* આ હમણાં હમણાંથી મલ્લિકા શેરાવત દેખાતી નથી..! શું પ્રોબ્લેમ
હશે?
- મલ્લિકા મારી બેન કે સાળી થતી નથી. તમારી થતી હોય તો તપાસ કરાવું.
(રાજન શાહ, અમદાવાદ)
- મલ્લિકા મારી બેન કે સાળી થતી નથી. તમારી થતી હોય તો તપાસ કરાવું.
(રાજન શાહ, અમદાવાદ)
* શું જીવનમાં એકથી વધારે વખત પ્રેમ થઈ શકે?
- જો કોઈ એવું કરતી હોય, તો આપણે વચમાં પડવું નહિ... ખસી જવું.
(ચિરાગ ઘાટલીયા, જામનગર)
- જો કોઈ એવું કરતી હોય, તો આપણે વચમાં પડવું નહિ... ખસી જવું.
(ચિરાગ ઘાટલીયા, જામનગર)
* રાજ બબ્બર મોદી સામે આટલા બળાપા કેમ કાઢે છે?
- કોકને ઊંઘમાં બોલવાની બિમારી હોય, એમાં આપણે શું કરી શકીએ ?
(અભિષેક ત્રિવેદી, ભાવનગર)
- કોકને ઊંઘમાં બોલવાની બિમારી હોય, એમાં આપણે શું કરી શકીએ ?
(અભિષેક ત્રિવેદી, ભાવનગર)
* તમને નથી લાગતું પાકિસ્તાન સામે ૫૬''ની છાતી ૫.૬''ની થઈ રહી છે?
- ના. 'પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવો જોઈએ', એવું ખુંખારીને કહેતા મોદીએ બોલેલું પાળી બતાવ્યું છે... પાકિસ્તાનની છાતી ૫.૬''ની હોવી જોઈએ.
(પ્રતિક અંતાણી, ભાવનગર)
- ના. 'પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવો જોઈએ', એવું ખુંખારીને કહેતા મોદીએ બોલેલું પાળી બતાવ્યું છે... પાકિસ્તાનની છાતી ૫.૬''ની હોવી જોઈએ.
(પ્રતિક અંતાણી, ભાવનગર)
* માણસે પોતાના ભાવ માટે પ્રભાવ રાખવા કેવો સ્વભાવ
રાખવો જોઈએ? પ્રતિભાવ, પ્લીઝ!
- તમારે હિમ્મતનગર નહિ, 'ભાવ'નગર રહેવા જતા રહેવું જોઈએ.
(રોહિત દરજી, હિંમતનગર)
- તમારે હિમ્મતનગર નહિ, 'ભાવ'નગર રહેવા જતા રહેવું જોઈએ.
(રોહિત દરજી, હિંમતનગર)
* નરેન્દ્ર મોદી પી.એમ. બન્યા. આનંદીબેન સી.એમ.
બન્યા... તો અશોક દવે?
- બી.એમ.! 'બુધ્ધિશાળી માણસ'
(કલ્પના મેહતા, બિલિમોરા)
- બી.એમ.! 'બુધ્ધિશાળી માણસ'
(કલ્પના મેહતા, બિલિમોરા)
* આ ધર્મ-ધર્મ કરનારા બધાને પાકિસ્તાનની બોર્ડર પર
મોકલી દેવા જોઈએ... તમે સુઉં કિયો છો?
- તમારે ઈન્ડિયામાં રહેવું છે કે નહિ ? આ દેશમાં દેશને ગમે તેટલી ગાળો આપો... નો પ્રોબ્લેમ! ધર્મ માટે એક અક્ષરે ય વાંકો બોલ્યા છો તો કાચી સેકન્ડમાં એ લોકો તમને બોર્ડર પર મોકલી દેશે.
(ધિમંત પરમાર, સુરેન્દ્રનગર)
- તમારે ઈન્ડિયામાં રહેવું છે કે નહિ ? આ દેશમાં દેશને ગમે તેટલી ગાળો આપો... નો પ્રોબ્લેમ! ધર્મ માટે એક અક્ષરે ય વાંકો બોલ્યા છો તો કાચી સેકન્ડમાં એ લોકો તમને બોર્ડર પર મોકલી દેશે.
(ધિમંત પરમાર, સુરેન્દ્રનગર)
* તમે આ રીતે બધાના એડ્રેસ મંગાવીને શું કરો છો?
- કંકોડાનું શાક.
(પૂજા પટેલ, અમદાવાદ)
- કંકોડાનું શાક.
(પૂજા પટેલ, અમદાવાદ)
* તમારા મતે, ભારતે પાકિસ્તાન સાથે કેવું વલણ રાખવું જોઈએ?
- પાકિસ્તાનની જે કોઈ માં હોય, એના લગ્ન કરાવી દેવા જોઈએ.
(રાજુ દેસાઈ, ખડસાલીયા)
- પાકિસ્તાનની જે કોઈ માં હોય, એના લગ્ન કરાવી દેવા જોઈએ.
(રાજુ દેસાઈ, ખડસાલીયા)
* 'ઍનકાઉન્ટર'માં સવાલો ૨૫-૨૭ આવે છે, પણ હસવું તો ૩-૪માં જ આવે છે, આવું કેમ?
- તાબડતોબ તમારાં જડબાંનો ઇલાજ કરાવો.
(હાર્દિક સોજીત્રા, રાજકોટ)
- તાબડતોબ તમારાં જડબાંનો ઇલાજ કરાવો.
(હાર્દિક સોજીત્રા, રાજકોટ)
* આજ સુધી તમને પૂછાયેલો તમારો મનપસંદ સવાલ કયો?
- 'એનકાઉન્ટર' બંધ ક્યારે કરો છો?
(અનિરૂધ્ધ રહેવર, રણાસણ)
- 'એનકાઉન્ટર' બંધ ક્યારે કરો છો?
(અનિરૂધ્ધ રહેવર, રણાસણ)
* અન્ના હઝારે અંગે તમે જે જવાબો આપો છો, તે 'ફની' હોય છે કે ગંભીર, તેની મૂંઝવણમાં છું.
- એ માણસ ફક્ત પબ્લિસિટીનો ભૂખ્યો છે અને મીડિયાએ ૨૪-કલાક ગમે તેમ કરીને પૂરા કરવા પડે, એમાં આ ભ'ઈને હીરો બનવા મળી ગયું.(અરવિંદ એફ. ગાંધી, અમદાવાદ)
- એ માણસ ફક્ત પબ્લિસિટીનો ભૂખ્યો છે અને મીડિયાએ ૨૪-કલાક ગમે તેમ કરીને પૂરા કરવા પડે, એમાં આ ભ'ઈને હીરો બનવા મળી ગયું.(અરવિંદ એફ. ગાંધી, અમદાવાદ)
* નરેન્દ્ર મોદી વિશે તમારો અભિપ્રાય?
- બહુ વહેલો પડશે...
(સાગર મેહતા, ભરૂચ)
- બહુ વહેલો પડશે...
(સાગર મેહતા, ભરૂચ)
* ઈન્ડિયાની બ્લોક-બસ્ટર ફિલ્મ 'બાહુબલિ' વિશે તમારો
અભિપ્રાય...
- ...આપવો પડે, એટલી મજબુત ફિલ્મ નહોતી.
(મૈત્રી રાજેશ પંચાલ, અમદાવાદ) અને (ભરત ભુસડીયા, સુરેન્દ્રનગર)
- ...આપવો પડે, એટલી મજબુત ફિલ્મ નહોતી.
(મૈત્રી રાજેશ પંચાલ, અમદાવાદ) અને (ભરત ભુસડીયા, સુરેન્દ્રનગર)
* તમારા વાઇફે એમના મોબાઇલમાં તમારું નામ શું
રાખ્યું છે ?
- હિટલર.
(વ્યોમા પાર્થ શાહ, મુંબઈ)
- હિટલર.
(વ્યોમા પાર્થ શાહ, મુંબઈ)
* 'હું ખાતો નથી. ખાવા દેતો નથી.' તો આ 'વ્યાપમ' શું હશે?
- પેટના ગૅસની દવા.
(યામા ભટ્ટ, જૂનાગઢ)
- પેટના ગૅસની દવા.
(યામા ભટ્ટ, જૂનાગઢ)
* હસતી સ્ત્રી ક્યારે ખતરનાક લાગે?
- હસતી હોય ત્યારે.
(ધીરજ ઉદવાડીયા, મુંબઈ)
- હસતી હોય ત્યારે.
(ધીરજ ઉદવાડીયા, મુંબઈ)
* તમે ડિમ્પલને ખૂબ ચાહો છો એ બરોબર, પણ ડિમ્પલને આની ખબર
છે?
- એ પોતાની પર્સનલ વાતો કોઈને કરતી નથી.
(કાંતિલાલ માકડીયા, રાજકોટ)
- એ પોતાની પર્સનલ વાતો કોઈને કરતી નથી.
(કાંતિલાલ માકડીયા, રાજકોટ)
* રાહુલ બાબામાં મૅચ્યોરિટી ક્યારે આવશે?
- જે ગામ જવું નહિ, એની પંચાત એ ય નથી કરતા, તો આપણે શું કામ કરવાની?
(અભિષેક ત્રિવેદી, ભાવનગર)
- જે ગામ જવું નહિ, એની પંચાત એ ય નથી કરતા, તો આપણે શું કામ કરવાની?
(અભિષેક ત્રિવેદી, ભાવનગર)
* મંદિર કે દેરાસરમાં દાન આપનારાઓ વૃધ્ધાશ્રમ કે
અનાથાશ્રમમાં દાન આપતા કેમ ખચકાય છે?
- એ આશ્રમોમાં વૃધ્ધો અને અનાથો એમણે આપેલા હોય છે.
(જયેશ પંડયા, અમદાવાદ)
- એ આશ્રમોમાં વૃધ્ધો અને અનાથો એમણે આપેલા હોય છે.
(જયેશ પંડયા, અમદાવાદ)
* તમારી દ્રષ્ટિએ, લગ્ન અને લિવ-ઈન
રીલેશનશીપ વચ્ચે શું ફરક?
- લગ્નમાં ચાંદલો આવે....
(ડૉ. હિરેન વઘાસીયા, રાજકોટ)
- લગ્નમાં ચાંદલો આવે....
(ડૉ. હિરેન વઘાસીયા, રાજકોટ)
* આ સદીનું શ્રેષ્ઠ ગીત અને શ્રેષ્ઠ સંગીતકાર કોણ?
- એ તમને ટ્રેનમાં બે પથરાં ઘસીને, ''ચલ બેટા સેલ્ફી લે લે...'' ગાતા ભિક્ષુક પાસેથી સાંભળવા મળશે.
(ફાતેમા પેટલાદવાલા, છોટા ઉદેપુર)
- એ તમને ટ્રેનમાં બે પથરાં ઘસીને, ''ચલ બેટા સેલ્ફી લે લે...'' ગાતા ભિક્ષુક પાસેથી સાંભળવા મળશે.
(ફાતેમા પેટલાદવાલા, છોટા ઉદેપુર)
* ગત ૧૭ જુલાઈએ તમે મુંબઈવાસીઓને ખૂબ હસાવ્યા, એ દિવસ રાજેશ
ખન્નાની પુણ્યતિથિ હતી. આ કેવો યોગાનુયોગ?
- હા, પણ એમાં મુંબઈવાળાઓને હવે ટેવ પડી ગઈ છે કે કોઈને ઉડાડવો હોય, તો અશોક દવેનું લેક્ચર રાખો.
(રોહિત દવે, હાલોલ)
- હા, પણ એમાં મુંબઈવાળાઓને હવે ટેવ પડી ગઈ છે કે કોઈને ઉડાડવો હોય, તો અશોક દવેનું લેક્ચર રાખો.
(રોહિત દવે, હાલોલ)
* ઈતિહાસની કોઈ ઘટનાને બદલીને નવેસરથી રજુ કરવી હોય
તો કઈ ઘટના બદલો?
- ખાસ કંઈ નહિ... અનારકલી એની એ રાખીને સલિમ હું બનું.
(ક્રિપાલસિંહ ગોહિલ, ઊમરાળા)
- ખાસ કંઈ નહિ... અનારકલી એની એ રાખીને સલિમ હું બનું.
(ક્રિપાલસિંહ ગોહિલ, ઊમરાળા)
* આપ એક લેખક છો, તો બીજા લેખકના
પુસ્તકના વિમોચનમાં જતા કેવું લાગે?
- આ ય મરવાનો થયો છે!
(દેવાંગી પી. દેત્રોજા, જામનગર)
- આ ય મરવાનો થયો છે!
(દેવાંગી પી. દેત્રોજા, જામનગર)
* હમણાં હમણાં સંતોની એક નવી પ્રજાતિ શરૂ થઈ છે, 'વૉટ્સએપ સંતો'... રોજ સવાર પડે ને
એમની સંતવાણી શરૂ થઈ જાય છે.
- મને 'વૉટ્સએપ' મોકલનારાઓની નહિ... વાંચનારાઓની દયા આવે છે.
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)
- મને 'વૉટ્સએપ' મોકલનારાઓની નહિ... વાંચનારાઓની દયા આવે છે.
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)
* શાહરૂખની જેમ હવે આમિરખાને પણ દેશદ્રોહી ટીપ્પણી
કરી. આપણે શું કરવું જોઇએ?
- સાચા ભારતીય હો તો એ બન્નેની ફિલ્મો જોવાની જીંદગીભર બંધ કરી દેવી જોઇએ.
(સુરજ સી. છાયા, મુંબઇ)
- સાચા ભારતીય હો તો એ બન્નેની ફિલ્મો જોવાની જીંદગીભર બંધ કરી દેવી જોઇએ.
(સુરજ સી. છાયા, મુંબઇ)
No comments:
Post a Comment