૧. ડૉક્ટરો આપણા શ્વાસ ઘડીકમાં ઊંડા અને ઘડીમાં છોડવાનું કહે છે...
મતલબ ?
- કાયમ માટે છોડાઈ દેવાનું એમના જ હાથમાં હોય છે!
(ડૉ. સતીશ એમ. નાયક, વલસાડ)
૨. કન્યાના સંસ્કાર જોવા સારા કે એના ફાધરનું બેન્ક-બેલેન્સ?
- એનો આધાર તમે કઈ જ્ઞાતિમાં જન્મ લીધો છે, એની ઉપર
છે.
(કવિતા કપિલ સોતા, મુંબઈ)
૩. પોલીસ ગૂન્હેગારોના મોંઢે પડદો રાખીને શેને માટે ટીવી સમક્ષ બતાવે
છે?
- મોટા ભાગના કેસોમાં, દેખાવમાં
પોલીસ કરતા ગૂન્હેગારો વઘુ સજ્જન લાગતા હોય છે, માટે!
(ડૉ. પ્રદ્યુમ્ન ડી. વ્યાસ, અમદાવાદ)
૪. હાસ્યલેખકનું જીવન આનંદમય હોય છે કે કરૂણાભર્યું ?
- બીજો હાસ્યલેખક વઘુ સફળ થતો હોય તો કરૂણાભર્યું !
(ડી.એ. માંડવીયા, પોરબંદર)
૫. આપણા દેશમાં દેશને બદલે ધર્મને કેમ વઘુ મોટો ગણવામાં આવે છે?
- કારણ કે, આપણે કૂતરાં નથી. કૂતરો
જેનું ખાતો હોય, એને તો ન જ કરડે.
(અજય બારૈયા, વાદીપરા-કોટડા
સાંગાણી)
૬. એકતા કપૂરો તો સમજ્યા... ‘દૂરદર્શન’વાળા ય સાસુ-વહુની સીરિયલો પર કેમ ચઢી ગયા છે?
- હજી એવી જ બેવકૂફ સીરિયલો નિયમિત જોનારી બેવકૂફ સાસુ-વહુઓ ઘરેઘરે
મોજુદ છે, માટે.
(ડૉ. દિનેશ પાઠક, રાજકોટ)
૭. અન્ના હજારેની હવા નીકળી ગઈ... સુઉં કિયો છો ?
- આ માણસ ફ્રોડ છે, એવું આખા
દેશમાંથી સૌથી પહેલું આ કોલમમાં કહેવાયું હતું.
(નટવર પી. પ્રજાપતિ, શાપુર)
૮. ‘મૂંગી પત્ની ને બહેરો ગોરધન’, એ આજના યુગનું સર્વોત્તમ કપલ કહેવાય કે નહિ ?
- તમે બન્ને કોઈ સારા ડૉક્ટરને બતાવો જ!
(વિભૂત આર. જોશી, સુરત)
૯. ‘માનો તો ગંગા માતા, નહિ તો બહેતા પાની...’ તમે શું
માનો છો?
- દેશની તમામ નદીઓને પ્રજાએ ગંદીગોબરી કરી મૂકી છે... આ સાયન્સના
જમાનામાં શેની માતા-બાતા ? નદીઓમાં
નાહીં-ધોઇને સાલાઓ માંદા પડીને દેશને વધારે નુકસાન પહોંચાડે છે.. !
(નસીમા એફ. બારીયાવાલા, ગોધરા)
૧૦. આ ડીસેમ્બરમાં સહુએ ઉપર જવાનું ની જ છે, તો
અશોકજી... આપે આપની બેગ તૈયાર કરી લીધી ?
- હું પહેલા જોઈ લઈશ કે, બધા ગયા
કે નહિ... ! કોઈનું કાંઈ રહી જતું હો તો મેં ‘કુ...
લેતો આવું !’
(હોઝેફા બારીયાવાલા, ગોધરા)
૧૧. મુન્ની ઝંડુ બામ થઈ ગઈ હોય, તો દવાના
દરેક સ્ટોરમાંથી મળશે ખરી ?
- બધાના શરીરે વપરાયેલો બામ ચોપડીને તમારે શું કામ છે?
(કનુ જે. પટેલ, સંધાણા)
૧૨. શું સલમાનખાને હવે પરણી જવું જોઈએ? એની બા
નહિ ખીજાતા હોય?
- ખીજાવાનું તો જેની સાથે એ પરણવાનો હશે, એની બાએ
હોય... !
(સીમા એચ. ચૌહાણ, અમદાવાદ)
૧૩. પડોસીને પ્રેમ કરવાનો મતલબ એવો થોડો થાય કે, એની વિધવાને પ્રેમ કરવો ?
- સાચી વાત છે બેન તમારી. પ્રેમ કરવા માટે કોઈના વિધવા થવાની રાહો થોડી
જોવાય ? આ તો એક વાત થાય છે.
(મંજુલા પરમાર, ગાંધીનગર)
૧૪. પહેલાના રાજા-મહારાજાઓને અનેક પત્નીઓ હતી... આજે એવી સગવડો કેમ
નથી?
- ઘરની બહાર નીકળ્યા પછી, આજના
રાજાઓ અનેક ચક્ષુ-વિવાહો કરીને ખુશ થાય છે.
(દિગ્વિજયસિંહ ગોહિલ, જામનગર)
૧૫. નરદમ જુઠ્ઠું બોલવામાં પુરૂષો કરતા સ્ત્રીઓ વઘુ પાવરધી હોય છે...
સુઉં કિયો છો?
- જુઠ્ઠી સ્ત્રીઓ અકલ વગરની પણ હોય છે... પોતાના અનુભવો, સમજ અને બુદ્ધિને બદલે બીજાની બુદ્ધિ પર એમને વઘુ ભરોસો હોય છે.
(ગૌરી વી. કાચા, અમદાવાદ)
૧૬. બેસણું, સાદડી, બારમું-તેરમું, ઉઠમણું, પઘડી... આ બધાની સમજ આપશો ?
- બહુ નાની ઉંમરે તમને આવા સવાલો થવા માંડ્યા, નહિ ?
(નિમિષ કે. મહેતા, જૂનાગઢ)
૧૭. તમારા વાઈફ અને ડિમ્પલ કાપડીયા વચ્ચે કોઈ દોસ્તી-ફોસ્તી બંધાય
એવું નથી ?
- ડિમ્પુને ક્યાં ખબર છે કે, હું
પરણેલો છું... !
(હિરલ સવજાણી, જૂનાગઢ)
૧૮. સની દેઓલની આગામી ફિલ્મમાં એ તમને હીરોનો રોલ ઓફર કરે તો?
- સોરી... હાલમાં સ્ટીવન સ્પીલબર્ગ મારા ઘરના ધક્કા ખાઈ રહ્યા છે!
(આરતી સવજાણી, જૂનાગઢ)
૧૯. ‘મહાપુરૂષો’ હોય, તો ‘મહાસ્ત્રીઓ’ કેમ નહિ ?
- સોરી... આ પ્રશ્ન તમે ‘મહાબાળક’ને પૂછ્યો છે.
(અફરોઝબેન મીરાણી, મહુવા)
૨૦. મલ્લિકા શેરાવત સ્વયંવર યોજે, તો નંબર
લાગે?
- એને તમારી પાસે જ બોલાવી લો ને... ! ‘સ્વયંપત્ની
સ્વયંવર’ ગોઠવો.
(મુકેશ/ઝવેરભાઈ/દેવાભાઈ, ભાવનગર
જીલ્લા જેલ)
૨૧. ખેતઉત્પાદન વધારવા ખેડૂતોએ શું કરવું જોઈએ?
- બળદને ‘હળી’ વધારે કરવી જોઈએ... !
(ભરત એચ. કપાડા, ખીચા-ધારી)
૨૨. ડૉ. મનમોહનસિંઘ સવારને બદલે સાંજે ચાલવા કેમ જાય છે?
- જેવો માઈનો આદેશ!
(બમન પી. તાડીવાલા, વડોદરા)
૨૩. આજના યુવાનો મળે ત્યારે ‘જયશ્રી
કૃષ્ણ’ કે ‘જયશ્રીરામ’ને બદલે ‘હાય-હેલ્લો’ કેમ કરે છે?
- ‘હાય-હેલ્લો’ ‘જયશ્રી
કૃષ્ણ’નો અનુવાદ જ છે.
(ઉદય ખત્રી, ભાવનગર)
૨૪. ગોલ કર્યા બાદ ફૂટબોલના ખેલાડીઓ કૂદકા કેમ મારે છે ?
- ત્યાં પાણીના હોજમાં ના તરાય, માટે.
(આરતી દોશી, જૂનાગઢ)
૨૫. ખુદ રાજેશ ખન્ના કહેતો ગયો છે કે, ‘દિલ કો
દેખો, ચેહરા ન દેખો’... છતાં આપે
આપની વાઇફનું દિલ જોવાને બદલે, ડિમ્પલનો
ચેહરો જ કેમ જોયો ?
- જેનામાં જે જોવા જેવું લાગ્યું, એ મેં
જોયું... હવે પંખો ચાલુ કરૂં ?
(નાનાસાહેબ ઈંગળે, સુરત)
૨૬. આજકાલ યુવાનો પણ વૃદ્ધ કેમ દેખાઈ રહ્યા છે ?
- આપનો ફોટો મોકલશો.
(ચેતન રાજાણી, રાજકોટ)
૨૭. જીંદગી પણ એક શિક્ષક છે, પણ
શિક્ષકથી વઘુ સખ્ત કેમ છે?
- રોજ રાત્રે સૂતી વખતે ત્રિફળા લેવાથી બઘું ઠીક થઈ જશે.
(સુરેશ પી. મહેતા, વડોદરા)
No comments:
Post a Comment