* ‘કાગડા બધે કાળા’નો મતલબ ?
- ક્યાં સુધી નિઃસહાય પુરૂષોને અન્યાયો થતા રહેશે ? કાગડીઓ ય કાંઈ ધોયળી-ધોયળી નથી હોતી !
(મઘુકર પી. માંકડ, જામનગર)
* મનમોહનજી ક્યાં સુધી
આતંકવાદી કસાબજીને સાચવશે ?
- ઍકચ્યુઅલી... યૂ નો... કોંગ્રેસવાળા કસાબ કુમાર માટે કોઈ સારી કન્યા
ગોતી રહ્યા છે... ભાજપ પણ ‘વહુ-શોઘુ-અભિયાન’માં પાછળ રહી ન જાય, તે માટે
ચિંતિત છે.
(પ્રહલાદ કે, સાવડીયા, ઓડુ)
* વહુ-દીકરા સાથે શાંતિ રહે, તે
માટેની આચાર-સંહિતા કઈ?
- વૃદ્ધાશ્રમ.
(સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ)
* સોનિયા-સરકાર કીધે રાખે છે
કે, કોઈપણ કૌભાંડીને છોડવામાં નહિ આવે... ! કેટલાને પકડ્યા ?
- તમને નફરત કોંગ્રેસ ઉપર જ થતી હોય તો ન્યાયી બનો. ભાજપવાળા નવરા બેસી
રહે છે. એ લોકો ય જાણે છે કે, હવે
સત્તા ઉપર આવ્યા પછી આપણે ય આવા જ ગોરખધંધા કરવાના છે. આપણો દેશ ‘નગરશેઠનો વંડો... જે આવે એ મંડો!’
(જી.એમ.અભી, કોસાડી-કોસંબા)
* શરદી મટાડવાનો (બા ખીજાય નહિ
એવો) કોઈ સોલ્લિડ ઇલાજ ખરો ?
- બાને જ બબ્બે ધૂંટ દેવા માંડો.
(જુગલ એન. ઈનામદાર, આણંદ)
* બાબા રામદેવની યોગ શિબિરમાં
બાબા પોતે ઉઘાડે ડીલે બેસે છે, પણ
ભક્તોને પૂરા કપડાં કેમ પહેરવા દે છે?
- ...તે એમ કે... પછી કઢાઈ જ લેવાના છે ને?
(ઈન્દ્રવદન આર. પંડ્યા, હરસોલ-તલોદ)
* દીકરીના જન્મ વખતે જલેબી...
પેંડા કેમ નહિ ?
- આકારના ધોરણે... ! સ્ત્રીઓ જન્મતા વ્હેંત જ આવી આંટીધૂંટીઓવાળી હોય
છે.
(યશ/મનિષા દવે, આણંદ)
* તમે કેમ કદી પુસ્તકમેળાઓમાં દેખાતા નથી ?
- ત્યાં લોકોને મારા કરતા મારા પુસ્તકો જોવાનો રસ વઘુ હોય છે.
(સૃષ્ટિ વાય. મેહતા, અમદાવાદ)
* ભ્રષ્ટાચારની ગાડીના
ડ્રાયવર સોનિયા ને ગાર્ડ મનમોહન છે, જે કદી
લાલ ઝંડી બતાવતા જ નથી... લીલી જ કેમ બતાવે છે ?
- પ્લેટફોર્મ પરથી ગાડી ઉપડે તો ખબર પડે.
(શ્વ્લોક પૂજારા, અમદાવાદ)
* આપ શ્રી નરેન્દ્ર મોદીના
સ્થાને હો તો શું કરો ?
- ... પછી તો સવાલ એ ઊભો થાય કે, એ શું
કરે ?
(મીત/હિતેશ/કૃપાલી ગોપાણી, પાળીયાદ)
* આજના યુવક-યુવતીઓનું
જાહેરમાં બિભત્સ વર્તન જોઈને વડીલો શું વિચારતા હશે ?
- ‘આપણા સમયનું કાંઈ બદલાયું નથી.’
(ગૌરી વી. કાચા, અમદાવાદ)
* ધિંગાણે ચઢવા પોતાના
ખાંડાની ધાર કાઢી રહેલા મનમોહનસિંહ-ભા હવે ખરા ટાણે જ, ‘‘હબોહબ
ખેંચાણી ને મારી આંખ મીંચાણી’’ કહીને
શેના પાણીમાં બેસી જાય છે?
- દયા એમના સૈનિકોની આવે છે... પોતાનો પક્ષ કેવો અસરકારક છે, એ તો ગુજરાત કોંગ્રેસના નેતાઓ પાસે ય કહેવા જેવું કાંઈ રહેવા દીઘું
નથી.
(ઇન્દુ વિનોદ જોષી, અમદાવાદ)
* ભ્રષ્ટાચારી રાજકારણીઓના
ચેહરા પર શરમ જેવી કોઈ ચીજ પણ કેમ દેખાતી નથી ?
- શરમાય છે.
(નિખિલ સી. કાચા, મોરબી)
* મંદિરમાં કેટલાક ભક્તો શ્રી
ગણેશજીના વાહન ઉંદરના કાનમાં કાંઈ કહેતા હોય છે... એ શું કહેતા હશે ?
- ‘‘આવતા જન્મે અમને આપના જેવા ઉંદરશ્રી બનાવશોજી.’’
(કવિતા કપિલ સોતા, મુંબઈ)
* મકાનના દરવાજે ‘વેલકમ’ અને ‘કૂતરાથી સાવધાન’... બન્ને
પાટીયાં કેમ લગાવાય છે?
- સીધેસીઘું, ‘શેઠથી
સાવધાન’ ન લખાય માટે.
(પરિમલ કે. રાજદેવ, સુરેન્દ્રનગર)
* પ્રાધાન્ય પૈસાને અપાય છે, સંસ્કારોને કેમ નહિ ?
- ૨૧-મંગળવાર ફક્ત દૂધભાત ખાઈને કરો... બઘું ઠીકઠાક થઈ જશે.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)
* એક તરફ બાના આશીર્વાદ ને
બીજી બાજુ, ‘બા ખીજાય’... બન્ને
સાથે કેમ બને ?
- બાના આશીર્વાદ લો, તો કોઈની
બા ના ખીજાય.
(પી.આર. સોનપાલ, ભાવનગર)
* ખોપરી વિનાનો અશ્વત્થામા
હાલમાં ક્યાં તપ કરતો હશે ?
- હાલમાં ખોપરી ખાલી છે, પણ પાઘડી
પહેરી રાખી છે.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)
* ગુજરાતી સાહિત્ય પરિષદમાં ‘ચીયર્સ લીડર્સ’ મહિલાઓની ભરતી થાય તો ?
- એ બધીઓની ઉંમર ૭૦-થી ઉપરની જોઈએ.
(કુશલ ત્રિપાઠી, ન્યુયોર્ક, અમેરિકા)
* બાળકોને તેમના નાનાનાની કે
દાદાદાદી વધારે કેમ ગમે છે ?
- બન્ને નવરા!
(રિઘ્ધિ રમેશ તન્ના, મુંબઈ)
* જમીન અને પાણીના ટેક્સ પછી
હવે શું હવાના ય પૈસા ભરવા પડશે ?
- મને એટલી ખબર છે કે, મારી
સાયકલમાં હવા ભરવાના દસ પૈસા આપવા પડતા.
(શિવાની શૈલેષ માણેક, મુંબઈ)
* ‘મેહનત વિના કાંઈ મળતું નથી’ ને બીજી બાજુ એવું ય કહેવાય છે કે, ભાગ્યમાં
જે લખ્યું હોય એટલું જ મળે છે... મતલબ ?
- ભાજપ.
(ભાવના અનિલ કારીઆ, મુંબઈ)
* આપને માટે આપને મળવાપાત્ર
એવોડ્ર્સનું મહત્ત્વ કેટલું ?
- ઘણું બઘું... જોઈ જુઓ, છે કોઈ
આલનાર... ?
(છાયા આશિત કોટક, મુંબઈ)
* મંદિરો માલદાર ને પૂજારીઓ
ગરીબ કેમ ?
- ઊલટી માહિતી બદલ તમને રૂા. ૧૧/-નો પ્રસાદ ધરાવવાની સજા કરવામાં આવે
છે.
(અનિલ દેસાઈ, ઉમરેઠ)
* તમે શું તમારી જાતને અશોક
દવે સમજી બેઠા છો?
- ... ઓકે, હવેથી
માણસ સમજીશ.
(કલ્પના વી. શાહ, સુરત)
No comments:
Post a Comment