Search This Blog

03/06/2018

ઍનકાઉન્ટર : 03-06-2018

* પિત્ઝા ગોળ હોય છે, પણ એનું ખોખું ચોરસ કેમ હોય છે ?
- ઓહ...નોકરીના ઇન્ટર્વ્યૂમાં એ લોકો આવા સવાલો પૂછે છે ?
(
અમરીશ દરજી, આણંદ)

* પબ્લિક-ટૉયલેટ્સમાં લાઇટ હોતી નથી. લોકોએ અંધારામાં જવાનું ?
- ', વાત સ્વચ્છતાની થઇ હતી... અંધારાની નહિ !
(
પ્રફૂલ દવે, ભાવનગર)

* આપણે જેટલા ધાર્મિક છીએ, એટલા ઇમાનદાર કેમ નથી ?
- એ બન્ને ચીજો પબ્લિકને દેખાડવા માટે બની છે, અમલ માટે નહિ !
(
વિનેશ ચૌહાણ, ગાંધીનગર)

* આપણાથી મોટાનું સન્માન કેમ કરવું જોઇએ ?
- કરો, પછી જવાબ આપું.
(
ધ્રૂવ બારોટ, હિંમતનગર)

* 'મહાભારત'ના સમયમાં અમિત શાહ હોત તો ? કુરૂક્ષેત્રના યુધ્ધ વિના હસ્તિનાપુરમાં યુધિષ્ઠીરની સરકાર બનાવી આપત !
- તમારા વિશ્વાસ ઉપરથી લાગે છે કે, કાશ્મિરને પાકિસ્તાન મુક્ત પણ એ જ કરાવશે!
(
દીપક આશરા, ગાંધીનગર)

* 'મોદી પછી કોણ ?' એવું ભાજપ વિચારશે ખરૂં ?
- અત્યારે તો પાકિસ્તાન વિચારી રહ્યું છે કે, 'સાલું... મોદી પછી મોદી જ છે...!'
(
સંદીપ પંડયા, અમદાવાદ)

* 'ગુજરાત સમાચાર' ઉત્તમ છે, માટે તમે લખો છો કે તમે લખો છો માટે ઉત્તમ છે ?
- આ લોકો નબળું કાંઈ ચલાવી લેતા નથી.
(
સરફરાઝ શેખ, અમદાવાદ)

* આજકાલ લવ-મેરેજનું પ્રમાણ કેમ વધતું જાય છે ?
- મોટું મન રાખીને ચલાવી લો... પી જાઓ ગુસ્સો !
(
હિતેશ સોન્દીગડા, મુંબઇ)

* રેણુકા ચૌધરીના હાસ્ય વિશે આપના બે શબ્દો...
- એ જે રીતે હસે છે, એ જ વૉલ્યૂમમાં રોવાના દિવસો શરૂ થઇ ગયા છે. બસ, ઇ.સ. ૨૦૧૯...!
(
ચેતન મેઘાણી, અમદાવાદ)

* દુનિયામાં કોની જરૂરત વધારે છે... માણસોની કે જાનવરોની ?
- આપ સલામત રહો.
(
અલ્પેશ ગુંસાઈ, ભૂજ-કચ્છ)

* અક્ષયકુમારની ફિલ્મો વિશે આપનો શો અભિપ્રાય છે ?
- 'એન્કાઉન્ટર' વિશે જેવો એનો, એવો મારો એની ફિલ્મો વિશે.
(
વિવેક માલવી, રાજકોટ)

* ઇ.સ. ૨૦૧૯ની ચૂંટણી પછી મોદી સામે લડવા બધી પાર્ટીઓ એક થઇ છે અને બધાને નવો પ્રાઈમ મિનિસ્ટર પોતાનો જોઇએ છે... તમારો મત શું છે ?
- એમાંના એકે ય ની પાસે બોલવા માટેમોદી સિવાય એક મુદ્દો જ નથી...દેશ માટે, પાકિસ્તાન માટે, આતંકવાદ માટે, મોંઘવારી માટે... ! કમનસીબે, મોદી પાસે ય લાગતો નથી.
(
હરૂભાઈ કારીઆ, મુંબઇ)

* આ જીંદગીભર તલાટી-મંત્રીનો નોકરો કરવાને બદલે દેશનો દરેક બેકાર આગામી ચૂંટણીમાં કેમ ઊભો રહેતો નથી ?
- યસ. બધા રાજકીય પક્ષો સીધા થઇ જાય !
(
હિતેશ જી. પટેલ, કલોલ)

* 'અચ્છેદિન' આનેવાલે હૈં... રાહ જોવામાં આંખે મોતીયો આવી ગયો... હવે ક્યારે?
- આવા સપના હાલમાં કોંગ્રેસ જોઈ રહી છે.
(
નીલેશ પ્રેસવાલા, ભરૂચ)

* ગુમનામીની જીંદગી જીવવા માંગુ છું.. બસ, એક વાર નીરવ મોદીની જેમ લોન મળી જાય !
- મામો મેહૂલ ચોક્સી જેવો છે ?
(
આબાદ ડેરૈયા, આણંદ)

* આજના સમયમાં તમારી દ્રષ્ટિએ સૌથી વધુ પ્રામાણિક ઍન્કર કોણ છે ?
- અર્ણવ ગોસ્વામી.
(
આર્જવ પારેખ, ભાવનગર)

* કેવા સવાલોને તમે બારોબાર ઊડાડી દો છો ?
- જે વાચકબધા મૅગેઝીનો/છાપાઓમાં ચારે બાજુ ચીતરી મૂક્તો હોય !
(
પ્રકૃતિ શિવ મેહતા, વડોદરા)

* પંજાબ નૅશનલ બૅન્ક માટે શું કહેવું છે ?
- એ લઇ ગયા... ને આપણે રહી ગયા !
(
ભાવિક એ. શાહ, ગોધરા)

* આપણા પૂર્વજો વિશે તમારૂં શું માનવું છે ?
- એ જ કે, આપણા બન્નેના જુદા જુદા હતા.
(
ઉમંગ કંસારા, માધવપુર-ઘેડ)

* 'ઍનકાઉન્ટર' પહેલા પાને કેમ નથી આવતું ?
- સિંહની ઍન્ટ્રી છેલ્લી હોય !
(
જય ચુડાસમા, રાણાવાવ)

* આ ચારે બાજુ શું થઇ રહ્યું છે ? આપણે ક્યાં જઇ રહ્યા છીએ ?
- ડ્રાયવરને પૂછવું પડે.
(
પી.એમ.જોશી, નેત્રામલી-ઇડર)

* તમે કદી મુહમ્મદ રફીસાહેબને રૂબરૂ મળ્યા છો ?
- એ જ તમન્ના પૂરી ન થઈ...
(
કંદર્પ જાની, કૅન્સસ-યુઍસએ)

* આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ નાબુદ થશે તો બીજો કયો પક્ષ ભાજપ સામે લડશે ?
- શું કામ નાબૂદ થાય ? હસવા માટે કાંઈક તો પાસે રાખો.
(
અશોક જોશી, શિરવાડા-કાંકરેજ)

No comments: