જેવું કાંઈ લાગતું નથી...!

- 'નથી મળતા', ત્યારે ય નથી લાગતું.

(એ.રહેમાન બોગલ, ગોધરા)

   
* લગ્ન પહેલા 'પીવા' બાબતે પૂછાય, તો શું કરવું ?

- પીવાથી નુકસાન થાય છે અને આવા સવાલો પૂછવા પડે છે !

(દીપમાલા મોરે, વડોદરા)

   
* શું આપ કોઈના પ્રેમમાં પડયા છો ?

- હજી પંદરેક વર્ષ ચાલુ એવો છું.

(વિમલેશ જાની, ડાભલા-વિજાપુર)

   
* મને ઘણીવાર પ્રેમ થયો છે, પણ સામેવાળીને ક્યારે નહિ... શું કરવું ?

- સામેવાળીઓ બધી બોદી લાગે છે... આવો 'રસિક' માણસ આ ભાવમાં મળે છે તો ય કદર નથી ?

(રસિક વરસાન્કીયા, ગીંગાણી-જામજોધપુર)

   
* છોકરીઓ બધી દગાબાજ હોય છે. તમે શું માનો છો ?

- તમને દગો કરી ગઈ, એ બધીઓને વારાફરતી મળું, પછી ખબર પડે !

(આકાશ પી. પટેલ, વિસનગર)

   
* વ્યાજનો દર ઘટવાથી નિવૃત્ત કર્મચારીઓનું શું થશે ?

- બસ. લોકો નિવૃત્ત થવાની ખો ભૂલી જશે.

(ધવલ સોની, ગોધરા)

   
* સવાલો શક્ય હોય ત્યાં સુધી ગુજરાતીમાં જ પૂછવાનું કેમ કહો છો ?

- મારૂં ગુજરાતી પાકું થાય માટે.

(પ્રિયંકા ચૌધરી, મહેસાણા)

   
* મારા પતિ કહે છે, 'મૌકા મિલને પર હમ તુમ્હેં બતાયેંગે, હમ તુમ્હેં કિતના પ્યાર કરતે હૈ...' તો  આ મોકો ક્યારે આવશે ?

- બહુ ભલા માણસ લાગે છે. તપાસ કરી જુઓ, કેટલીને આવા મૌકા ઉદાર દિલે વહેંચવા માંગે છે !

(શ્રીમતી ઈશ્વરી એમ. માંકડ, જામનગર)

   
* વાણીસ્વાતંત્ર્યનો દુરૂપયોગ કરીને સસ્તી લોકપ્રિયતા મેળવનારાઓને તમે શું કહેશો ?

- અરવિંદ કેજરીવાલ

(ડેનિશ પટેલ જૂનાગઢ)

   
* કીડીને કણ, હાથીને મણ તો અશોક દવેને... ?

- બસ. એ હાથી મને આપી દો.

(મયૂરી અર્જુનભાઈ રાઠોડ, પોરબંદર)

   
* તમને ફિલ્મ 'નાયક'ની જેમ એક દિવસના મુખ્ય મંત્રી બનાવવામાં આવે તો ?

- તો મારો એક દિવસ ૧૮૨૫-દિવસનો થાય !

(મિતુલ એસ. ખેની, સુરત)

   
* લગ્ન પછી 'નૈયા ઝૂકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે બુઝાય ના...' આવું કેમ થતું હશે ?

- લગ્ન પછી ઝીરોનો બલ્બ વાપરવાનો ન હોય... મોટા ભડકાવાળો ગોળો વાપરવો.

(રૂચિ ભદે, મેરીએટા, જ્યોર્જીયા-અમેરિકા)

   
* મેડમ તુસાડઝના મ્યુઝીયમમાં મોદીનું પૂતળું મૂકાય, એમાં ઘણાના પેટમાં કેમ દુ:ખે છે ?

- પૂતળાંને બદલે મોદી પોતે ઊભા રહે એવી લાગણી હશે !

(નટવરલાલ જગાણીયા, સુરત)


* શું લાગે છે, આપણા ભારત દેશને કોણ બરબાદ કરી રહ્યું છે ?

- કોની મજાલ છે, આપણા દેશને આંગળી ય અડાડી શકે ?

(મધુકર મેહતા, વિસનગર)

   
* નારણપુરા ચાર રસ્તા પાસેથી રાત્રે ૧૨ પછી સ્કુટર પર નીકળવાનો કોઈ ઉપાય ખરો ? બહુ કૂતરાં હોય છે... !

- મારે એમાંના એકે ય સાથે ઘર કે થાંભલા જેવો સંબંધ નથી.

(ભરત પટેલ, અમદાવાદ)

   
* રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે શું માનો છો ?

- એ બંને ભાજપના સારા કાર્યકરો છે.

(નિસર્ગ એચ. પટેલ પાટણ)

   
* નામ તો આવી ગયું છાપામાં... હવે ફોટો છપાવવા શું કરવું ?

- બને એટલું પોલીસથી દૂર રહેવું.

(કૌશલ પંડયા, અમદાવાદ)

   
* ₹
૧૦૦/- આપો, તો જ સવાલ પૂછીએ...
- તમે વિધાનસભામાં વધારે શોભશો.

(વિક્રમ, જયમીન, વિનોદ પટેલ, ગોરડ)

   
* અમારે બે સાળીઓ છે. એકને અમે 'બચી ગયેલી' અને બીજીને 'રહી ગયેલી' સાળી કહીએ છીએ. તમારે કેમનું છે ?

- તમારી સાળીઓને જોયા પછી કહું.

(વિપીન એમ. ત્રિવેદી, મુંબઇ)

   
* અમારા સુરત વિશે શું માનવુ છે ?

- આપણા ભારત જેવું છે.

(આબિદ ગગન, સુરત)

   
* 'એનકાઉન્ટર'માં મહિને કેટલી કમાણી થાય ?

- ઇન્કમટેક્સ ભરવો પડતો નથી.

(મયૂરી એ. રાઠોડ પોરબંદર)

   
* ઉનાળામાં કેજરીવાલના મફલરનું શું થયું ?

- અમારે મન એની કિંમત એક મફલરથી વિશેષ કાંઈ નથી.

(કાજલ અને પૂજા ભાટીયા, રાજકોટ)

No comments: