Search This Blog

17/06/2018

ઍનકાઉન્ટર : 17-06-2018


* કાશ્મિર સમસ્યાનો શું કોઈ ઉકેલ નથી?
- રક્ષામંત્રી નિર્મલા સીતારામને પ્રેમભરી ચેતવણી આપી છે કે, 'અમને ઉશ્કેરશો તો અમે સહન નહિ કરીએ. પાકિસ્તાની પથ્થરબાજો આપણને ઉશ્કેરતા નથી, તો સાલું આપણે સહન શું કરવાનું? એકે ય પાકિસ્તાની મરતો નથી ને આપણા રોજના સરેરાશ બબ્બે-ત્રણ ત્રણ જવાનો શહીદ થાય છે, એટલામાં શું ઉશ્કેરાવાનું?
(
હસમુખ રાજાણી, રાજકોટ)

* વિશ્વના સૌથી વધુ શક્તિશાળી નેતા તરીકે નરેન્દ્ર મોદીનું સ્થાન ત્રીજા નંબરે છે... રાહુલ ગાંધીનું?
- તમે કોઈ કૉગ્રેસી સ્થાનિક નેતાને ય ઓળખતા હોય, તો ખાનગીમાં એને પૂછવા જેવું ખરૂં!
(
વંદિત નાણાવટી, રાજકોટ)

* સારી કન્યાને સુકન્યા કહેવાય, તો સારા વરને?
- હસનૈન.
(
હસનૈન મણિયાર, વિરમગામ)

* ભારત-પાક વચ્ચે શાંતિ ક્યારે?
- ઈ.સ. ૨૦૧૯ની ચૂંટણીઓ સુધી તો ખરી જ!
(
યુનુસ ટી. મર્ચન્ટ, મુંબઈ)

* 'રસ્તા રોકો' આંદોલનમાં કેટલા દર્દીઓ કે વૃધ્ધો હેરાન થાય છે..!
- એવા એલાનો આપનાર નેતાઓને પ્રજા સીધા કરતી નથી, પછી આમ જ ચાલવાનું!
(
અમૃતલાલ છાટબાર, રાજકોટ)

* હવે તો કહો, આ કૉંગ્રેસનું નાટક કેટલા અંકી છે?
- 'ગઠબંધન'ને કારણે કોંગ્રેસનું પોતાનું અસ્તિત્ત્વ જ ક્યાં રહ્યું છે?
(
માવજી એમ. સંગોઈ, મુંબઈ)
 
* એક વ્યક્તિ (મહાત્મા ગાંધી)એ સાચું બોલીને દેશને આઝાદી અપાવી ને બીજી વ્યક્તિ (નરેન્દ્ર મોદી) જુઠ્ઠૂ બોલીને વડાપ્રધાન બની ગઈ. શું કહેશો?
- તમારી દ્રષ્ટિએ ત્રીજી વ્યક્તિ (રાહુલ ગાંધી) તો મહાત્મા ગાંધી કરતા ય સત્યની મોટી  પૂજારી હશે ને?
(
ચૈતન્ય એલ. સેવક, અમદાવાદ)

* વર-કન્યાના જન્માક્ષર મેળવવાને બદલે સાસુ-વહુના કેમ મેળવાતા નથી?
- ભારત સિવાય એકે ય દેશમાં કોઈના ય જન્માક્ષર મેળવીને કામ થતા હોય એવું સાંભળ્યું?
(
સી.કે. પટેલ, રાજકોટ)

* 'ઍનકાઉન્ટર' વાંચવું પડે, એવું હોવાનું કારણ?
- કરવા જેવું નથી, માટે!
(
હરિ બકરાણીયા, અમદાવાદ)

* સ્વચ્છ ભારત માટે ટૉઇલેટની સબસિડી... કેટલી સફળ?
- આવી સબસિડીનો વિચાર આવવો, એ જ મોટી વાત નથી?
(
વસંત જોષી, કોઠારા-કચ્છ)

* શું રાહુલ ગાંધી નેહરૂ-ખાનદાનના આખરી વારસદાર છે?
- નેહરૂ-કુટુંબના રસોઇયાઓ, ડ્રાયવરો કે ઘરઘાટીઓ હજી જીવે છે.
(
ચીમનલાલ લાલકીયા, સુરત)

* આઝાદીના ૭૧-વર્ષ બાદ ભારતના ગામેગામમાં વીજળી પહોંચી ગઈ...
- અત્યારે અમારા ફ્લેટમાં વીજળી ગઈ છે... આવે પછી જવાબ આપું.
(
અજયસિંહ ચંપાવત, હિંમતનગર)

* 'અરીસો' અને 'પડછાયા' વચ્ચે શું તફાવત?
- પડછાયો કાળો ધબ્બ હોય... કેટલાકના અરીસા પણ!
(
પરિમલ રાજદેવ, સુરેન્દ્રનગર)

* આ 'છાશવારે' એટલે શું?
- થૅન્ક ગૉડ... તમે કાયમ નહિ, છાશવારે જ સવાલો પૂછતા હો છો!
(
ટી.એસ. પરમાર, આણંદ)

* રાહુલ ગાંધી ઠોકી-વગાડીને કહે છે, '૨૦૧૯ની ચૂંટણીમાં કૉંગ્રેસ વિજયી થઇને આવશે'...!
- બાબાને મજાક કરવાની ટેવ છે એ તો!
(
રજનીકાંત ભૂંડીયા, દ્વારકા) અને (ઈન્દ્રવદન પંડયા, હરસોલ)

* 'અધિક માસ'માં જમવાનું ય અધિક હોય?
- આપણે ગુજરાતીઓ છીએ... અધિક જમવાનું તો બારે માસ હોય!
(
શૌનક રોહિત દવે, હાલોલ)

* પાકિસ્તાની ટીવી પર ક્રિકેટરો ય ભારત વિરૂદ્ધ બોલવામાં બાકી રાખતા નથી...!
- એક પણ ભારતીય એવો બતાવો, જે પાકિસ્તાન વિરૂધ્ધ બોલ્યો હોય! મૂળ સંસ્કાર તો ક્યાં જવાના?
(
પ્રતિક પી. શાહ, સુરત)

* આપણા બદમાશ પ્રધાનોને સંગમતીર્થમાં ડૂબકી મારવાની મોદીજી મનાઈ ફરમાવે, નહિ તો એ પવિત્ર સ્થાન અપવિત્ર થશે!
- ગડકરીએ બાંહેધરી આપી છે, ગંગા નદીને સાફ-સ્વચ્છ બનાવાશે. બને પછી તમારી ચિંતા દૂર કરીશું.
(
પ્રવિણ શાહ, વણાકબોરી)

* 'બુરી નજરવાલે, તેરા મુંહ કાલા', માત્ર ટ્રકો-રીક્ષાઓ પાછળ લખ્યું હોય છે, મર્સીડીઝ કે બીએમડબલ્યુ પાછળ કેમ નહિ?
- એ ગાડીઓ ભાડે ફેરવવા માટે લીધી હોતી નથી.
(
સાધના નાણાવટી, ગાંધીનગર)

* હવે મધ્યમ વર્ગનું કોણ?
- એને અનામતો મળે તો દિલ્હીવાળો... નહિ તો ઉપરવાળો!
(
મયંક આચાર્ય, જામનગર)

* સરહદે રોજ મરતા આપણા જવાનોની રક્ષા કરવાનો કોઈ ઉકેલ નથી?
- દેશનો એકે ય રાજકીય પક્ષ એક અક્ષરે ય આતંકવાદ કે પથ્થરબાજો વિરૂધ્ધ બોલે છે? બસ, ભગવાન બચાવે આ દેશને!
(
પ્રદ્યુમ્ન સી. પંડયા, અમદાવાદ)

* નોકરી કરતા કર્મચારીનું આ દેશમાં ભાવિ શું?
- નવયુવાન શાયર ભાવિન ગોપાણીનો શે'ર કાબિલ-એ-ગૌર છે:
'
વિતાવી જિંદગી આખી એ રીતે એક શેરીમાં, વિતે છે જેમ ફાઇલનું જીવન આખું કચેરીમાં.'
(
નિમિષા ગી. શાહ, વડોદરા)

No comments: