Search This Blog

21/05/2017

ઍનકાઉન્ટર : 21-05-2017

* કોઇ દેશ માટે રમે, કોઇ દેશ માટે મરે... તમે શું કરી શકો?
-
દેશ માટે મરવાનું ન હોય... દુશ્મનોને મારવાના હોય !
(
વર્ષાબેન જે. સુથાર, પાલનપુર)

* મારી જ વાત સાચી, એવું કેટલાક લોકો કેમ માનતા હોય છે ?
-
ધૅટ્સ ફાઈન... તમારી વાત ખોટી... ઓકે ?
(
વિનોદ માલીવાડ, આંકલાવ)

* શોકસભામાં તમે શ્રધ્ધાંજલી આપો, એને શોકસભા કહેવાય કે 'અશોકસભા'?
-
મારી પોતાની થાય પછી ખભર પડે !
(
જનક એસ. રાવલ, ગાંધીનગર)

* 'સારૂં વિચારવાનો વિચાર' શું માત્ર પુરૂષો માટે જ છે ?
-
'પુરૂષો માટે' જ ઘણું બધું હોય છે... એ ભલે પુરૂષો માટે જ રહેતું !
(
હરેશ બી. લાલવાણી, ગાંધીનગર)

* મલાઇકાએ અરબાઝ ખાન સાથે છૂટાછેડા થવાના કરોડો રૂપિયા માંગ્યા. આવી વ્યક્તિઓ સમાજને શું સંદેશો આપે છે ?
-
હવે પછી લાખ-બે લાખમાં પતે, એવી વાઇફો લાવવી.
(
અફરોઝબેન મીરાણી, મહુવા)

* યુવતીઓ તો ઠીક, આધેડ વયની મહિલાઓ ય હવે તો જીન્સ પહેરવા માંડી છે...!
-
કોઇને આટલું ઉઘાડેછોગ 'આધેડ વયનું' ન કહેવાય !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* આતંકવાદીઓ કરતા દિગ્વિજયસિંહ જેવા નેતાઓ વધુ ખતરનાક નથી ?
-
છે.
(
ઠાકોર દેસાઈ, નવસારી)

* ઘણા લોકો કૂતરા સાથે માણસ જેવો અને માણસ સાથે કૂતરા જેવો વ્યવહાર કેમ કરે છે ?
-
આપણે એકબીજા સાથે માણસ જેવો જ વ્યવહાર કરવાનો...પક્કા ?
(
કમલ ધોળકીયા, સુરેન્દ્રનગર)

* દેશને યોગી આદિત્યનાથ જેવા નેતાઓની જરૂર છે. તમે શું કહો છો ?
-
યસ. યોગી મારા પણ હીરો છે.
(
ચિરાગ જોશી, ભાવનગર)

* 'ઍનકાઉન્ટર' લખતા પોલીસ જેવી ફીલિંગ્સ આવે કે નહિ ?
-
પોલીસ થયા પછી ફીલિંગ્સની શી જરૂર પડે ?
(
સહદેવ મકવાણા, સુરત)

* આજે નવા ગીતોમાં છાંટ તો જૂનાં ગીતોની જ કેમ આવે છે ?
-
જૂનાં ગીતોમાં કોઈ'દિ નવા ગીતોની છાંટ આવતી'તી ?
(
અરબીના એમ. મૅટરવાલા, વડોદરા)

* આ વખતની આઈપીએલ કોણ જીતવાનું છે ?
-
હજી સુધી મારી પાસે કોઈ ઓફર આવી નથી.
(
જુહિત મેહતા, ભરૂચ)

* આજકાલ બાયોપિક્સનો જમાનો ચાલે છે. એક બાયોપિક તમારી આવે તો દર્શકોને જલસો પડી જાય !
-
એ લોકો 'માયોપિક' છે. ('માયોપિક' એટલે 'દૂરનું ચોખ્ખું ન જોઈ શકનારાઓ !')
(
ગમનસિંહ ઝાલા, ઉંબારી-કાંકરેજ)

* કરણ જોહરે રફી સાહેબનું અપમાન કર્યું...!
-
'મરણ' જોહર છે !
(
શ્રેયસ જોશી, રાજકોટ)

* પાંચ ટકા ઈન્કમટૅક્સ બાબતે તમારૂં શું માનવું છે ?
-
હું જે માનું છું, એ મારા ઘરવાળા ય માનતા નથી ને તમે ઈન્કમટેક્સવાળાનું પૂછો છો !
(
બિનત પટેલ, જામનગર)

* વિપક્ષોને મોદીજી પૂરા હંફાવી દે છે. શું તેમની પાસે દૈવીશક્તિ છે ?
-
અત્યારે વિપક્ષોને નહિ, કાશ્મિરના પથ્થરબાજોન સીધા કરવાની શક્તિ લાવવાની છે.
(
ચિરાગ જોશી, ભાવનગર)

* શિક્ષકોના મગજ ગરમ કેમ હોય છે ?
-
પાણીની ડોલ લઇને સ્કૂલે જવાનું રાખો.
(
દિલીપ, દેવકાપડી, ભાભર)

* બીજેપી અને શિવસેનાનું જોડાણ લાંબુ ટકશે ખરૂં ?
-
એમનું તો ભંગાણે ય લાંબુ ટકે એવું હોય છે.
(
ધવલ જે. સોની, ગોધરા)

* 'ઍનકાઉન્ટર'ને બદલે 'સર્જીકલ સ્ટ્રાઇક' કરવામાં આવે તો ?
- '
ઍનકાઉન્ટર' દર રવિવારે થાય છે.
(
અ. રહેમાન આઈ. બોગલ, ગોધરા)

* અત્યાર સુધીમાં 'ઍનકાઉન્ટર'ની સીબીઆઈએ કેટલી વાર તપાસ કરી છે ?
-
આજના સવાલોમાંથી સીબીઆઈવાળો કોણ છે, એની કેવી રીતે ખબર પડે ?
(
નીરા સરડવા, હિંમતનગર)

* 'કપિલના શો'માં સ્ત્રીના વેશમાં પુરૂષો ગમતા નથી, એવું કહેવા છતાં એ શો તમને કેમ ગમે છે ?
-
એમાં આવતી અસલી સ્ત્રીઓ તો ગમતી હોય ને ?
(
ટી.વી.બારીઆ, વડોદરા)

* આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર ક્યારે નાબૂદ થશે ?
-
કોઈ ચોખ્ખો સરમુખત્યાર આવશે ત્યારે.
(
હિરેન લાઠીદડીયા, તળાજા)

* સાચા પ્રેમની પરખ કઇ રીતે થઇ શકે ?
-
પરખ કરવા જનારાઓ પ્રેમ નથી કરી શક્તા.
(
રહીમ મલકાણી, ભાવનગર)

* લગ્નોના ભોજનમાં ડાયાબીટીસ મુક્ત અને શૂન્ય કૅલરીની વાનગીઓનું અલગ કાઉન્ટર મૂકી શકાય ?
-
ત્યાં જમવા જવાનું હોય છે... નાડી બતાવવા નહિ.
(
ધિમંત ભાવસાર, બડોલી)

* સત્યનો વિજય શક્ય કેમ નથી ?
- ...
ને તો ય 'ઍનકાઉન્ટર' ચાલે છે ને ?
  (
દીપક એમ.પંડયા, બિલિમોરા)

* અમદાવાદના હમણાંના પુસ્તકમેળામાં તમારો ઈન્ટરવ્યૂ જોયો. સ્માર્ટ લાગો છો...!
-
એમાં પાછળ આશ્ચર્યચિહ્ન મૂકવાની ક્યાં જરૂરત હતી ?
(
કવિતા જી. પટેલ, અમદાવાદ)

No comments: