* કોઇ દેશ માટે રમે, કોઇ દેશ માટે મરે... તમે શું કરી શકો?
- દેશ માટે મરવાનું ન હોય... દુશ્મનોને મારવાના હોય !
(વર્ષાબેન જે. સુથાર, પાલનપુર)
* મારી જ વાત સાચી, એવું કેટલાક લોકો કેમ માનતા હોય છે ?
- ધૅટ્સ ફાઈન... તમારી વાત ખોટી... ઓકે ?
(વિનોદ માલીવાડ, આંકલાવ)
* શોકસભામાં તમે શ્રધ્ધાંજલી આપો, એને શોકસભા કહેવાય કે 'અશોકસભા'?
- મારી પોતાની થાય પછી ખભર પડે !
(જનક એસ. રાવલ, ગાંધીનગર)
* 'સારૂં વિચારવાનો વિચાર' શું માત્ર પુરૂષો માટે જ છે ?
- 'પુરૂષો માટે' જ ઘણું બધું હોય છે... એ ભલે પુરૂષો માટે જ રહેતું !
(હરેશ બી. લાલવાણી, ગાંધીનગર)
* મલાઇકાએ અરબાઝ ખાન સાથે છૂટાછેડા થવાના કરોડો રૂપિયા માંગ્યા. આવી વ્યક્તિઓ સમાજને શું સંદેશો આપે છે ?
- હવે પછી લાખ-બે લાખમાં પતે, એવી વાઇફો લાવવી.
(અફરોઝબેન મીરાણી, મહુવા)
* યુવતીઓ તો ઠીક, આધેડ વયની મહિલાઓ ય હવે તો જીન્સ પહેરવા માંડી છે...!
- કોઇને આટલું ઉઘાડેછોગ 'આધેડ વયનું' ન કહેવાય !
(જયેશ અંતાણી, ભાવનગર)
* આતંકવાદીઓ કરતા દિગ્વિજયસિંહ જેવા નેતાઓ વધુ ખતરનાક નથી ?
- છે.
(ઠાકોર દેસાઈ, નવસારી)
* ઘણા લોકો કૂતરા સાથે માણસ જેવો અને માણસ સાથે કૂતરા જેવો વ્યવહાર કેમ કરે છે ?
- આપણે એકબીજા સાથે માણસ જેવો જ વ્યવહાર કરવાનો...પક્કા ?
(કમલ ધોળકીયા, સુરેન્દ્રનગર)
* દેશને યોગી આદિત્યનાથ જેવા નેતાઓની જરૂર છે. તમે શું કહો છો ?
- યસ. યોગી મારા પણ હીરો છે.
(ચિરાગ જોશી, ભાવનગર)
* 'ઍનકાઉન્ટર' લખતા પોલીસ જેવી ફીલિંગ્સ આવે કે નહિ ?
- પોલીસ થયા પછી ફીલિંગ્સની શી જરૂર પડે ?
(સહદેવ મકવાણા, સુરત)
* આજે નવા ગીતોમાં છાંટ તો જૂનાં ગીતોની જ કેમ આવે છે ?
- જૂનાં ગીતોમાં કોઈ'દિ નવા ગીતોની છાંટ આવતી'તી ?
(અરબીના એમ. મૅટરવાલા, વડોદરા)
* આ વખતની આઈપીએલ કોણ જીતવાનું છે ?
- હજી સુધી મારી પાસે કોઈ ઓફર આવી નથી.
(જુહિત મેહતા, ભરૂચ)
* આજકાલ બાયોપિક્સનો જમાનો ચાલે છે. એક બાયોપિક તમારી આવે તો દર્શકોને જલસો પડી જાય !
- એ લોકો 'માયોપિક' છે. ('માયોપિક' એટલે 'દૂરનું ચોખ્ખું ન જોઈ શકનારાઓ !')
(ગમનસિંહ ઝાલા, ઉંબારી-કાંકરેજ)
* કરણ જોહરે રફી સાહેબનું અપમાન કર્યું...!
- એ 'મરણ' જોહર છે !
(શ્રેયસ જોશી, રાજકોટ)
* પાંચ ટકા ઈન્કમટૅક્સ બાબતે તમારૂં શું માનવું છે ?
- હું જે માનું છું, એ મારા ઘરવાળા ય માનતા નથી ને તમે ઈન્કમટેક્સવાળાનું પૂછો છો !
(બિનત પટેલ, જામનગર)
* વિપક્ષોને મોદીજી પૂરા હંફાવી દે છે. શું તેમની પાસે દૈવીશક્તિ છે ?
- અત્યારે વિપક્ષોને નહિ, કાશ્મિરના પથ્થરબાજોન સીધા કરવાની શક્તિ લાવવાની છે.
(ચિરાગ જોશી, ભાવનગર)
* શિક્ષકોના મગજ ગરમ કેમ હોય છે ?
- પાણીની ડોલ લઇને સ્કૂલે જવાનું રાખો.
(દિલીપ, દેવકાપડી, ભાભર)
* બીજેપી અને શિવસેનાનું જોડાણ લાંબુ ટકશે ખરૂં ?
- એમનું તો ભંગાણે ય લાંબુ ટકે એવું હોય છે.
(ધવલ જે. સોની, ગોધરા)
* 'ઍનકાઉન્ટર'ને બદલે 'સર્જીકલ સ્ટ્રાઇક' કરવામાં આવે તો ?
- 'ઍનકાઉન્ટર' દર રવિવારે થાય છે.
(અ. રહેમાન આઈ. બોગલ, ગોધરા)
* અત્યાર સુધીમાં 'ઍનકાઉન્ટર'ની સીબીઆઈએ કેટલી વાર તપાસ કરી છે ?
- આજના સવાલોમાંથી સીબીઆઈવાળો કોણ છે, એની કેવી રીતે ખબર પડે ?
(નીરા સરડવા, હિંમતનગર)
* 'કપિલના શો'માં સ્ત્રીના વેશમાં પુરૂષો ગમતા નથી, એવું કહેવા છતાં એ શો તમને કેમ ગમે છે ?
- એમાં આવતી અસલી સ્ત્રીઓ તો ગમતી હોય ને ?
(ટી.વી.બારીઆ, વડોદરા)
* આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર ક્યારે નાબૂદ થશે ?
- કોઈ ચોખ્ખો સરમુખત્યાર આવશે ત્યારે.
(હિરેન લાઠીદડીયા, તળાજા)
* સાચા પ્રેમની પરખ કઇ રીતે થઇ શકે ?
- પરખ કરવા જનારાઓ પ્રેમ નથી કરી શક્તા.
(રહીમ મલકાણી, ભાવનગર)
* લગ્નોના ભોજનમાં ડાયાબીટીસ મુક્ત અને શૂન્ય કૅલરીની વાનગીઓનું અલગ કાઉન્ટર મૂકી શકાય ?
- ત્યાં જમવા જવાનું હોય છે... નાડી બતાવવા નહિ.
(ધિમંત ભાવસાર, બડોલી)
* સત્યનો વિજય શક્ય કેમ નથી ?
- ...ને તો ય 'ઍનકાઉન્ટર' ચાલે છે ને ?
(દીપક એમ.પંડયા, બિલિમોરા)
* અમદાવાદના હમણાંના પુસ્તકમેળામાં તમારો ઈન્ટરવ્યૂ જોયો. સ્માર્ટ લાગો છો...!
- એમાં પાછળ આશ્ચર્યચિહ્ન મૂકવાની ક્યાં જરૂરત હતી ?
(કવિતા જી. પટેલ, અમદાવાદ)
- દેશ માટે મરવાનું ન હોય... દુશ્મનોને મારવાના હોય !
(વર્ષાબેન જે. સુથાર, પાલનપુર)
* મારી જ વાત સાચી, એવું કેટલાક લોકો કેમ માનતા હોય છે ?
- ધૅટ્સ ફાઈન... તમારી વાત ખોટી... ઓકે ?
(વિનોદ માલીવાડ, આંકલાવ)
* શોકસભામાં તમે શ્રધ્ધાંજલી આપો, એને શોકસભા કહેવાય કે 'અશોકસભા'?
- મારી પોતાની થાય પછી ખભર પડે !
(જનક એસ. રાવલ, ગાંધીનગર)
* 'સારૂં વિચારવાનો વિચાર' શું માત્ર પુરૂષો માટે જ છે ?
- 'પુરૂષો માટે' જ ઘણું બધું હોય છે... એ ભલે પુરૂષો માટે જ રહેતું !
(હરેશ બી. લાલવાણી, ગાંધીનગર)
* મલાઇકાએ અરબાઝ ખાન સાથે છૂટાછેડા થવાના કરોડો રૂપિયા માંગ્યા. આવી વ્યક્તિઓ સમાજને શું સંદેશો આપે છે ?
- હવે પછી લાખ-બે લાખમાં પતે, એવી વાઇફો લાવવી.
(અફરોઝબેન મીરાણી, મહુવા)
* યુવતીઓ તો ઠીક, આધેડ વયની મહિલાઓ ય હવે તો જીન્સ પહેરવા માંડી છે...!
- કોઇને આટલું ઉઘાડેછોગ 'આધેડ વયનું' ન કહેવાય !
(જયેશ અંતાણી, ભાવનગર)
* આતંકવાદીઓ કરતા દિગ્વિજયસિંહ જેવા નેતાઓ વધુ ખતરનાક નથી ?
- છે.
(ઠાકોર દેસાઈ, નવસારી)
* ઘણા લોકો કૂતરા સાથે માણસ જેવો અને માણસ સાથે કૂતરા જેવો વ્યવહાર કેમ કરે છે ?
- આપણે એકબીજા સાથે માણસ જેવો જ વ્યવહાર કરવાનો...પક્કા ?
(કમલ ધોળકીયા, સુરેન્દ્રનગર)
* દેશને યોગી આદિત્યનાથ જેવા નેતાઓની જરૂર છે. તમે શું કહો છો ?
- યસ. યોગી મારા પણ હીરો છે.
(ચિરાગ જોશી, ભાવનગર)
* 'ઍનકાઉન્ટર' લખતા પોલીસ જેવી ફીલિંગ્સ આવે કે નહિ ?
- પોલીસ થયા પછી ફીલિંગ્સની શી જરૂર પડે ?
(સહદેવ મકવાણા, સુરત)
* આજે નવા ગીતોમાં છાંટ તો જૂનાં ગીતોની જ કેમ આવે છે ?
- જૂનાં ગીતોમાં કોઈ'દિ નવા ગીતોની છાંટ આવતી'તી ?
(અરબીના એમ. મૅટરવાલા, વડોદરા)
* આ વખતની આઈપીએલ કોણ જીતવાનું છે ?
- હજી સુધી મારી પાસે કોઈ ઓફર આવી નથી.
(જુહિત મેહતા, ભરૂચ)
* આજકાલ બાયોપિક્સનો જમાનો ચાલે છે. એક બાયોપિક તમારી આવે તો દર્શકોને જલસો પડી જાય !
- એ લોકો 'માયોપિક' છે. ('માયોપિક' એટલે 'દૂરનું ચોખ્ખું ન જોઈ શકનારાઓ !')
(ગમનસિંહ ઝાલા, ઉંબારી-કાંકરેજ)
* કરણ જોહરે રફી સાહેબનું અપમાન કર્યું...!
- એ 'મરણ' જોહર છે !
(શ્રેયસ જોશી, રાજકોટ)
* પાંચ ટકા ઈન્કમટૅક્સ બાબતે તમારૂં શું માનવું છે ?
- હું જે માનું છું, એ મારા ઘરવાળા ય માનતા નથી ને તમે ઈન્કમટેક્સવાળાનું પૂછો છો !
(બિનત પટેલ, જામનગર)
* વિપક્ષોને મોદીજી પૂરા હંફાવી દે છે. શું તેમની પાસે દૈવીશક્તિ છે ?
- અત્યારે વિપક્ષોને નહિ, કાશ્મિરના પથ્થરબાજોન સીધા કરવાની શક્તિ લાવવાની છે.
(ચિરાગ જોશી, ભાવનગર)
* શિક્ષકોના મગજ ગરમ કેમ હોય છે ?
- પાણીની ડોલ લઇને સ્કૂલે જવાનું રાખો.
(દિલીપ, દેવકાપડી, ભાભર)
* બીજેપી અને શિવસેનાનું જોડાણ લાંબુ ટકશે ખરૂં ?
- એમનું તો ભંગાણે ય લાંબુ ટકે એવું હોય છે.
(ધવલ જે. સોની, ગોધરા)
* 'ઍનકાઉન્ટર'ને બદલે 'સર્જીકલ સ્ટ્રાઇક' કરવામાં આવે તો ?
- 'ઍનકાઉન્ટર' દર રવિવારે થાય છે.
(અ. રહેમાન આઈ. બોગલ, ગોધરા)
* અત્યાર સુધીમાં 'ઍનકાઉન્ટર'ની સીબીઆઈએ કેટલી વાર તપાસ કરી છે ?
- આજના સવાલોમાંથી સીબીઆઈવાળો કોણ છે, એની કેવી રીતે ખબર પડે ?
(નીરા સરડવા, હિંમતનગર)
* 'કપિલના શો'માં સ્ત્રીના વેશમાં પુરૂષો ગમતા નથી, એવું કહેવા છતાં એ શો તમને કેમ ગમે છે ?
- એમાં આવતી અસલી સ્ત્રીઓ તો ગમતી હોય ને ?
(ટી.વી.બારીઆ, વડોદરા)
* આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર ક્યારે નાબૂદ થશે ?
- કોઈ ચોખ્ખો સરમુખત્યાર આવશે ત્યારે.
(હિરેન લાઠીદડીયા, તળાજા)
* સાચા પ્રેમની પરખ કઇ રીતે થઇ શકે ?
- પરખ કરવા જનારાઓ પ્રેમ નથી કરી શક્તા.
(રહીમ મલકાણી, ભાવનગર)
* લગ્નોના ભોજનમાં ડાયાબીટીસ મુક્ત અને શૂન્ય કૅલરીની વાનગીઓનું અલગ કાઉન્ટર મૂકી શકાય ?
- ત્યાં જમવા જવાનું હોય છે... નાડી બતાવવા નહિ.
(ધિમંત ભાવસાર, બડોલી)
* સત્યનો વિજય શક્ય કેમ નથી ?
- ...ને તો ય 'ઍનકાઉન્ટર' ચાલે છે ને ?
(દીપક એમ.પંડયા, બિલિમોરા)
* અમદાવાદના હમણાંના પુસ્તકમેળામાં તમારો ઈન્ટરવ્યૂ જોયો. સ્માર્ટ લાગો છો...!
- એમાં પાછળ આશ્ચર્યચિહ્ન મૂકવાની ક્યાં જરૂરત હતી ?
(કવિતા જી. પટેલ, અમદાવાદ)
No comments:
Post a Comment