* કાશ્મિર સમસ્યાનો
શું કોઈ ઉકેલ નથી?
- રક્ષામંત્રી નિર્મલા સીતારામને પ્રેમભરી ચેતવણી આપી છે કે, 'અમને ઉશ્કેરશો તો અમે સહન નહિ કરીએ. પાકિસ્તાની પથ્થરબાજો આપણને ઉશ્કેરતા નથી, તો સાલું આપણે સહન શું કરવાનું? એકે ય પાકિસ્તાની મરતો નથી ને આપણા રોજના સરેરાશ બબ્બે-ત્રણ ત્રણ જવાનો શહીદ થાય છે, એટલામાં શું ઉશ્કેરાવાનું?
(હસમુખ રાજાણી, રાજકોટ)
- રક્ષામંત્રી નિર્મલા સીતારામને પ્રેમભરી ચેતવણી આપી છે કે, 'અમને ઉશ્કેરશો તો અમે સહન નહિ કરીએ. પાકિસ્તાની પથ્થરબાજો આપણને ઉશ્કેરતા નથી, તો સાલું આપણે સહન શું કરવાનું? એકે ય પાકિસ્તાની મરતો નથી ને આપણા રોજના સરેરાશ બબ્બે-ત્રણ ત્રણ જવાનો શહીદ થાય છે, એટલામાં શું ઉશ્કેરાવાનું?
(હસમુખ રાજાણી, રાજકોટ)
* વિશ્વના સૌથી વધુ
શક્તિશાળી નેતા તરીકે નરેન્દ્ર મોદીનું સ્થાન ત્રીજા નંબરે છે... રાહુલ ગાંધીનું?
- તમે કોઈ કૉગ્રેસી સ્થાનિક નેતાને ય ઓળખતા હોય, તો ખાનગીમાં એને પૂછવા જેવું ખરૂં!
(વંદિત નાણાવટી, રાજકોટ)
- તમે કોઈ કૉગ્રેસી સ્થાનિક નેતાને ય ઓળખતા હોય, તો ખાનગીમાં એને પૂછવા જેવું ખરૂં!
(વંદિત નાણાવટી, રાજકોટ)
* સારી કન્યાને સુકન્યા કહેવાય, તો સારા વરને?
- હસનૈન.
(હસનૈન મણિયાર, વિરમગામ)
* ભારત-પાક વચ્ચે શાંતિ ક્યારે?
- ઈ.સ. ૨૦૧૯ની ચૂંટણીઓ સુધી તો ખરી જ!
(યુનુસ ટી. મર્ચન્ટ, મુંબઈ)
* 'રસ્તા રોકો' આંદોલનમાં
કેટલા દર્દીઓ કે વૃધ્ધો હેરાન થાય છે..!
- એવા એલાનો આપનાર નેતાઓને પ્રજા સીધા કરતી નથી, પછી આમ જ ચાલવાનું!
(અમૃતલાલ છાટબાર, રાજકોટ)
- એવા એલાનો આપનાર નેતાઓને પ્રજા સીધા કરતી નથી, પછી આમ જ ચાલવાનું!
(અમૃતલાલ છાટબાર, રાજકોટ)
* હવે તો કહો, આ કૉંગ્રેસનું નાટક કેટલા અંકી છે?
- 'ગઠબંધન'ને કારણે કોંગ્રેસનું પોતાનું અસ્તિત્ત્વ જ ક્યાં રહ્યું છે?
(માવજી એમ. સંગોઈ, મુંબઈ)
- 'ગઠબંધન'ને કારણે કોંગ્રેસનું પોતાનું અસ્તિત્ત્વ જ ક્યાં રહ્યું છે?
(માવજી એમ. સંગોઈ, મુંબઈ)
* એક વ્યક્તિ (મહાત્મા ગાંધી)એ સાચું બોલીને દેશને આઝાદી અપાવી ને બીજી વ્યક્તિ (નરેન્દ્ર મોદી) જુઠ્ઠૂ બોલીને વડાપ્રધાન બની ગઈ. શું કહેશો?
- તમારી દ્રષ્ટિએ ત્રીજી વ્યક્તિ (રાહુલ ગાંધી) તો મહાત્મા ગાંધી કરતા ય સત્યની મોટી પૂજારી હશે ને?
(ચૈતન્ય એલ. સેવક, અમદાવાદ)
* વર-કન્યાના
જન્માક્ષર મેળવવાને બદલે સાસુ-વહુના કેમ મેળવાતા નથી?
- ભારત સિવાય એકે ય દેશમાં કોઈના ય જન્માક્ષર મેળવીને કામ થતા હોય એવું સાંભળ્યું?
(સી.કે. પટેલ, રાજકોટ)
- ભારત સિવાય એકે ય દેશમાં કોઈના ય જન્માક્ષર મેળવીને કામ થતા હોય એવું સાંભળ્યું?
(સી.કે. પટેલ, રાજકોટ)
* 'ઍનકાઉન્ટર' વાંચવું
પડે, એવું હોવાનું કારણ?
- કરવા જેવું નથી, માટે!
(હરિ બકરાણીયા, અમદાવાદ)
- કરવા જેવું નથી, માટે!
(હરિ બકરાણીયા, અમદાવાદ)
* સ્વચ્છ ભારત માટે
ટૉઇલેટની સબસિડી... કેટલી સફળ?
- આવી સબસિડીનો વિચાર આવવો, એ જ મોટી વાત નથી?
(વસંત જોષી, કોઠારા-કચ્છ)
- આવી સબસિડીનો વિચાર આવવો, એ જ મોટી વાત નથી?
(વસંત જોષી, કોઠારા-કચ્છ)
* શું રાહુલ ગાંધી
નેહરૂ-ખાનદાનના આખરી વારસદાર છે?
- નેહરૂ-કુટુંબના રસોઇયાઓ, ડ્રાયવરો કે ઘરઘાટીઓ હજી જીવે છે.
(ચીમનલાલ લાલકીયા, સુરત)
- નેહરૂ-કુટુંબના રસોઇયાઓ, ડ્રાયવરો કે ઘરઘાટીઓ હજી જીવે છે.
(ચીમનલાલ લાલકીયા, સુરત)
* આઝાદીના ૭૧-વર્ષ
બાદ ભારતના ગામેગામમાં વીજળી પહોંચી ગઈ...
- અત્યારે અમારા ફ્લેટમાં વીજળી ગઈ છે... આવે પછી જવાબ આપું.
(અજયસિંહ ચંપાવત, હિંમતનગર)
- અત્યારે અમારા ફ્લેટમાં વીજળી ગઈ છે... આવે પછી જવાબ આપું.
(અજયસિંહ ચંપાવત, હિંમતનગર)
* 'અરીસો' અને 'પડછાયા' વચ્ચે
શું તફાવત?
- પડછાયો કાળો ધબ્બ હોય... કેટલાકના અરીસા પણ!
(પરિમલ રાજદેવ, સુરેન્દ્રનગર)
- પડછાયો કાળો ધબ્બ હોય... કેટલાકના અરીસા પણ!
(પરિમલ રાજદેવ, સુરેન્દ્રનગર)
* આ 'છાશવારે' એટલે
શું?
- થૅન્ક ગૉડ... તમે કાયમ નહિ, છાશવારે જ સવાલો પૂછતા હો છો!
(ટી.એસ. પરમાર, આણંદ)
- થૅન્ક ગૉડ... તમે કાયમ નહિ, છાશવારે જ સવાલો પૂછતા હો છો!
(ટી.એસ. પરમાર, આણંદ)
* રાહુલ ગાંધી
ઠોકી-વગાડીને કહે છે, '૨૦૧૯ની ચૂંટણીમાં કૉંગ્રેસ વિજયી થઇને આવશે'...!
- બાબાને મજાક કરવાની ટેવ છે એ તો!
(રજનીકાંત ભૂંડીયા, દ્વારકા) અને (ઈન્દ્રવદન પંડયા, હરસોલ)
- બાબાને મજાક કરવાની ટેવ છે એ તો!
(રજનીકાંત ભૂંડીયા, દ્વારકા) અને (ઈન્દ્રવદન પંડયા, હરસોલ)
* 'અધિક માસ'માં
જમવાનું ય અધિક હોય?
- આપણે ગુજરાતીઓ છીએ... અધિક જમવાનું તો બારે માસ હોય!
(શૌનક રોહિત દવે, હાલોલ)
- આપણે ગુજરાતીઓ છીએ... અધિક જમવાનું તો બારે માસ હોય!
(શૌનક રોહિત દવે, હાલોલ)
* પાકિસ્તાની ટીવી
પર ક્રિકેટરો ય ભારત વિરૂદ્ધ બોલવામાં બાકી રાખતા નથી...!
- એક પણ ભારતીય એવો બતાવો, જે પાકિસ્તાન વિરૂધ્ધ બોલ્યો હોય! મૂળ સંસ્કાર તો ક્યાં જવાના?
(પ્રતિક પી. શાહ, સુરત)
- એક પણ ભારતીય એવો બતાવો, જે પાકિસ્તાન વિરૂધ્ધ બોલ્યો હોય! મૂળ સંસ્કાર તો ક્યાં જવાના?
(પ્રતિક પી. શાહ, સુરત)
* આપણા બદમાશ
પ્રધાનોને સંગમતીર્થમાં ડૂબકી મારવાની મોદીજી મનાઈ ફરમાવે, નહિ તો એ પવિત્ર સ્થાન અપવિત્ર થશે!
- ગડકરીએ બાંહેધરી આપી છે, ગંગા નદીને સાફ-સ્વચ્છ બનાવાશે. બને પછી તમારી ચિંતા દૂર કરીશું.
(પ્રવિણ શાહ, વણાકબોરી)
- ગડકરીએ બાંહેધરી આપી છે, ગંગા નદીને સાફ-સ્વચ્છ બનાવાશે. બને પછી તમારી ચિંતા દૂર કરીશું.
(પ્રવિણ શાહ, વણાકબોરી)
* 'બુરી નજરવાલે, તેરા
મુંહ કાલા', માત્ર ટ્રકો-રીક્ષાઓ પાછળ લખ્યું હોય છે, મર્સીડીઝ કે બીએમડબલ્યુ પાછળ કેમ નહિ?
- એ ગાડીઓ ભાડે ફેરવવા માટે લીધી હોતી નથી.
(સાધના નાણાવટી, ગાંધીનગર)
- એ ગાડીઓ ભાડે ફેરવવા માટે લીધી હોતી નથી.
(સાધના નાણાવટી, ગાંધીનગર)
* હવે મધ્યમ વર્ગનું
કોણ?
- એને અનામતો મળે તો દિલ્હીવાળો... નહિ તો ઉપરવાળો!
(મયંક આચાર્ય, જામનગર)
- એને અનામતો મળે તો દિલ્હીવાળો... નહિ તો ઉપરવાળો!
(મયંક આચાર્ય, જામનગર)
* સરહદે રોજ મરતા
આપણા જવાનોની રક્ષા કરવાનો કોઈ ઉકેલ નથી?
- દેશનો એકે ય રાજકીય પક્ષ એક અક્ષરે ય આતંકવાદ કે પથ્થરબાજો વિરૂધ્ધ બોલે છે? બસ, ભગવાન બચાવે આ દેશને!
(પ્રદ્યુમ્ન સી. પંડયા, અમદાવાદ)
- દેશનો એકે ય રાજકીય પક્ષ એક અક્ષરે ય આતંકવાદ કે પથ્થરબાજો વિરૂધ્ધ બોલે છે? બસ, ભગવાન બચાવે આ દેશને!
(પ્રદ્યુમ્ન સી. પંડયા, અમદાવાદ)
* નોકરી કરતા
કર્મચારીનું આ દેશમાં ભાવિ શું?
- નવયુવાન શાયર ભાવિન ગોપાણીનો શે'ર કાબિલ-એ-ગૌર છે:
'વિતાવી જિંદગી આખી એ રીતે એક શેરીમાં, વિતે છે જેમ ફાઇલનું જીવન આખું કચેરીમાં.'
(નિમિષા ગી. શાહ, વડોદરા)
- નવયુવાન શાયર ભાવિન ગોપાણીનો શે'ર કાબિલ-એ-ગૌર છે:
'વિતાવી જિંદગી આખી એ રીતે એક શેરીમાં, વિતે છે જેમ ફાઇલનું જીવન આખું કચેરીમાં.'
(નિમિષા ગી. શાહ, વડોદરા)
No comments:
Post a Comment