* આપણા દેશનો ઉત્તમ
નાગરિક કોણ બની શકે ?
– ભારતીય તિરંગાને જોતા જ જે પ્રણામ કરે છે, એ !
(દીપક એમ.પંડયા, બિલિમોરા)
– ભારતીય તિરંગાને જોતા જ જે પ્રણામ કરે છે, એ !
(દીપક એમ.પંડયા, બિલિમોરા)
* હવે કેટલા વર્ષો પછી મોદીજી અનામત બંધ કરાવશે ?
– વૉટબૅન્ક યાદ આવશે પછી.
(ડૉ. દીપા પંડયા, અમદાવાદ)
* જે રીતે કેજરીવાલ ગુજરાતમાં પણ જાતિવાદ ઉશ્કેરે છે, એ જોયા પછી મારે એને જોરદાર લાફો મારવો છે. શું કરૂં ?
– એવા લાફા ય શું મારવાના, જે માર્યા પછી હાથ બગડે ? એવો હાથ પછી કોઇ મિલાવે ય નહિ !
(અંકુર મિસ્ત્રી, અજરાઇ-ગણદેવી)
* તમે મજાકીયા છો. કપિલ શર્માના શો માં આવો તો ચાર ચાંદ લાગી જાય !
– કપિલ બેસ્ટ છે. પણ પુરૂષો સ્ત્રીનો વેશ પહેરીને આવે, એની મને સૂગ ચઢે છે.
(રિયા પટેલ, હિમ્મતનગર)
* તમારે જીયો કાર્ડનું કાંઇ સૅટિંગ થયું ?
– મૂકેશભાઈ સાથે વાત ચાલે છે... મેં કહ્યું, ''પહેલે આપ...!''
(હાર્દ શાહ, ભરૂચ)
* 'અબ કી બાર મોદી સરકાર' એ સૂત્ર ક્યાં ગાયબ થઈ ગયું ?
– હજી બે જ વર્ષ થયા છે. બીજા બે-અઢી જવા દો.
(હેમલ માંકડ, જામનગર)
* મારા પાકિસ્તાની મિત્રની પુત્રી તમારાથી ખૂબ પ્રભાવિત છે. તમારી વાત ચલાવું ? મને જાનમાં લઇ જશો ?
– બાય ઑલ મીન્સ... બશર્તે, દહેજમાં એ લોકોએ કાશ્મિર ભૂલી જવું પડે !
(કિશોર વૈષ્ણવ, મુંબઈ)
* અશોક દવે, જામનગર ક્યારે આવશો હવે...?
– સીધી ફલાઇટ અથવા જળમાર્ગ શરૂ થાય ત્યારે.
(રોહિત ભણસાલી, જામનગર)
* તમને સવાલ પૂછવા માટે ઇ-મૅઇલ જ શા માટે ?
– ઘેર આવીને પૂછી જાઓ.
(ડૉ. મનિષ પંડયા, ઉપલેટા)
* 'ઍનકાઉન્ટર'માં કેટલાને ઢાળી દીધા.... અબ તક છપ્પન (હજાર) ?
– હજારો-લાખોની વાત આવે ત્યારે, તમારૂં નામ વાંચીને બીક લાગે છે.
(મહેશ શાહ, વડોદરા) અને (ધર્મિલ દેસાઈ, જૂનાગઢ)
* હાસ્યમાં કઇ સુગંધ ભેળવવાથી એ નિર્દોષ બને ?
– હાસ્યનું નિર્દોષ હોવું ખાસ જરૂરી નથી.
(મુકુંદ શાહ, વડોદરા)
* શું તમારા ખાતામાં રૂ. ૧૫-લાખ જમા થઇ ગયા ?
– એટલા તો હું કમાઈ લઉં છું.
(કિશોર યાજ્ઞિક, અમદાવાદ)
* 'ભાભીજી ઘર પે હૈ ?' સીરિયલ તમે જુઓ છો ? શું લાગે છે ?
– મેં જોઇ નથી. વખાણ સાંભળ્યા છે.
(વિનાયક ચિંતામણ દાંડેકર, વડોદરા)
* ઘરસંસાર સુખેથી ચાલે, એ માટે દરેક દંપતિએ શું ન કરવું જોઈએ ?
– બહુ સવાલો ન પૂછવા જોઇએ.
(ધ્રૂવી કાચા, અમદાવાદ)
* નરસિંહ મહેતા કે તુલસીદાસ... સ્ત્રીના મહેણાં સાંભળીને ભગત બની ગયા. આજ સુધી કોઇ સ્ત્રી પુરૂષના મહેણાં સાંભળીને ભક્તાણી બની હોવાનું સાંભળ્યું નથી.
– સ્ત્રીઓનું કામ ભકતો ઊભા કરવાનું છે... કોઇની ભકત બનવાનું નહિં !
(અર્થવ ભાવસાર, બડોલી-ઈડર)
* નરેન્દ્ર મોદી બીજા ૨૦-વર્ષ ભારતના વડાપ્રધાનપદે રહે, એ માટે એમણે શું કરવું જોઈએ ?
– રાજયોગ.
(ઉમેશ એન. દોશી, થાણા)
* ભમરા સરીખા પુરૂષના મનને અંકુશમાં રાખવા સ્ત્રી જીવનભર પ્રયાસ કરતી હોય છે?
– સ્ત્રી પુરૂષને ક્યારેય સુખે જીવવા પણ નહિ દે....?
(મધુકર માંકડ, જામનગર)
* તમે કર્મને પ્રાધાન્ય આપો છો કે ધર્મને ?
– હું કામચોર છું. ધર્મને શ્રદ્ધા પૂરતો સ્વીકારૂં છું.
(જયેશ અંતાણી, ભાવનગર)
* જૉક્સ બનાવવાની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ ?
- સદીઓ પહેલા કોક વળી ગોધરાનું નામ દેતું હતું !
(અ.રહેમાન આઇ.બોગલ, ગોધરા)
* આજના સમયમાં 'સત્યમેવ જયતે' પ્રસ્તુત છે ?
– હા. ન્યાયની દેવીના આઇ-કાર્ડ તરીકે હજી ય કામમાં આવે છે.
(વિમલેશ એમ. જાની, ડાભલા-વિજાપુર)
* ભારતના રાજકારણ અંગે તમારો શું મત છે ?
– આપવા જેવો નહિ....!
(કંજ પટેલ, પાટણ)
* આપણા દેશમાં એકતા ક્યારે જોવા મળશે ?
– જરૂરત એકતાની નહિ, શાંતિની છે.
(દધિચી ગોહિલ, ઉમરેઠ)
* તમને મુમતાઝ મળે તો તાજમહલ બનાવો ખરા ?
- સાબરમતી રિવરફ્રન્ટ ઉપર એક બાંકડો બનાવું.... પ્રેમીઓને બેસવા માટે !
(જગજીવન મેતલીયા, ભાવનગર)
* તમે ટીવી શો કેમ શરૂ નથી કરતા ?
– જે લોકો કરે છે, તેનાથી સંતોષ છે !
(મિતલ વિ. પરમાર, વડોદ-આણંદ)
* હવામાનના આગાહીકારો વિશે તમારૂં શું માનવું છે ?
- એમને ય પાપી પેટને ખાતર આગાહીઓ કરે રાખવી
પડે છે.
(ગોપાલ આશર, ધ્રોલ)
(ગોપાલ આશર, ધ્રોલ)
No comments:
Post a Comment