૧.બિહારની ચૂંટણી માટે આપનો શું ખ્યાલ છે ?
- પ્રભુને પ્રાર્થના કરો, આપણું ગુજરાત બિહાર નથી.
(હાર્દિક સરપદડીયા, સાવરકુંડલા)
૨.વિખ્યાત સર્જકોને નવા વિચારો ટોઈલેટમાં આવે છે... આપ પણ ?
- હજી એવું માનો છે કે, હું વિચારી વિચારીને લખું છું ? બહુ ભોળા છો !
(કૌશલ શાહ, ગાંધીનગર)
૩.ફિલ્મોમાં મોટા ભાગે શાહરૃખ ખાનનું નામ 'રાહુલ' કેમ રાખવામાં આવે છે ?
- બન્નેનો ટેસ્ટ એકસરખો છે.
(રાહુલ એલ. સપારા, બોટાદ)
૪.તમને નથી લાગતું, 'એનકાઉન્ટર'ની સાઇઝ વધારીને દોઢી કરવી જોઈએ ?
- રસના ચટકાં હોય... કૂંડા નહિ !
(દીનલ પટેલ, સાધલી-વડોદરા)
૫.જીવનમાં હેરાન કરનારાઓ વધારે હોય તો શું કરવું ?
- એકાદાને ખુશ કરો.
(આશા મકવાણા, સુરત)
૬.જ્ઞાતિ, જાતિ અને ધર્મના વાડાંઓમાંથી દેશ ક્યારે મુક્ત થશે ?
- પાકિસ્તાનીઓ આપણને બધાને ઘેર આઈ-આઈને ફટકારશે ત્યારે !
(જગદિશ રસિકલાલ શાહ, રાજકોટ)
૭.રજા રવિવારે જ કેમ ?
- 'એનકાઉન્ટર' વાંચવા માટે.
(ધવલ ખાટસુરીયા, ભાવનગર)
૮.તમને એક દિવસ માટે ભારતના વડાપ્રધાન બનાવાય તો શું કરો ?
- ચીન તો હું આવી ગયો...ત્યાંનો વડાપ્રધાન બનવાતૈયાર છું
(ભરત રબારી, વેન્ઝૂ સિટી, ચીન)
૯.તમે ચુંટણીમાં કેમ ઊભા નથી રહેતા ?
- હું તો સારો માણસ છું.
(નિમેશ રાડીયા, રાજકોટ)
૧૦.અમદાવાદના રીક્ષાવાળા ફાળીયાવાળાના ગીતો કેમ વગાડે છે ?
- ઈશ્વરનો પા'ડ માનો, વગાડે જ છે... ચાલુ રીક્ષાએ ગાતા નથી !
(નવીન ત્રિવેદી, અમદાવાદ)
૧૧.વહુ અને વરસાદને જશ કેમ નહિ ?
- કેમ જાણે ભરઉનાળા અને વરરાજાને બહુ જશો મળતા હોય... !
(કાંતિલાલ ખંડોર, મુંબઈ)
૧૨.ગિફ્ટ રેપરમાં વીંટીને જ કેમ અપાય છે ?
- મહીં કંઈ મૂકવાનું રહી ગયું હોય તો આપણું નામ ના આવે !
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)
૧૩.ભ્રષ્ટાચારનું પ્રમાણ આટલું વધી જવા છતાં કેમ કોઈ હળવળતું નથી ?
- આ એકલા આપણા દેશનો મામલો નથી.
(મધુકર મેહતા, વિસનગર)
૧૪.બે વર્ષના વિકાસ માટે મોદીજી પોતાને જવાબદાર કહે છે... દસ વર્ષના શાસન પછી શું કહેશે ?
- વિકાસ પાંચ ગણો વધ્યો.
(અફરોઝ મીરાણી, મહુવા)
૧૫.લેડીઝ-ડ્રાયવિંગ વિશે તમે શું માનો છો ?
- ગાડી પાર્ક કરવા માટે મિનિમમ ૨૦૦-વખત રીવર્સ લે, તો પાસ કરી દેવી જોઈએ.
(મિહિર ગજેરા, સુરત)
૧૬.મને પ્રેમ કરતા આવડતું નથી. અશોકજી, શીખવા હું ક્યાં જાઉં ?
- મારા રસ્તે ચાલશો તો પરણી જવાના દહાડા આવશે !
(નીલ એમ. પટેલ, ધોરાજી)
૧૭.શું આપણા બંધારણમાં અનામતની વ્યવસ્થા પ્રથમ દસ વર્ષ માટે જ હતી ?
- ધીમે બોલો... હજી બીજા ૧૦૦-વર્ષ જ કાઢવાના છે.
(ડૉ. નીલેશ શાહ, વડોદરા)
૧૮.મોદીસાહેબ વારેઘડીયે વિદેશ કેમ ઉપડી જાય છે ?
- એમને એમ નથી જતા... દેશનું કંઈ કામ પણ કરતા આવે છે.
(દક્ષ દરજી, ઈડર)
૧૯.કેનેડીએ કહ્યું હતું, ''દેશ તમારા માટે શું કરે છે, તે ન પૂછો... તમે દેશ માટે શું કરી શકો છો, તે વાત કરો.'' આવું કોઈ ભારતીય નેતાએ કીધેલું યાદ નથી.
- કીધું છે... સાડી સત્તરવાર કીધું છે. ''દેશ તમારા માટે શું કરે છે, તે ન પૂછો... તમે દેશનું કેટલું 'કરી નાંખ્યું' છે, તે પૂછો... (સૌજન્યઃ વિજય માલ્યા).''
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)
૨૦.આ બધા લેખકો એવોડર્સ વાપસ કરવા માંડયા છે... તમારે કેમનું છે ?
- નફ્ફટોના લિસ્ટમાં મને શું કામ મૂકો છો ?
(ઈલ્યાસ તરવાડી, ચલાલા)
૨૧.નામ સંયમ હોય, એટલે બધે સંયમ રાખવાનો ?
- આ પવિત્ર કામ તમારા સસુરજીએ કરવાનું હોય.
(સંયમ વાઘાસીયા, લીલીયા-અમરેલી)
૨૨.છોકરી જોવા ગયો, ત્યારે એણે મને કહી દીધું હતું કે, હું તો આજીવન વિદ્યાર્થી છું. લગ્ન થઈ ગયા પછી રોજ મારી પરીક્ષા લીધે રાખે છે. શું કરું ?
- પરીક્ષામાં તો કાપલી રખાય ને ?
(ડૉ. કે.કે. દેસાઈ, સુરત)
૨૩.અમેરિકામાં તમે જોયેલા ગુજરાતીઓ વિશે ખાસ કોઈ ગર્વની વાત ?
- ભારતમાં રહેતા ગુજરાતીઓ કરતા અમેરિકાના ગુજરાતીઓમાં દેશદાઝ ઘણી સશક્ત છે.
(મિતુલ એસ. ખેની, સુરત)
૨૪.'હસે એનું ઘર વસે,' બાબતે આપનું શું માનવું છે ?
- એ આપણા પોતાના ઘરમાં હસવાનું કે બીજાના ઘેર જઈને... એની હજી સમજણ પડી નથી.
(રાજકુમાર ભૂત, સુરત)
૨૫.તમે બધા સવાલના જવાબ મજાકમાં આપી શકો છો... એવું તે શું ખાઓ છો ?
- વધારેલા સવાલો.
(મીરાં ગોહેલ, ભાવનગર)
- પ્રભુને પ્રાર્થના કરો, આપણું ગુજરાત બિહાર નથી.
(હાર્દિક સરપદડીયા, સાવરકુંડલા)
૨.વિખ્યાત સર્જકોને નવા વિચારો ટોઈલેટમાં આવે છે... આપ પણ ?
- હજી એવું માનો છે કે, હું વિચારી વિચારીને લખું છું ? બહુ ભોળા છો !
(કૌશલ શાહ, ગાંધીનગર)
૩.ફિલ્મોમાં મોટા ભાગે શાહરૃખ ખાનનું નામ 'રાહુલ' કેમ રાખવામાં આવે છે ?
- બન્નેનો ટેસ્ટ એકસરખો છે.
(રાહુલ એલ. સપારા, બોટાદ)
૪.તમને નથી લાગતું, 'એનકાઉન્ટર'ની સાઇઝ વધારીને દોઢી કરવી જોઈએ ?
- રસના ચટકાં હોય... કૂંડા નહિ !
(દીનલ પટેલ, સાધલી-વડોદરા)
૫.જીવનમાં હેરાન કરનારાઓ વધારે હોય તો શું કરવું ?
- એકાદાને ખુશ કરો.
(આશા મકવાણા, સુરત)
૬.જ્ઞાતિ, જાતિ અને ધર્મના વાડાંઓમાંથી દેશ ક્યારે મુક્ત થશે ?
- પાકિસ્તાનીઓ આપણને બધાને ઘેર આઈ-આઈને ફટકારશે ત્યારે !
(જગદિશ રસિકલાલ શાહ, રાજકોટ)
૭.રજા રવિવારે જ કેમ ?
- 'એનકાઉન્ટર' વાંચવા માટે.
(ધવલ ખાટસુરીયા, ભાવનગર)
૮.તમને એક દિવસ માટે ભારતના વડાપ્રધાન બનાવાય તો શું કરો ?
- ચીન તો હું આવી ગયો...ત્યાંનો વડાપ્રધાન બનવાતૈયાર છું
(ભરત રબારી, વેન્ઝૂ સિટી, ચીન)
૯.તમે ચુંટણીમાં કેમ ઊભા નથી રહેતા ?
- હું તો સારો માણસ છું.
(નિમેશ રાડીયા, રાજકોટ)
૧૦.અમદાવાદના રીક્ષાવાળા ફાળીયાવાળાના ગીતો કેમ વગાડે છે ?
- ઈશ્વરનો પા'ડ માનો, વગાડે જ છે... ચાલુ રીક્ષાએ ગાતા નથી !
(નવીન ત્રિવેદી, અમદાવાદ)
૧૧.વહુ અને વરસાદને જશ કેમ નહિ ?
- કેમ જાણે ભરઉનાળા અને વરરાજાને બહુ જશો મળતા હોય... !
(કાંતિલાલ ખંડોર, મુંબઈ)
૧૨.ગિફ્ટ રેપરમાં વીંટીને જ કેમ અપાય છે ?
- મહીં કંઈ મૂકવાનું રહી ગયું હોય તો આપણું નામ ના આવે !
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)
૧૩.ભ્રષ્ટાચારનું પ્રમાણ આટલું વધી જવા છતાં કેમ કોઈ હળવળતું નથી ?
- આ એકલા આપણા દેશનો મામલો નથી.
(મધુકર મેહતા, વિસનગર)
૧૪.બે વર્ષના વિકાસ માટે મોદીજી પોતાને જવાબદાર કહે છે... દસ વર્ષના શાસન પછી શું કહેશે ?
- વિકાસ પાંચ ગણો વધ્યો.
(અફરોઝ મીરાણી, મહુવા)
૧૫.લેડીઝ-ડ્રાયવિંગ વિશે તમે શું માનો છો ?
- ગાડી પાર્ક કરવા માટે મિનિમમ ૨૦૦-વખત રીવર્સ લે, તો પાસ કરી દેવી જોઈએ.
(મિહિર ગજેરા, સુરત)
૧૬.મને પ્રેમ કરતા આવડતું નથી. અશોકજી, શીખવા હું ક્યાં જાઉં ?
- મારા રસ્તે ચાલશો તો પરણી જવાના દહાડા આવશે !
(નીલ એમ. પટેલ, ધોરાજી)
૧૭.શું આપણા બંધારણમાં અનામતની વ્યવસ્થા પ્રથમ દસ વર્ષ માટે જ હતી ?
- ધીમે બોલો... હજી બીજા ૧૦૦-વર્ષ જ કાઢવાના છે.
(ડૉ. નીલેશ શાહ, વડોદરા)
૧૮.મોદીસાહેબ વારેઘડીયે વિદેશ કેમ ઉપડી જાય છે ?
- એમને એમ નથી જતા... દેશનું કંઈ કામ પણ કરતા આવે છે.
(દક્ષ દરજી, ઈડર)
૧૯.કેનેડીએ કહ્યું હતું, ''દેશ તમારા માટે શું કરે છે, તે ન પૂછો... તમે દેશ માટે શું કરી શકો છો, તે વાત કરો.'' આવું કોઈ ભારતીય નેતાએ કીધેલું યાદ નથી.
- કીધું છે... સાડી સત્તરવાર કીધું છે. ''દેશ તમારા માટે શું કરે છે, તે ન પૂછો... તમે દેશનું કેટલું 'કરી નાંખ્યું' છે, તે પૂછો... (સૌજન્યઃ વિજય માલ્યા).''
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)
૨૦.આ બધા લેખકો એવોડર્સ વાપસ કરવા માંડયા છે... તમારે કેમનું છે ?
- નફ્ફટોના લિસ્ટમાં મને શું કામ મૂકો છો ?
(ઈલ્યાસ તરવાડી, ચલાલા)
૨૧.નામ સંયમ હોય, એટલે બધે સંયમ રાખવાનો ?
- આ પવિત્ર કામ તમારા સસુરજીએ કરવાનું હોય.
(સંયમ વાઘાસીયા, લીલીયા-અમરેલી)
૨૨.છોકરી જોવા ગયો, ત્યારે એણે મને કહી દીધું હતું કે, હું તો આજીવન વિદ્યાર્થી છું. લગ્ન થઈ ગયા પછી રોજ મારી પરીક્ષા લીધે રાખે છે. શું કરું ?
- પરીક્ષામાં તો કાપલી રખાય ને ?
(ડૉ. કે.કે. દેસાઈ, સુરત)
૨૩.અમેરિકામાં તમે જોયેલા ગુજરાતીઓ વિશે ખાસ કોઈ ગર્વની વાત ?
- ભારતમાં રહેતા ગુજરાતીઓ કરતા અમેરિકાના ગુજરાતીઓમાં દેશદાઝ ઘણી સશક્ત છે.
(મિતુલ એસ. ખેની, સુરત)
૨૪.'હસે એનું ઘર વસે,' બાબતે આપનું શું માનવું છે ?
- એ આપણા પોતાના ઘરમાં હસવાનું કે બીજાના ઘેર જઈને... એની હજી સમજણ પડી નથી.
(રાજકુમાર ભૂત, સુરત)
૨૫.તમે બધા સવાલના જવાબ મજાકમાં આપી શકો છો... એવું તે શું ખાઓ છો ?
- વધારેલા સવાલો.
(મીરાં ગોહેલ, ભાવનગર)
No comments:
Post a Comment