૧. શબરીની ઝૂંપડી વિશે શું માનો છો ?
- આપણે બધા શબરા/ શબરીઓ છીએ... ક્યારેક
તો આપણા મોંઘવારીના એંઠા બોર ખાવા પ્રભુ શ્રીરામ તો આવશે, એ આશાએ ઝૂંપડીનું રીનોવેશન કરાવે
રાખીએ છીએ.
(કિશોર વ્યાસ, ઘોઘા)
૨. સાઘુ સંતો હંમેશા ધોતી-લૂંગી જ કેમ પહેરે છે ?
- સર્વોત્તમ વૅન્ટીલેશન
(ભારતી સી. કાચા, મોરબી)
૩. સાયકલ પણ ચલાવી ન શકતા પુરૂષનું શું કરવું ?
- એને દેશ ચલાવવા આપી દો.
(જનકરાય છાયા, જૂનાગઢ)
૪. દેશને સારો નેતા ક્યારે મળશે ?
- આપણે બંને ટૉસ કરીએ ..!
(પ્રિયંક એચ. પોપટ, વેરાવળ)
૫. પ્રૂફ રીડરો જોડણી દોષ કરતા હોય તો શું સમજવું ?
- પ્રૂફ રિડરોની જોગણિ દોસિત નથી
હોતિ... હમારિ હોય છે.
(પ્રબોધ જાની, વસાઈ-ડાભલા)
૬. આપણા સઘળાં દુઃખોનું મૂળ વસ્તી વધારો છે. સુઉં કિયો છો ?
- ધર્મો છે... ધર્મો વસ્તીવધારાને ચગાવે છે.
(જતિન કવિશ્વર, વડોદરા)
૭. આપણા વડાપ્રધાન ઉપર ચારે બાજુથી ફિટકાર વરસી રહ્યો છે, છતાં
એમનું રૂંવાડું કેમ ફરકતું નથી ?
- સમજ પડે તો ફરકે ને ?
(હિતેષ વ્યાસ, ઘોઘા)
૮. વિજય હંમેશા સત્યનો જ કેમ થાય છે ?
- ગૂડ જોક.
(અંકિતા કોશીયા, ભાવનગર)
૯. વૃક્ષ અને વેલથી આપણને શીખ મળે છે કે, સબ કો ગલે સે લગાતે રહો.. આપનો શું મત
છે ?
- સબ કો એમ કાંઇ ન ભેટાય... એકવાર એક
પોલીસવાળાને ભેટવા ગયો, એમાં તો હાળાએ મારૂં પાકીટ મારી લીઘું.
(ઝૂબૈદા યુ. પૂનાવાલા, કડી)
૧૦. હિંદુઓ દરેક ધર્મને આદરથી સર ઝૂકાવે છે.. બીજા ધર્મવાળાઓ મંદિરમાં પગે ય
મૂકતા નથી.
- બીજાના ધર્મનો આદર કરતો એક માત્ર ધર્મ
હિંદુ છે, માટે તો
હેરાન થાય છે.
(પ્રવેશ વી. પ્રજાપતિ, અમદાવાદ)
૧૧. ચૂંટણી આવવાની થાય ત્યારે જ ભાજપને રામમંદિર અને કૉંગ્રેસને મુસ્લિમ
અનામતની યાદ કેમ આવે છે ?
- ભાજપ પણ મુસ્લિમોની એટલી જ આળપંપાળ
કરે છે, પણ
કોંગ્રેસને રામમંદિર કે કોઇ બી મંદિરની કાંઇ પડી નથી.
(સિદ્દીક ઇકબાલ પટેલ, અમદાવાદ)
૧૨. તમે સાહિત્ય પરિષદના પ્રમુખ કેમ નથી બનતા ?
- આ મોદી દિલ્હી જાય તો હું હવે સીધો
ચીફ મિનિસ્ટર જ બનવા માગું છું.
(લલિત ઓઝા, જૂનાગઢ)
૧૩. નામ ‘મીઠું’ છતાં
સ્વાદે ‘ખારૂં’ કેમ ?
- લિંબુના ફૂલ જેવું.
(ભાનુ જી. સોની, અમદાવાદ)
૧૪. સિદ્ધાંતવાદી વ્યક્તિ પરિવાર તેમજ સમાજમાં અપ્રિય કેમ હોય છે ?
- એ એમનો સિદ્ધાંત છે.
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)
૧૫. લોકો સ્ત્રીઓ વિશે વઘુ સવાલો કેમ પૂછે છે ?
- સ્ત્રીઓનું કામ છે, ન હોય
ત્યાંથી સવાલો ઊભા કરવાનું !
(અસગરઅલી નોમાઅનલી, બારીયા)
૧૬. ‘યથા
રાજા, તથા
પ્રજા’, એ
પરિસ્થિતિ માટે શું ભ્રષ્ટ શાસકો જવાબદાર નથી ?
- ઓહો... આ સસ્પેન્સ તો સાલો અત્યારે જ ખુલ્યો... ! ક્યા બ્બાત હૈ !!
(દિવાક એસ. વહિયા, અમદાવાદ)
૧૭. ધરમના ભાઈ-બેનનો વ્યવહાર કેવો હોવો જોઈએ ?
- સવાલ પણ વાંચો જવાબ મળી જશે.
(સુમન વડુકૂળ, રાજકોટ)
૧૮. ‘વાંચે
ગુજરાત’ની જેમ ‘પીશે
ગુજરાત’ ક્યારે
આવશે ?
- એ લોકોને ચઢેલી ઉતરે તો કાંઇ ખબર પડે
!
(જનાર્દન રાવ, અમદાવાદ)
૧૯. આ ‘લોકપાલ-લોકપાલ’ શું છે ?
- એ એક નોન-વેજ જોક છે.
(પ્રિતી સોમપુરા, વડોદરા)
૨૦. ડૉ. મનમોહનસિંહ ચાલતી વખતે બંડીના ખિસ્સામાં હાથ કેમ રાખી મૂકે છે ?
- પગ પ્રજાના ખિસ્સામાં રાખે છે.
(રણછોડ પોકીયા, મજેવડી-જૂનાગઢ)
૨૧. અગાઉના જમાનામાં લખપતિઓ હતાં. તેમની પહેલા કોઈ સેંકડો કે હજારોપતિ નહોતા ?
- આ તો પાવલી પતી ગઈ, નહિ તો
આપણા દેશમાં આજે ય ‘પાવલી પતિઓ’ હયાત
છે.
(ખુશ્બુ માલવ મારૂ, રાજકોટ)
૨૨. કંજૂસ અને કરકસર કરનાર વચ્ચે શું તફાવત ?
- સાસરે ૪-૫ દીકરીઓ હોવા છતાં એમનો પપ્પો એકને જ પરણાવે, એને કંજૂસ કહેવાય અને ઘેર જે આવે, એને
સાચવી સાચવીને જાળવી રાખો, એ કરકસર.
(કવિતા કપિલ સોતા, મુંબઈ)
૨૩. આટલી ગરમીમાં તમારો પંખો કોણ બંધ કરી નાંખે છે ?
- કહીં દઉં તો બા ખીજાય !
(હરીશ એમ. લાખાણી, પોરબંદર)
૨૪. આપનાવાળું ‘ઍનકાઉન્ટર’ અસલી છે
કે નકલી ?
- મીડિયા જાણે.
(નટવર પી. કાચા, શાપુર-સોરઠ)
૨૫. પૈસાનું પાણી કરી નાંખવું એટલે ?
- ગાડીમાં પેટ્રોલ નંખાવો એ.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)
૨૬. મને ભણવાનું યાદ નથી રહેતું, તો શું કરવું ?
- મોટા થાઓ.. ગાંધીનગરમાં નોકરી પાક્કી
!
(વારિસખાન, પાલનપુર)
૨૭. આપણા દેશના આટલા બધા નામો કેમ ? ભારત, ઇન્ડિયા, હિંદુસ્તાન..?
- કદાચ હજી ય એક નવું આવે..
રાહુલિસ્તાન.
(આશિષ એચ. વ્યાસ, વલસાડ)
No comments:
Post a Comment