*
નોટબંધી અને કાળા નાણાં વિશે આપનો શું અભિપ્રાય છે?
– નોટબંધીની મને અસર પડે, એટલું કાળું નાણું કમાવવું છે.
(વિનાયક ર. શુક્લ, ગોધરા)
* બસમાં મહિલા કન્ડક્ટરોથી લાભ પૅસેન્જરોને કે સરકારને?
– નોટબંધીની મને અસર પડે, એટલું કાળું નાણું કમાવવું છે.
(વિનાયક ર. શુક્લ, ગોધરા)
* બસમાં મહિલા કન્ડક્ટરોથી લાભ પૅસેન્જરોને કે સરકારને?
– મહિલા
કન્ડક્ટરોને. જે કાંઇ ગેરલાભ છે, એ બધો ડ્રાયવરને છે.
સીધેસીધું જોઈને બસ હાંકે રાખવાની
(મધુકર
પી. માંકડ, જામનગર)
* હિમ્મતનગરમાં મારા બે
પુત્રો સાથે તમારો ફોટો જોયો. ચેહરા ઉપર માર્મિક હાસ્ય,
લખાણોમાં અટ્ટહાસ્ય !
– એ બન્નેને કહો લખાણોમાં ય માર્મિક હાસ્ય જ રાખે !
(ડૉ. સુનિલ ઇશ્વરલાલ ટેલર, હિમ્મતનગર)
* સાઉથમાં ફિલ્મી હીરો કે નેતાઓના મંદિરો બને છે. ગુજરાતમાં કેમ નહિ?
– સાઉથના ભક્તો એટલે દૂરથી ગુજરાત આવવું ના ફાવે ને...? અને, ગુજરાતમાં દારૂબંધી નહિ ? ભક્તો ય તરસે મરે !
(ધિમંત ભાવસાર, બડોલી–ઇડર)
* સસરાના ઘેર રહેનારને ઘર–જમાઈ કહે છે, પણ જમાઈને ઘેર કાયમી રહેનાર સાસુને શું કહેવાય ?
– વૉચમેન... સૉરી, ‘વૉચ–વૂમન’
(પ્રણવ કારીઆ, મુંબઈ)
* સત્યનો વિકલ્પ હોઈ શકે ?
– જરૂર શું છે ?
(દીપક આશરા, ગાંધીનગર)
* રાહુલ ગાંધી સમાજવાદી પાર્ટીની સાયકલનું બીજું પૈંડુ બન્યા....
– રાહુલને તો વકરો એટલો નફો જ હતો... સપાએ સાયકલ પણ ગૂમાવી !
(હર્ષ એસ. હાથી, ગોંડલ)
* ‘ઍન્કાઉન્ટર’માં મારૂં નામ જોઇને થયો એટલો આનંદ તો લગ્નની કંકોત્રી જોઇને ય નહોતો થયો !
– ઓહ, આઈ સી...! કંકોત્રીમાં આપણું નામ આવે, એ ‘આનંદ’નો વિષય કહેવાય...!
(જયમિન પટેલ, બાર્ટલેટ–શિકાગો, અમેરિકા)
* શશીકલા જેવી ભ્રષ્ટ સ્ત્રી પણ મુખ્યમંત્રી બની શકે, એવું આપણા દેશનું બંધારણ છે ?
– આખી પાર્લામેન્ટ ખાલી કરાવવી છે ?
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)
* પત્ની અને પ્રેમિકામાંથી કોની બા ખીજાય તો ધ્યાન રાખવું પડે ?
– આમાં તમારે વચ્ચે પડાય જ નહિ. કૅસ એ બન્નેના ફાધરોને સોંપી દેવાય ! બન્નેની બાઓ ફોડી લે.
(બચુ રાઠોડ, વડોદરા)
* તમારી કૉલમમાં સુરતના વાચકો જ વધારે સવાલો પૂછે છે ?
– આવા લોકોને પાર્લામૅન્ટમાં ન મોકલાય.
(મેઘાવી હેમંત મેહતા, સુરત)
* ‘એન્કાઉન્ટર’માં સવાલોની સાથે ‘ઇમોશન્સ’ને પણ સ્થાન આપો તો ?
– અપાય, પણ ‘ઇમોશન્સે’ પોતાના નામ, સરનામા ને મોબાઇલ નંબરોની પૂરી વિગતો ભરવી પડે.
(ચિંતન માખેચા, રાજકોટ)
* ભારતને અવકાશક્ષેત્રે મળેલી સિદ્ધિ વિશે શું કહેશો ?
– ‘સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા...’
(મહેન્દ્ર પંચાલ, ધ્રાંગધ્રા)
* રાષ્ટ્રગીત પ્રત્યેક ધાર્મિક સભામાં પણ ગવાવું જોઇએ, એ તમારા અભિયાનની સાધુસંતો ઉપર કોઇ અસર થઇ ખરી ?
– એ સહુને ધંધો ભક્તો આપે છે, ભગવાન નહિ ! હવે તમે કહો, એ લોકો કોને ખુશ રાખે ?
(શ્વેતા સુમન દેસાઇ, સુરત)
* શુક્રવારની ‘ચિત્રલોક’ પૂર્તિમાં જૂની ફિલ્મો વિશે આટલી બધી માહિતી કઇ રીતે યાદ રાખીને આપી શકો છો ?
– જુવાનીમાં મંદિરો કરતાં સિનેમાના પ્રવાસો વધારે કર્યા હતા.
(જયદેવ વ્યાસ, અમદાવાદ)
* તમે કેમ બદલાઈ ગયા છો ?
– આજકાલ જાતે ઈસ્ત્રી કરેલા કપડાં પહેરૂં છું.
(રૂપલ વાલવા, ધુન–ધોરાજી, જામનગર)
* તમે કદી બાથરૂમમાં રૅઇનકોટ પહેરીને નહાયા છો ?
– હું બાથરૂમની બહાર હોઉં, એમાં રસ રાખો ને, ભ’ઇ !
(સૈફી મોહમ્મદભાઇ રંગવાલા, દાહોદ)
* ‘એન્કાઉન્ટર’ નામ બદલીને બીજું શું રાખી શકાય ?
– ‘સર્જીકલ સ્ટ્રાઈક’.
(ડૉ. કિરીટ કુબાવત, અમદાવાદ)
* લગ્નના ૩૮ વર્ષ બાદ મારી પત્નીએ મને બુધ્ધુ કહ્યો. આવી દીવા જેવી વાત સમજતા એને આટલા વર્ષો કેમ થયા હશે ?
– કાંઈ નહિ. તમે તો સમજુ છો ને ?
(શાંતિભાઈ ઠક્કર, બિલિમોરા)
* મંગળ પર જમીન લેવાય કે નહિ ?
– ત્યાં પહેલા શૌચાલય બાંધવાની અરજી કરો... એ બાંધવું નહિ પડે અને જમીનનું જલ્દી પતી જશે.
(રાજુ નંદાણીયા, ચૌટા–કુતિયાણા)
* રોડ પર આટલા બધા બમ્પ મૂકવાનું કારણ શું ?
– રેલવેના પાટા ઉપરે ય બમ્પ આવી રહ્યાં છે.
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)
* દરેક વાઈફને એના પતિ નક્કામા કેમ લાગે છે ?
– દરેક પતિ નથી લાગતા.
(ડૉ. રાજવી સુનિલ ટેલર, વાપી)
* ધાર્મિક સ્થળોની ભીડ ઇશ્વરની આસ્થા સૂચવે છે કે આત્મવિશ્વાસમાં ઘટાડો ?
– દેશભક્તિમાં ઘટાડો.
(જયેશ અંતાણી, ભાવનગર)
– એ બન્નેને કહો લખાણોમાં ય માર્મિક હાસ્ય જ રાખે !
(ડૉ. સુનિલ ઇશ્વરલાલ ટેલર, હિમ્મતનગર)
* સાઉથમાં ફિલ્મી હીરો કે નેતાઓના મંદિરો બને છે. ગુજરાતમાં કેમ નહિ?
– સાઉથના ભક્તો એટલે દૂરથી ગુજરાત આવવું ના ફાવે ને...? અને, ગુજરાતમાં દારૂબંધી નહિ ? ભક્તો ય તરસે મરે !
(ધિમંત ભાવસાર, બડોલી–ઇડર)
* સસરાના ઘેર રહેનારને ઘર–જમાઈ કહે છે, પણ જમાઈને ઘેર કાયમી રહેનાર સાસુને શું કહેવાય ?
– વૉચમેન... સૉરી, ‘વૉચ–વૂમન’
(પ્રણવ કારીઆ, મુંબઈ)
* સત્યનો વિકલ્પ હોઈ શકે ?
– જરૂર શું છે ?
(દીપક આશરા, ગાંધીનગર)
* રાહુલ ગાંધી સમાજવાદી પાર્ટીની સાયકલનું બીજું પૈંડુ બન્યા....
– રાહુલને તો વકરો એટલો નફો જ હતો... સપાએ સાયકલ પણ ગૂમાવી !
(હર્ષ એસ. હાથી, ગોંડલ)
* ‘ઍન્કાઉન્ટર’માં મારૂં નામ જોઇને થયો એટલો આનંદ તો લગ્નની કંકોત્રી જોઇને ય નહોતો થયો !
– ઓહ, આઈ સી...! કંકોત્રીમાં આપણું નામ આવે, એ ‘આનંદ’નો વિષય કહેવાય...!
(જયમિન પટેલ, બાર્ટલેટ–શિકાગો, અમેરિકા)
* શશીકલા જેવી ભ્રષ્ટ સ્ત્રી પણ મુખ્યમંત્રી બની શકે, એવું આપણા દેશનું બંધારણ છે ?
– આખી પાર્લામેન્ટ ખાલી કરાવવી છે ?
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)
* પત્ની અને પ્રેમિકામાંથી કોની બા ખીજાય તો ધ્યાન રાખવું પડે ?
– આમાં તમારે વચ્ચે પડાય જ નહિ. કૅસ એ બન્નેના ફાધરોને સોંપી દેવાય ! બન્નેની બાઓ ફોડી લે.
(બચુ રાઠોડ, વડોદરા)
* તમારી કૉલમમાં સુરતના વાચકો જ વધારે સવાલો પૂછે છે ?
– આવા લોકોને પાર્લામૅન્ટમાં ન મોકલાય.
(મેઘાવી હેમંત મેહતા, સુરત)
* ‘એન્કાઉન્ટર’માં સવાલોની સાથે ‘ઇમોશન્સ’ને પણ સ્થાન આપો તો ?
– અપાય, પણ ‘ઇમોશન્સે’ પોતાના નામ, સરનામા ને મોબાઇલ નંબરોની પૂરી વિગતો ભરવી પડે.
(ચિંતન માખેચા, રાજકોટ)
* ભારતને અવકાશક્ષેત્રે મળેલી સિદ્ધિ વિશે શું કહેશો ?
– ‘સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા...’
(મહેન્દ્ર પંચાલ, ધ્રાંગધ્રા)
* રાષ્ટ્રગીત પ્રત્યેક ધાર્મિક સભામાં પણ ગવાવું જોઇએ, એ તમારા અભિયાનની સાધુસંતો ઉપર કોઇ અસર થઇ ખરી ?
– એ સહુને ધંધો ભક્તો આપે છે, ભગવાન નહિ ! હવે તમે કહો, એ લોકો કોને ખુશ રાખે ?
(શ્વેતા સુમન દેસાઇ, સુરત)
* શુક્રવારની ‘ચિત્રલોક’ પૂર્તિમાં જૂની ફિલ્મો વિશે આટલી બધી માહિતી કઇ રીતે યાદ રાખીને આપી શકો છો ?
– જુવાનીમાં મંદિરો કરતાં સિનેમાના પ્રવાસો વધારે કર્યા હતા.
(જયદેવ વ્યાસ, અમદાવાદ)
* તમે કેમ બદલાઈ ગયા છો ?
– આજકાલ જાતે ઈસ્ત્રી કરેલા કપડાં પહેરૂં છું.
(રૂપલ વાલવા, ધુન–ધોરાજી, જામનગર)
* તમે કદી બાથરૂમમાં રૅઇનકોટ પહેરીને નહાયા છો ?
– હું બાથરૂમની બહાર હોઉં, એમાં રસ રાખો ને, ભ’ઇ !
(સૈફી મોહમ્મદભાઇ રંગવાલા, દાહોદ)
* ‘એન્કાઉન્ટર’ નામ બદલીને બીજું શું રાખી શકાય ?
– ‘સર્જીકલ સ્ટ્રાઈક’.
(ડૉ. કિરીટ કુબાવત, અમદાવાદ)
* લગ્નના ૩૮ વર્ષ બાદ મારી પત્નીએ મને બુધ્ધુ કહ્યો. આવી દીવા જેવી વાત સમજતા એને આટલા વર્ષો કેમ થયા હશે ?
– કાંઈ નહિ. તમે તો સમજુ છો ને ?
(શાંતિભાઈ ઠક્કર, બિલિમોરા)
* મંગળ પર જમીન લેવાય કે નહિ ?
– ત્યાં પહેલા શૌચાલય બાંધવાની અરજી કરો... એ બાંધવું નહિ પડે અને જમીનનું જલ્દી પતી જશે.
(રાજુ નંદાણીયા, ચૌટા–કુતિયાણા)
* રોડ પર આટલા બધા બમ્પ મૂકવાનું કારણ શું ?
– રેલવેના પાટા ઉપરે ય બમ્પ આવી રહ્યાં છે.
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)
* દરેક વાઈફને એના પતિ નક્કામા કેમ લાગે છે ?
– દરેક પતિ નથી લાગતા.
(ડૉ. રાજવી સુનિલ ટેલર, વાપી)
* ધાર્મિક સ્થળોની ભીડ ઇશ્વરની આસ્થા સૂચવે છે કે આત્મવિશ્વાસમાં ઘટાડો ?
– દેશભક્તિમાં ઘટાડો.
(જયેશ અંતાણી, ભાવનગર)
No comments:
Post a Comment