* તમને કોઈ ગુરૂ બનાવે તો શિષ્ય પાસેથી ગુરૂદક્ષિણા
શું માંગો ?
- 'હવે પછી કોઈને ગુરૂ બનાવતો નહિ !'
(રક્ષિત ઉષાકર વોરા, ગાંધીનગર)
(રક્ષિત ઉષાકર વોરા, ગાંધીનગર)
* બધાને સલાહ આપવી ગમે છે... લેવી નહિ.. આમ કેમ ?
- એ આપણા દેશની સંસ્કૃતિ છે. આપવું ખરૂં. લેવું
નહિ.
(હાજી ભાઈસાહેબ 'અલવી', વડોદરા)
(હાજી ભાઈસાહેબ 'અલવી', વડોદરા)
* મહાભારતમાં આવતી 'ઐક્ષણી
સેના' એટલે કેવી સેના ?
- જે ભાગીને બૅંંગ્લોર ભેગી થઈ ગઈ હોય !
(પ્રવિણ પંડયા, પત્રી- મુંદ્રા)
(પ્રવિણ પંડયા, પત્રી- મુંદ્રા)
* દેવોના પુષ્પક વિમાનને પેટ્રોલ પમ્પ ક્યાં મળતા
હતા ?
- રાધનપુરમાં
(હર્ષદ એ.સોલંકી, રાધનપુર)
(હર્ષદ એ.સોલંકી, રાધનપુર)
* શું ખાઈને ઍન્કાઉન્ટરના જવાબો આપો છો ?
- જે ખાઈને તમે સવાલ પૂછો છો.
(વ્રજબાળા એચ.પટેલ, ગાંધીનગર)
(વ્રજબાળા એચ.પટેલ, ગાંધીનગર)
* દરેક છાપામાં 'બેસણાં' કરતાં 'શ્રધ્ધાંજલિ'ની જાહેર ખબરનો ભાવ કેમ વધુ હોય છે ?
- બેસણું તો લાઈફમાં એક જ વખત આવે...
(રસીલા ડી.શાહ, અમદાવાદ)
(રસીલા ડી.શાહ, અમદાવાદ)
* કલીયુગમાં નિર્દોષ દંડાય છે ને દોષિતો લીલાલહેર
કરે છે... આવું કેમ ?
- લાલુપ્રસાદના વિચારો ય આવા જ છે.
(ભાનુપ્રસાદ સોની, અમદાવાદ)
(ભાનુપ્રસાદ સોની, અમદાવાદ)
* જૂના અને નવા ગીતો વચ્ચે કયો તફાવત ?
- ગીત સાંભળ્યા પછી પૂછવું ન પડે કે આ નવું હતું કે
જૂનું... તો એ જૂનું સમજવું.
(મયંક આચાર્ય, જામનગર)
(મયંક આચાર્ય, જામનગર)
* કોઈ તમારા વખાણ કરે ત્યારે કેવું લાગે છે ?
- કરો તો ખબર પડે.
(શ્રીમતી ખુશ્બૂ જોબનપુત્રા, જૂનાગઢ)
(શ્રીમતી ખુશ્બૂ જોબનપુત્રા, જૂનાગઢ)
* ઘણા હાસ્યલેખકો એમના ઘરે જનારાને પોતાનું પુસ્તક
ભેટ આપે છે... તમારે કેમનું છે ?
- આવનારો કઈ ભેટ લેતો આવ્યો છે, એના ઉપર આધાર !
(રિષીત શાહ, અમદાવાદ)
(રિષીત શાહ, અમદાવાદ)
* જીએસટી વિશે શું માનો છો ?
- ટૅક્સો વિશે કાંઈ માની શકાતું નથી... ભરવાના હોય
છે.
(કિરીટ મજીઠીઆ, વડોદરા)
(કિરીટ મજીઠીઆ, વડોદરા)
* મુહમ્મદ રફી બીજા ક્યારે ?
- તમને સાંભળી લીધા પછી નિર્ણય લેવાય.
(ઇન્દ્રવદન અંતાણી, ગાંધીનગર)
(ઇન્દ્રવદન અંતાણી, ગાંધીનગર)
* ભાજપ કોઈ દૂધે ધોયેલો પક્ષ નથી અને કૉંગ્રેસ એટલો
ખરાબે ય નથી. તો પછી કૉંગ્રેસ માટે તમારો પૂર્વગ્રહ શા માટે ?
- મેં તો ભાજપના ય કોઈ દિવસ વખાણ કર્યા નથી.
(મનજીભાઈ ગોહિલ, બોટાદ)
(મનજીભાઈ ગોહિલ, બોટાદ)
* અદાલતોના પૅન્ડિંગ કૅસો સદીઓ પાર વટાવી જાય
છે...એનું શું કારણ ?
- કૅસો જેટલા લાંબા ચાલે, એટલો ડૉક્ટરો અને વકીલોને ફાયદો.
(મધુસુદન જોશી, અંજાર)
(મધુસુદન જોશી, અંજાર)
* પત્નીને અર્ધાંગિની કેમ કહેવામાં આવે છે ?
- તમારામાં પત્નીઓના નામ ન હોય ?
(કિશોર રામદેવપુત્રમ, બોટાદ)
(કિશોર રામદેવપુત્રમ, બોટાદ)
* તમારા પછી 'ઍનકાઉન્ટર' કોણ લખશે ?
- જે તમારા પછી વાંચનારો હોય એ.
( પ્રતાપભાઈ ઠાકોર, ખેરટી)
( પ્રતાપભાઈ ઠાકોર, ખેરટી)
* 'પતિ પરમેશ્વર' અને 'સ્ત્રી શક્તિ' છે...
વિરોધાભાસ નથી લાગતો ?
- આ બન્નેમાં તમે ઢીલા ક્યાં પડયા ?
(ટી.એસ.પરમાર, આણંદ)
(ટી.એસ.પરમાર, આણંદ)
* શું જીંદગી આજકાલ સસ્તી થઈ ગઈ છે ?
- આમાં ભાવતાલ કરવાનો ન હોય.
( દિલીપ વોરા, અમદાવાદ)
( દિલીપ વોરા, અમદાવાદ)
* તમે અમદાવાદમાં અવારનવાર ભૂલા કેમ પડી જાઓ છો ?
- રસ્તા પરના જે ખાડા- ટેકરાઓને લેન્ડમાર્ક ધાર્યા
હોય, એ બીજી વાર જઈએ ત્યારે મોટા થઈ ગયા હોય !
(પરિમલ રાજદેવ, સુરેન્દ્રનગર)
(પરિમલ રાજદેવ, સુરેન્દ્રનગર)
* ગુજરાતના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ આવે
તો ?
- હશે હવે... જે થવાનું હતું તે થઈ ગયું !
(રાજેશ જે. મંગી, જામનગર)
(રાજેશ જે. મંગી, જામનગર)
* ભિખારીઓને ભીખ અપાય ?
- તો બીજા કોને અપાય ?
( હાજી યુનુસ આહમદ દલાલ, મુંબઈ)
( હાજી યુનુસ આહમદ દલાલ, મુંબઈ)
* હવે અમારા શહેરની અનેક સંસ્થાઓ તેમના હરએક
કાર્યક્રમોમાં રાષ્ટ્રગીત ફરજીયાત ગવડાવે છે.
- સમય આવવાનો છે કે, પૂરા
પાકિસ્તાનમાં ય આપણું રાષ્ટ્રગીત ગવાતું હશે.
(સ્વીકૃતી કે. પટેલ, વડોદરા)
(સ્વીકૃતી કે. પટેલ, વડોદરા)
* હવે હું પણ માથામાં ખચાખચ તેલ નાંખેલી સ્ત્રી
સાથે લગ્ન કરવા માંગતો નથી. સુઉં કિયો છો ?
- યૂ મીન... તમારે ઇ.સ. ૧૯૭૦ પછીનું મૉડલ જોઈએ છે !
(જ્વલંત કેદાર ભટ્ટ, સુરત)
(જ્વલંત કેદાર ભટ્ટ, સુરત)
* સાંભળ્યું છે, તમે ખૂબ
મોડી રાત સુધી જાગો છો ?
- 'તુમ મેરે ખ્વાબોં મેં પાયલ ઉતાર કે આયા કરો,
રાત ભર યહાં પૂરા મોહલ્લા જગા રહેતા હૈ..!
(મનોજ શ્યામ રાવલ, રાજકોટ)
રાત ભર યહાં પૂરા મોહલ્લા જગા રહેતા હૈ..!
(મનોજ શ્યામ રાવલ, રાજકોટ)
* હવેના યુવાશાયરો તદ્દન તોફાની રદીફ લઈ આવે છે, ઍશ કરાવે છે... સુઉં કિયો છો ?
- તારા વિશે વિચારવાનું તો રોજનું થયું
ખુદનું ગળું દબાવવું તો રોજનું થયું
તારૂં કશુંક આપવું તહેવાર જેવું છે
ખુદનું ગળું દબાવવું તો રોજનું થયું
તારૂં કશુંક આપવું તહેવાર જેવું છે
મારૂં બધું જ
માંગવું તો રોજનું થયું
(કવિ ભાવેશ ભટ્ટ)
(કુંજન જે.પટેલ, મહેસાણા)
No comments:
Post a Comment