* આપના મતે સાચો હાસ્ય
કલાકાર કોણ ?
- આવો સવાલ કોઇ હાસ્ય લેખકને પૂછી શકે એ.
(ચેતન ત્રિવેદી, અમદાવાદ)
* તુચ્છ ઉત્પાદનોની જાહેરાતોમાં
અમિતાભ જેવો આદરણીય કલાકાર કામ કરે, એ એની પ્રતિભાને
ઝાંખપ લાગે એવું ન કહેવાય ?
- જતે દહાડે એ પોતે તુચ્છ ન થઇ જાય, એ કારણે પણ આવી જાહેરાતોમાં આવતા રહેવું પડે !
(જયેશ અંતાણી, ભાવનગર)
* રોમિયો તો એક જ જુલિયેટને
પ્રેમ કરતો હતો, છતાં યુ.પી.માં 'એન્ટી રોમિયો
સ્કવૉડ'કેમ બન્યું ?
- બધા રોમિયો એમને ભાગે આવેલી એક જ જુલિયેટને પ્રેમ
કરે માટે !
(ચેતન ગઢવી, ધાનેરા)
* પાકિસ્તાનનો વડાપ્રધાન
શાહિદ આફ્રિદી બને તો પહેલું કામ કયું કરે ?
- આપણા માટે 'શાહિદ'નહિ 'શરીફ'જ વડાપ્રધાન તરીકે મજા કરાવે એવો છે. પાકિસ્તાનમાં
આવા બેવકૂફ, ભ્રષ્ટ અને આવડત વગરના વડાપ્રધાન ટકી રહે, એ આપણા માટે વધુ ફાયદેમંદ છે.
(ભાર્ગવ મકાણી, દહીડા- અમરેલી)
* તમે કહો છો, આપણા સંતો- કથાકારોએ એમની કથાઓમાં રાષ્ટ્રગીત ગવડાવવું
જોઇએ, પણ રાષ્ટ્રગીતના રાગડા તાણવાથી આપણા જવાનો બચી જવાના
છે ?
- ના. પણ ઓમ નમ: શિવાય, શ્રીકૃષ્ણ શરણમ મમ: કે નવકાર મંત્રો ગાવાથી દેશ ચોક્કસ
બચી જશે.
(હેમાંગિની અતુલ શાહ, અમદાવાદ)
* મારા બા મને ક્યારેય
ખીજાતા નથી... તમારા કેમ કાયમ ખીજાય છે ?
- તમારા લક્ષણો સારા હશે.
(વિશાલ જે. ભટ્ટ, ભાવનગર)
અને (જીજ્ઞોશ મુજપરા, ગોધરા) અને લતેશ ઢોલરીયા, સુરત)
* પેલું તમારી પાછળ દોડેલું, એ કૂતરાંને હવે કેમ છે ?
- એ તો પાછું અંકલેશ્વર ભેગું થઇ ગયું...!
(માહી રણા, અંકલેશ્વર)
* અક્ષયકુમારને એની ફિલ્મો
'એરલિફ્ટ'અને 'રૂસ્તમ'માટે નેશનલ
એવૉર્ડ મળ્યા...
- એ ફિલ્મો જોઇ હોત તો સરકાર પહેલા તમે એને ઍવૉર્ડસ્
આપ્યા હોત !
(સંદીપ પટેલ, અમદાવાદ)
* શત્રુઘ્ન સિન્હા દરેક
સ્થળે ખૂબ મોડા પડવાની હોબી ધરાવે છે...ને છતાં ય એને પ્રધાનપદું જોઇએ છે અને દરેક
વાતમાં વાંધાવચકાં પાડે છે...
- આનું નામ, 'જન્મજાત
વિલન'.
(પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)
* ઈંગ્લિશ 'એન્કાઉન્ટર'માં સવાલ
ગુજરાતીમાં પૂછવાના ?
- વાઉ...તમને તો ગુજરાતી ય સરસ આવડે છે !
(યોગેશ મજીઠીયા, મુંબઇ)
* દુનિયાનું સૌથી સુખદ
સ્થળ કયું ?
- સવારના ઉઠયા પછી તમને તરત મળી જાય છે, એ !
(દિલીપ સુથાર, દેવકાપડી-
ભાભર)
* આજના ભણતર વિશે તમે
શું વિચારો છો ?
- એ જ કે, એણે મને
વિચારતો કરી દીધો.
(મેઘના એન. અટારા, પોરબંદર)
* જો બાપ જીવનભર 'એટીએમ'નું કાર્ડ
બની શકે તો દીકરા કેમ એમનું 'આધાર- કાર્ડ'બનતા નથી ?
- દીકરાની વાઇફ 'ડિસ- કાર્ડ'કરી નાંખે માટે !
(રોહિન્ટન એચ. બોધાનવાલા, મુંબઇ)
* તપેલી ઠંડી હોય ત્યારે
પણ એને 'તપેલી'કેમ કહે
છે ?
- તમે આણંદમાં રહેવા છતાં 'અજમેરી'કહેવાઓ છો, એટલે !
(આદિલ શકીલએહમદ અજમેરી, આણંદ)
* તમારી અપીલને પ્રતાપે
હવે પછી અમારા સમાજના કેળવણીના વાર્ષિક કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી થશે... જય હિંદ.
- કેળવણીનો પ્રતાપ.
(ધીમંત ભાવસાર, બડોલી- ઈડર)
* તમારી પસંદગી રાજ્યસભા
માટે થાય તો તમે સ્વીકારો ખરા ?
- હું સચિન તેંડુલકર કે લતા મંગેશકર નથી કે માત્ર પોતાનો
ઈગો સંતોષવા સ્વીકારી લેવાનું, પણ જવાનું કદી ય નહિ...ત્યાંની
એક સીટ કેટલી મહત્વની છે,
એનું મૂલ્ય એમને સમજાયું નથી.
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)
* 'ઍનકાઉન્ટર'કૉલમનો વારસદાર
કોણ ?
- આ કૉલમ કોંગ્રેસ ચલાવતી નથી.
(વિનાયક શુક્લ, ગોધરા)
પાંડુના મર્યા પછી રાજગાદી
કુંતીને આપી હોત તો મહાભારતનું વિરાટ યુદ્ધ ટાળી શકાયું હોત ને ?
- એ વિરાટ યુદ્ધ જરૂરી હતું... અન્યાયનો નાશ કરવા માટે ! જગતના તમામ યુદ્ધો 'શાંતિ' માટે લડાયા
છે.
(દ્રષ્ટિ ઢેબર, જામનગર)
* સવાલ પૂછનારની માહિતી
તો માંગો છો, પણ કદી તમારો ફોન આવ્યો નથી કે નથી તમે આવ્યા !
- ભરૂચ આવીએ ત્યારે તો ભાવે ય પૂછતા નથી !
(કલ્પેશ સી. પટેલ, ભરૂચ)
* શિક્ષિત હોવા છતાં
બધા યુવાનોના લગ્ન કેમ જલ્દી થતા નથી ?
- એ તો જેટલો ટાઈમ થતો હોય એટલો થાય જ.. ઉતાવળ હોય તો
એમ ન કહેવાય કે ચાર ફેરાને બદલે અઢીમાં પતાવો ને, શુકલજી
!'
(કૌનિક પરીખ, અમદાવાદ)
No comments:
Post a Comment