* વારંવાર શિક્ષણનીતિ બદલવાનું કારણ શું?
- પાંચ-પાંચ વર્ષે શિક્ષણમંત્રી ય બદલાય છે... કંઈક તો કરી બતાવવું ને?
(વૃંદા વાઘેલા, વડોદરા)
* છોકરીને પ્રપોઝ કરતી વખતે ધ્યાનમાં શું રાખવાનું?
- એ જ કે, એ 'છોકરી' છે કે નહિ!
(પ્રશાંત મજીઠીયા, ગારીયાધાર)
* દર વખતે ચાલુ કરાવવા માંગો છો, તે બગડેલો પંખો વેચવાનો છે?
- હવે તમે બહારના ઓર્ડરો ઉપર પૂરતું ધ્યાન આપતા હો, તો ઓફર મૂકું.
(રમણભાઈ કટારા, ગોધરા)
* તમને બધી ઋતુઓમાં ધાબે સૂઈ જવાની ટેવ છે..!
- એકલા કદી નહિ!
(પુરંજય જોષીપુરા, અમદાવાદ)
* નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ્ય સારો છે, પણ રીઝલ્ટ નથી દેખાતું..! સુઉં કિયો છો?
- કેટલાક હરામજાદાઓ સર્જીકલ સ્ટ્રાઈકના ય પ્રૂફ માંગે, એ સાંભળ્યા પછી મનમાં બેસે છે કે, સૈનિકોની એ ટુકડીએ પીઓકે જતા પહેલા અહીં કેટલીક સાફસૂફી કરવા જેવી હતી!
(રાજેશ શેલત, વડોદરા)
* 'એનકાઉન્ટર'ના જવાબો અમે ધારીએ એનાથી તદ્દન વિપરીત જ કેમ હોય છે?
- તમે ધારો છો ને હું ધારતો નથી, માટે!
(વૈશાલી ભાનુશાળી, મુંબઈ)
* 'એનકાઉન્ટર' ફક્ત રવિવારે જ કેમ?
- માણસને અઠવાડીયામાં એક દિવસ તો શાંતિ જોઈએ ને?
(ડો. હેમંત રાઠવા, વલ્લભવિદ્યાનગર)
* આ બ્લૉગ લખવાનું કે'દિ ચાલુ કર્યું?
- મેં હજી સુધી મારો બ્લોગ જોયો નથી. જાપાનથી એક ભાઈ એ બધું સંભાળે છે ને સારું સંભાળે છે.
(ધવલ ભટ્ટી, સુરત)
* નાનું બાળક બાવાના નામે કેમ ડરતું હોય છે?
- બની શકે એટલા વધુ ને વધુ ગંધાતા દેખાવાની બાવાઓને હૉબી હોય છે.
(અર્થવ ભાવસાર, બડોલી-ઈડર)
* નવી દિલ્હીમાં કેજરીવાલે ગાડીઓની નંબર પ્લેટો વારાફરતી કર્યા, તેનો ઈરાદો શું?
- આપણે તમામ ભારતવાસીઓએ સમજી લેવા જેવું છે કે, આ માણસ દર બબ્બે દિવસે કોઈને કોઈ વિકૃતી જાહેર કરીને બેવકૂફ મીડિયા પાસેથી મફતમાં પબ્લિસિટી મેળવે છે. મીડિયા ભલે ન સમજે, આપણે નાગરિકોએ આવા રાજકારણીઓનો નામોલ્લેખ પણ નહિ કરવો જોઈએ.
(ડૉ. મિલિંદ શાહ, વડોદરા)
* મેં 'એનકાઉન્ટર'માં તમને અનેકવાર સવાલો પૂછ્યા, છતાં એકનો ય જવાબ નથી. મારે તમને લાંચ આપવી પડશે?
- માયાવતીની નકલ ન કરો, બેન!
(નીતા દેસાઈ, મુંબઈ)
* આ સંજય નિરૂપમ જેવાઓને ટીવીવાળા આટલું મહત્ત્વ કેમ આપે છે? કાઢી કેમ નથી મૂકતા?
- પોસિબલ છે, એક વાર ટીવી પર ચમકવાના કોઈ ૨૦-૨૫ લાખ રૂપીયા એની પાર્ટીવાળા ટીવી-ચેનલોને પધરાવતા હશે!
* ઈંદિરા ગાંધીના સમયમાં કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન ગાય-વાછરડું હતું, એ અત્યારે સોનિયા-રાહુલને લાગુ પડે છે કે નહિ?
- સનતભાઈ, ભારતમાં ગાયને બહુ પવિત્ર દ્રષ્ટિએ પૂજવામાં આવે છે...
(સનત કે. દવે, ભાવનગર)
* 'આલીયા' અને 'માલીયા' વચ્ચે શું ફરક?
- મહેશ ભટ્ટનો જમાઈ આવશે, એને લોકો 'માલીયા' કહેતા હશે!
(ડૉ. ગિરિશ પંડયા, મિડલસેક્સ-યુ.કે.)
* ગાડી ચલાવતા સ્કુટર અને રીક્ષાઓનો ભય વધુ લાગે છે...
- હું તો 'આર.ટી.ઓ.'માં ડામર પાથરવાનું રોડ-રોલર ચલાવવાનું લાયસન્સ માંગવા જવાનો છું!
(જયદેવ એચ. વ્યાસ, અમદાવાદ)
* મારા સવાલોનો જવાબ આપતા તમને બહુ સમય લાગે છે. અર્થાત્, મારા સવાલો વાંચીને તમને કંટાળો આવે છે કે, મારા સવાલો અઘરા હોય છે?
- અઘરો કંટાળો આવે છે.
(જીજ્ઞા ગેવરીયા, મુંબઈ)
* હજારો પોલીસો અને સૈનિકોના બંદોબસ્ત વચ્ચે ધાર્મિક સરઘસો કઢાય છે, એના ઉપર પ્રતિબંધ ના મૂકી શકાય?
- એ મારા-તમારાથી બંધ નહિ થાય... એક જ વખત આતંકવાદીઓ ત્રાટકશે ને સેંકડો મરશે, પછી અક્કલ આવશે.
(રોહિત યુ. બૂચ, વડોદરા)
* સુરતના કાઠીયાવાડીઓ કાઠીયાવાડને 'દેશ' કેમ કહેતા હશે? જે તે શહેરનું નામ કેમ ન બોલે?
-તમે વગર પ્રયત્ને 'પરદેસી' થઈ ગયા, એનો કોઈ આનંદ નથી?
(નિખિલ આર. ગજેરા, સુરત)
* દિગ્વિજયસિંઘ અત્યારે શું કરે છે?
-હજી બાપ કેમ નથી બન્યા, એની ચિંતા!
(પ્રમોદ સિંઘલ, આબુરોડ)
* કન્હૈયાકુમારો જેવાના વખાણ કરનારાઓ માટે તમે શું કહેશો?
- આવાઓને મીડિયાએ નીગ્લેક્ટ કરવા જોઈએ... મફતની ઘાતક પબ્લિસિટી લઈ જાય છે.
(ચેતન એમ. જાજલ, રાજકોટ)
* વિવિધતામાં એકતા. આ કહેવત કાશ્મિર માટે ક્યારે લાગુ પડશે?
- જ્યારે ત્યાં કોઈ કાશ્મિરી પંડિતનું રાજ્ય હશે.
(સંદીપ પુરાણી, હથિથાના-દેવગઢબારીયા)
* સ્વચ્છ ભારત વિશે બે શબ્દો...
- મારા શહેરમાં એક કચરાપેટી મૂકાય, પછી કહું.
(મનોજ પંચાલ, મુંબઈ)
* ગરીબી એ પૈસાદારો માટે એક ટૉપિક (હૉબી) છે...
- 'પૈસો હાથનો મેલ છે', એવું કોઈ પૈસાદાર કહેતા સાંભળ્યો નથી.
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)
* નડિયાદમાં તમારા લેક્ચરમાં અમે આવી ન શક્યા, એમાં અમે કાંઈ ગૂમાવ્યું કે બચી ગયા?
- કોકની ધાક કામ કરી ગઈ હશે કે, પૂરા લેક્ચર સુધી કોઈ ઊભું નહોતું થતું, બોલો!
(ચૈતાલી જે. શાહ, નડિયાદ)
- પાંચ-પાંચ વર્ષે શિક્ષણમંત્રી ય બદલાય છે... કંઈક તો કરી બતાવવું ને?
(વૃંદા વાઘેલા, વડોદરા)
* છોકરીને પ્રપોઝ કરતી વખતે ધ્યાનમાં શું રાખવાનું?
- એ જ કે, એ 'છોકરી' છે કે નહિ!
(પ્રશાંત મજીઠીયા, ગારીયાધાર)
* દર વખતે ચાલુ કરાવવા માંગો છો, તે બગડેલો પંખો વેચવાનો છે?
- હવે તમે બહારના ઓર્ડરો ઉપર પૂરતું ધ્યાન આપતા હો, તો ઓફર મૂકું.
(રમણભાઈ કટારા, ગોધરા)
* તમને બધી ઋતુઓમાં ધાબે સૂઈ જવાની ટેવ છે..!
- એકલા કદી નહિ!
(પુરંજય જોષીપુરા, અમદાવાદ)
* નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ્ય સારો છે, પણ રીઝલ્ટ નથી દેખાતું..! સુઉં કિયો છો?
- કેટલાક હરામજાદાઓ સર્જીકલ સ્ટ્રાઈકના ય પ્રૂફ માંગે, એ સાંભળ્યા પછી મનમાં બેસે છે કે, સૈનિકોની એ ટુકડીએ પીઓકે જતા પહેલા અહીં કેટલીક સાફસૂફી કરવા જેવી હતી!
(રાજેશ શેલત, વડોદરા)
* 'એનકાઉન્ટર'ના જવાબો અમે ધારીએ એનાથી તદ્દન વિપરીત જ કેમ હોય છે?
- તમે ધારો છો ને હું ધારતો નથી, માટે!
(વૈશાલી ભાનુશાળી, મુંબઈ)
* 'એનકાઉન્ટર' ફક્ત રવિવારે જ કેમ?
- માણસને અઠવાડીયામાં એક દિવસ તો શાંતિ જોઈએ ને?
(ડો. હેમંત રાઠવા, વલ્લભવિદ્યાનગર)
* આ બ્લૉગ લખવાનું કે'દિ ચાલુ કર્યું?
- મેં હજી સુધી મારો બ્લોગ જોયો નથી. જાપાનથી એક ભાઈ એ બધું સંભાળે છે ને સારું સંભાળે છે.
(ધવલ ભટ્ટી, સુરત)
* નાનું બાળક બાવાના નામે કેમ ડરતું હોય છે?
- બની શકે એટલા વધુ ને વધુ ગંધાતા દેખાવાની બાવાઓને હૉબી હોય છે.
(અર્થવ ભાવસાર, બડોલી-ઈડર)
* નવી દિલ્હીમાં કેજરીવાલે ગાડીઓની નંબર પ્લેટો વારાફરતી કર્યા, તેનો ઈરાદો શું?
- આપણે તમામ ભારતવાસીઓએ સમજી લેવા જેવું છે કે, આ માણસ દર બબ્બે દિવસે કોઈને કોઈ વિકૃતી જાહેર કરીને બેવકૂફ મીડિયા પાસેથી મફતમાં પબ્લિસિટી મેળવે છે. મીડિયા ભલે ન સમજે, આપણે નાગરિકોએ આવા રાજકારણીઓનો નામોલ્લેખ પણ નહિ કરવો જોઈએ.
(ડૉ. મિલિંદ શાહ, વડોદરા)
* મેં 'એનકાઉન્ટર'માં તમને અનેકવાર સવાલો પૂછ્યા, છતાં એકનો ય જવાબ નથી. મારે તમને લાંચ આપવી પડશે?
- માયાવતીની નકલ ન કરો, બેન!
(નીતા દેસાઈ, મુંબઈ)
* આ સંજય નિરૂપમ જેવાઓને ટીવીવાળા આટલું મહત્ત્વ કેમ આપે છે? કાઢી કેમ નથી મૂકતા?
- પોસિબલ છે, એક વાર ટીવી પર ચમકવાના કોઈ ૨૦-૨૫ લાખ રૂપીયા એની પાર્ટીવાળા ટીવી-ચેનલોને પધરાવતા હશે!
* ઈંદિરા ગાંધીના સમયમાં કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન ગાય-વાછરડું હતું, એ અત્યારે સોનિયા-રાહુલને લાગુ પડે છે કે નહિ?
- સનતભાઈ, ભારતમાં ગાયને બહુ પવિત્ર દ્રષ્ટિએ પૂજવામાં આવે છે...
(સનત કે. દવે, ભાવનગર)
* 'આલીયા' અને 'માલીયા' વચ્ચે શું ફરક?
- મહેશ ભટ્ટનો જમાઈ આવશે, એને લોકો 'માલીયા' કહેતા હશે!
(ડૉ. ગિરિશ પંડયા, મિડલસેક્સ-યુ.કે.)
* ગાડી ચલાવતા સ્કુટર અને રીક્ષાઓનો ભય વધુ લાગે છે...
- હું તો 'આર.ટી.ઓ.'માં ડામર પાથરવાનું રોડ-રોલર ચલાવવાનું લાયસન્સ માંગવા જવાનો છું!
(જયદેવ એચ. વ્યાસ, અમદાવાદ)
* મારા સવાલોનો જવાબ આપતા તમને બહુ સમય લાગે છે. અર્થાત્, મારા સવાલો વાંચીને તમને કંટાળો આવે છે કે, મારા સવાલો અઘરા હોય છે?
- અઘરો કંટાળો આવે છે.
(જીજ્ઞા ગેવરીયા, મુંબઈ)
* હજારો પોલીસો અને સૈનિકોના બંદોબસ્ત વચ્ચે ધાર્મિક સરઘસો કઢાય છે, એના ઉપર પ્રતિબંધ ના મૂકી શકાય?
- એ મારા-તમારાથી બંધ નહિ થાય... એક જ વખત આતંકવાદીઓ ત્રાટકશે ને સેંકડો મરશે, પછી અક્કલ આવશે.
(રોહિત યુ. બૂચ, વડોદરા)
* સુરતના કાઠીયાવાડીઓ કાઠીયાવાડને 'દેશ' કેમ કહેતા હશે? જે તે શહેરનું નામ કેમ ન બોલે?
-તમે વગર પ્રયત્ને 'પરદેસી' થઈ ગયા, એનો કોઈ આનંદ નથી?
(નિખિલ આર. ગજેરા, સુરત)
* દિગ્વિજયસિંઘ અત્યારે શું કરે છે?
-હજી બાપ કેમ નથી બન્યા, એની ચિંતા!
(પ્રમોદ સિંઘલ, આબુરોડ)
* કન્હૈયાકુમારો જેવાના વખાણ કરનારાઓ માટે તમે શું કહેશો?
- આવાઓને મીડિયાએ નીગ્લેક્ટ કરવા જોઈએ... મફતની ઘાતક પબ્લિસિટી લઈ જાય છે.
(ચેતન એમ. જાજલ, રાજકોટ)
* વિવિધતામાં એકતા. આ કહેવત કાશ્મિર માટે ક્યારે લાગુ પડશે?
- જ્યારે ત્યાં કોઈ કાશ્મિરી પંડિતનું રાજ્ય હશે.
(સંદીપ પુરાણી, હથિથાના-દેવગઢબારીયા)
* સ્વચ્છ ભારત વિશે બે શબ્દો...
- મારા શહેરમાં એક કચરાપેટી મૂકાય, પછી કહું.
(મનોજ પંચાલ, મુંબઈ)
* ગરીબી એ પૈસાદારો માટે એક ટૉપિક (હૉબી) છે...
- 'પૈસો હાથનો મેલ છે', એવું કોઈ પૈસાદાર કહેતા સાંભળ્યો નથી.
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)
* નડિયાદમાં તમારા લેક્ચરમાં અમે આવી ન શક્યા, એમાં અમે કાંઈ ગૂમાવ્યું કે બચી ગયા?
- કોકની ધાક કામ કરી ગઈ હશે કે, પૂરા લેક્ચર સુધી કોઈ ઊભું નહોતું થતું, બોલો!
(ચૈતાલી જે. શાહ, નડિયાદ)
No comments:
Post a Comment