1. ‘હું તો કાગળીયા લખી લખી થાકી’... કાંઈ
જવાબ મળે ?
- ‘વીણી વીણીને’ થાકનારીઓ પણ આવું જ પૂછે છે...!
(મીના નાણાવટી, રાજકોટ)
- ‘વીણી વીણીને’ થાકનારીઓ પણ આવું જ પૂછે છે...!
(મીના નાણાવટી, રાજકોટ)
2. લાલુ
યાદવ રેલમંત્રી હતા ત્યારે કુશળ વહીવટકર્તાની છાપ હતી. તો આજે એમના જ્ઞાનનો લાભ
કેમ લેવાતો નથી ?
- લાલુની તો ખબર નથી. પણ તમે આશાસ્પદ રાજકારણી હો, એવું લાગે છે.
(સાધના નાણાવટી, જામનગર)
- લાલુની તો ખબર નથી. પણ તમે આશાસ્પદ રાજકારણી હો, એવું લાગે છે.
(સાધના નાણાવટી, જામનગર)
3. સ્ત્રીને
શક્તિનું સ્વરૂપ કહેવાય, તો
પુરૂષને સહનશકિતનું સ્વરૂપ ન કહેવાય ?
- આવી સહનશક્તિવાળાને ‘પુરૂષ’ પણ ક્યાંથી કહેવાય ?
(પલક નાણાવટી, ઓખા)
4. શું ‘આ દેશને બરબાદ કરીને જ જંપીશ’, એવા ડૉ. મનમોહનસિંઘે શપથ લીધા હશે ?
- શપથ એમણે કોંગ્રેસને બરબાદ કરવાના લીધા છે.... અને સફળ થવાની ખૂબ નજીક પણ છે.
(સુધીર ઠક્કર, જામનગર)
5. અશોકભાઈ, શાહજહાને એમની પત્ની માટે તાજમહલ બંધાવ્યો. તમારી બેગમ માટે શું બનાવવા માંગો છો ?
- ઉલ્લુ.
(સીમરન દિલીપકુમાર, મહેસાણા)
- આવી સહનશક્તિવાળાને ‘પુરૂષ’ પણ ક્યાંથી કહેવાય ?
(પલક નાણાવટી, ઓખા)
4. શું ‘આ દેશને બરબાદ કરીને જ જંપીશ’, એવા ડૉ. મનમોહનસિંઘે શપથ લીધા હશે ?
- શપથ એમણે કોંગ્રેસને બરબાદ કરવાના લીધા છે.... અને સફળ થવાની ખૂબ નજીક પણ છે.
(સુધીર ઠક્કર, જામનગર)
5. અશોકભાઈ, શાહજહાને એમની પત્ની માટે તાજમહલ બંધાવ્યો. તમારી બેગમ માટે શું બનાવવા માંગો છો ?
- ઉલ્લુ.
(સીમરન દિલીપકુમાર, મહેસાણા)
6. ખોટું
હસતી વ્યક્તિને તમે શું કહેશો ?
- કમ સે કમ... એ હસે તો છે ? આજકાલ હસનારા છે ક્યાં ?
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)
- કમ સે કમ... એ હસે તો છે ? આજકાલ હસનારા છે ક્યાં ?
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)
7. ડિમ્પલ
સાથે ગૂજારેલી કોઇ અતિ યાદગાર ક્ષણ ?
- પૅરિસના આયફલ ટાવરની અગાશીમાં બેઠા બેઠા અમે બંને દાળવડાં ખાતા હતા, ત્યારે કાગળનો ડૂચો ક્યાં નાંખવો, એની અમને બંનેને ખબર પડતી નહોતી, ત્યારે ડિમ્પુએ કીઘું, ‘આયફલ ટાવર ઇન્ડિયામાં બનાવ..! કમ-સે-કમ કાગળના ડૂચા ફેંકવાનો તો પ્રોબ્લેમ નહિ !’
(અજય વ્યાસ, બિલખા)
8. તમારે તો બોલવું છે, ‘પંખો ચાલુ કરો...’ બિલો અમારે ભરવા પડે છે. એનું શું ?
- થૅન્કસ, મારા બિલો મોકલાવું છું.
(પ્રહલાદ જે. રાવળ, રાજપિપળા)
9. તમારા મતે પાપી અને પૂણ્યશાળી વચ્ચે તફાવત શો ?
- આવો તફાવત કેવળ પૂણ્યશાળીઓ શોધવા માંગતા હોય છે.
(નિર્મેશ/રીતેશ/આશિષ, રાજપિપળા)
- પૅરિસના આયફલ ટાવરની અગાશીમાં બેઠા બેઠા અમે બંને દાળવડાં ખાતા હતા, ત્યારે કાગળનો ડૂચો ક્યાં નાંખવો, એની અમને બંનેને ખબર પડતી નહોતી, ત્યારે ડિમ્પુએ કીઘું, ‘આયફલ ટાવર ઇન્ડિયામાં બનાવ..! કમ-સે-કમ કાગળના ડૂચા ફેંકવાનો તો પ્રોબ્લેમ નહિ !’
(અજય વ્યાસ, બિલખા)
8. તમારે તો બોલવું છે, ‘પંખો ચાલુ કરો...’ બિલો અમારે ભરવા પડે છે. એનું શું ?
- થૅન્કસ, મારા બિલો મોકલાવું છું.
(પ્રહલાદ જે. રાવળ, રાજપિપળા)
9. તમારા મતે પાપી અને પૂણ્યશાળી વચ્ચે તફાવત શો ?
- આવો તફાવત કેવળ પૂણ્યશાળીઓ શોધવા માંગતા હોય છે.
(નિર્મેશ/રીતેશ/આશિષ, રાજપિપળા)
10. ગુજરાતમાં
દારૂબંધી કેમ છે ?
- પીધો લાગે છે !
(હિતેશ ચૌધરી, ઝંખવાવ-સુરત)
11. પરિવર્તન સંસારનો નિયમ છે. તો આપનામાં શું પરિવર્તન આવ્યું છે ?
- નથી આવ્યું. હું હજી પુરૂષ જ છું.
(શીતલ કે. દેવલૂક, કોડિનાર)
12. અમેરિકા મંદીમાંથી બચી ગયું.. નાદાર થતા થતાં રહી ગયું. હવે તો ભારત અમેરિકા જેવું થઇ ગયું કહેવાય ને ?
- ના. હજી આપણા કરતા ય એને નીચું લઇ જવું હોય તો, ડૉ. મનમોહનસિંઘને એકાદ આંટો ત્યાં મારી આવવા દો.
(મેઘાવી હેમંત મહેતા, સુરત)
13. ચાણક્યએ દુશ્મનને મૂળમાંથી પતાવી દેવાની હિમાયત કરી હતી. તમે શું માનો છો ?
- મારા દુશ્મનોને આટલો મોટો દોસ્ત ગૂમાવવો પડ્યો છે, એનાથી વધારે એમને સજા કઇ ?
(ધ્રૂવ પંચાસરા, વિરમગામ)
- પીધો લાગે છે !
(હિતેશ ચૌધરી, ઝંખવાવ-સુરત)
11. પરિવર્તન સંસારનો નિયમ છે. તો આપનામાં શું પરિવર્તન આવ્યું છે ?
- નથી આવ્યું. હું હજી પુરૂષ જ છું.
(શીતલ કે. દેવલૂક, કોડિનાર)
12. અમેરિકા મંદીમાંથી બચી ગયું.. નાદાર થતા થતાં રહી ગયું. હવે તો ભારત અમેરિકા જેવું થઇ ગયું કહેવાય ને ?
- ના. હજી આપણા કરતા ય એને નીચું લઇ જવું હોય તો, ડૉ. મનમોહનસિંઘને એકાદ આંટો ત્યાં મારી આવવા દો.
(મેઘાવી હેમંત મહેતા, સુરત)
13. ચાણક્યએ દુશ્મનને મૂળમાંથી પતાવી દેવાની હિમાયત કરી હતી. તમે શું માનો છો ?
- મારા દુશ્મનોને આટલો મોટો દોસ્ત ગૂમાવવો પડ્યો છે, એનાથી વધારે એમને સજા કઇ ?
(ધ્રૂવ પંચાસરા, વિરમગામ)
14. સંસારીઓ
કરતા સંન્યાસીઓ પાસે માયાની આટલી બધી માયા કેમ હોય છે ?
- નિરંતર ગુરૂઓના સાનિઘ્યમાં રહેતી સ્ત્રીઓને એમના ગોરધન એ સુખ ન આપી શકતા હોય, એટલે માયાને સન્યાસીઓ પાસે પ્રગટ થવું પડે ! સબ માયા કા ખેલ હૈ, બાબા !
(સલમા મણિયાર, વિરમગામ)
- નિરંતર ગુરૂઓના સાનિઘ્યમાં રહેતી સ્ત્રીઓને એમના ગોરધન એ સુખ ન આપી શકતા હોય, એટલે માયાને સન્યાસીઓ પાસે પ્રગટ થવું પડે ! સબ માયા કા ખેલ હૈ, બાબા !
(સલમા મણિયાર, વિરમગામ)
15. સદા
યુવાન દેખાવાનો કોઇ ઉપાય ખરો ?
- યુવાન દેખાવવું નહિ, યુવાન સાબિત થવું જરૂરી છે.
(હિતેશ એસ. દેસાઇ, તલીયારા-નવસારી)
16. હવે તો ગાંધી ટોપીના ય બ્લૅક બોલાય છે... સુઉં કિયો છો ?
- હવે નહિ બોલાય... ! અન્નાવાળું પતી ગયું !
(રમેશ સુતરીયા, મુંબઇ)
17. બાપુ પહેલા કેડે તલવાર રાખતા.. હવે મોબાઇલ રાખે છે, શું સમજવું ?
- બેમાંથી ક્યાં કાંઇ વાપરવું હોય.. !
(રૂદ્રેશ અઘ્વર્યૂ, અમદાવાદ)
18. ભ્રષ્ટાચાર માટે નોબેલ પારિતોષિક શરૂ થાય તો આપણા દેશમાં કોને મળે ?
- નોબેલ નહિ, ‘ગોબેલ્સ પ્રાઇઝ !’
(રાજેશ જાની, ખાંભા)
19 . ‘ઍનકાઉન્ટર’માં મહિલાઓ માટે પત્રથી નહિ, મોબાઈલથી સવાલ પૂછવાની છુટ આપો.
- લખી લો મારો મોબાઈલ નંબર....૦૦૦૦૦-૦૦૦૦૦.
(વિભૂતિ નાણાવટી, રાજકોટ)
20. અખબારોમાં મૃત્યુનોંધ અને બેસણાંની જા.ખ. આવે છે.. બાળક જન્મની કેમ નહિ ?
- રોજ દસ હજાર પાનાનું છાપું તો ના કઢાય ને ?
(વંદિત નાણાવટી, રાજકોટ)
21. આપના ચાહકો વધતા જ જાય છે, છતાં ‘ઍનકાઉન્ટર’ બમણું કેમ કરતા નથી?
- ચાહકો અડધા ન થઇ જાય માટે.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)
- યુવાન દેખાવવું નહિ, યુવાન સાબિત થવું જરૂરી છે.
(હિતેશ એસ. દેસાઇ, તલીયારા-નવસારી)
16. હવે તો ગાંધી ટોપીના ય બ્લૅક બોલાય છે... સુઉં કિયો છો ?
- હવે નહિ બોલાય... ! અન્નાવાળું પતી ગયું !
(રમેશ સુતરીયા, મુંબઇ)
17. બાપુ પહેલા કેડે તલવાર રાખતા.. હવે મોબાઇલ રાખે છે, શું સમજવું ?
- બેમાંથી ક્યાં કાંઇ વાપરવું હોય.. !
(રૂદ્રેશ અઘ્વર્યૂ, અમદાવાદ)
18. ભ્રષ્ટાચાર માટે નોબેલ પારિતોષિક શરૂ થાય તો આપણા દેશમાં કોને મળે ?
- નોબેલ નહિ, ‘ગોબેલ્સ પ્રાઇઝ !’
(રાજેશ જાની, ખાંભા)
19 . ‘ઍનકાઉન્ટર’માં મહિલાઓ માટે પત્રથી નહિ, મોબાઈલથી સવાલ પૂછવાની છુટ આપો.
- લખી લો મારો મોબાઈલ નંબર....૦૦૦૦૦-૦૦૦૦૦.
(વિભૂતિ નાણાવટી, રાજકોટ)
20. અખબારોમાં મૃત્યુનોંધ અને બેસણાંની જા.ખ. આવે છે.. બાળક જન્મની કેમ નહિ ?
- રોજ દસ હજાર પાનાનું છાપું તો ના કઢાય ને ?
(વંદિત નાણાવટી, રાજકોટ)
21. આપના ચાહકો વધતા જ જાય છે, છતાં ‘ઍનકાઉન્ટર’ બમણું કેમ કરતા નથી?
- ચાહકો અડધા ન થઇ જાય માટે.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)
22. પુરૂષો મહિલાઓમાં આખરે શું શોધે છે ?
- એ મહિલા છે કે નહિ, તે !
(ભરત ડી. સાંખલા, ડીસા)
23. બાને દીકરા ઉપર જેટલો પ્રેમ હોય, એટલો વહુ ઉપર કેમ નથી હોતો ?
- પહેલેથી વહુને દીકરી ગણી હોય તો દીકરા કરતા ય વઘુ પ્રેમ હોય !
(બચુભાઈ સોની, ધોરાજી)
24. ચુંટણી વખતે આપેલા વચનો પછી નેતાઓ નિભાવતા કેમ નથી ?
- નેતાઓ પ્રેમિકા જેવા હોય છે.
(દિવ્યાંગ જોશી, અગિયોલ-હિંમતનગર)
25. સાસુ-વહના ઝગડામાં પતિએ કોનો પક્ષ ખેંચવો ? મા નો કે પત્નીનો ?
- જે બાજુ હિંમત રહી હોય, એનો !
(ચેતના પી. જોશી, આગિયોલ-હિંમતનગર)
26. અન્ના અને રામદેવની નિષ્ફળતા પછી અમને તમારા ઉપર શ્રઘ્ધા છે.. આગેવાની લેશો ?
- મને આટલો બધો ફાલતુ માન્યો... ?
(કૌશિક એ. દવે, સુરેન્દ્રનગર)
27. ‘ઍક્યુપ્રેશર’... એ કયું પ્રેશર ?
- ગમે ત્યાં ના દબાવી મરાય, એ પ્રેશર.
(દિલીપ જે. ધંઘૂકીયા, અમદાવાદ)
28 કોલસા-કૌભાંડમાં ડૉ. મનમોહનની લાચારી શું છે ?
- એમને માટે વિપ્લવી કવિ કૃષ્ણ દવેનો શે’ર કાફી છે :
‘ફાઈવ સ્ટાર વૃક્ષની સામે, પંખી કરે દલીલ,
એક પળ ડાળીએ બેઠા ને આવડું મોટું બિલ ?’
- એ મહિલા છે કે નહિ, તે !
(ભરત ડી. સાંખલા, ડીસા)
23. બાને દીકરા ઉપર જેટલો પ્રેમ હોય, એટલો વહુ ઉપર કેમ નથી હોતો ?
- પહેલેથી વહુને દીકરી ગણી હોય તો દીકરા કરતા ય વઘુ પ્રેમ હોય !
(બચુભાઈ સોની, ધોરાજી)
24. ચુંટણી વખતે આપેલા વચનો પછી નેતાઓ નિભાવતા કેમ નથી ?
- નેતાઓ પ્રેમિકા જેવા હોય છે.
(દિવ્યાંગ જોશી, અગિયોલ-હિંમતનગર)
25. સાસુ-વહના ઝગડામાં પતિએ કોનો પક્ષ ખેંચવો ? મા નો કે પત્નીનો ?
- જે બાજુ હિંમત રહી હોય, એનો !
(ચેતના પી. જોશી, આગિયોલ-હિંમતનગર)
26. અન્ના અને રામદેવની નિષ્ફળતા પછી અમને તમારા ઉપર શ્રઘ્ધા છે.. આગેવાની લેશો ?
- મને આટલો બધો ફાલતુ માન્યો... ?
(કૌશિક એ. દવે, સુરેન્દ્રનગર)
27. ‘ઍક્યુપ્રેશર’... એ કયું પ્રેશર ?
- ગમે ત્યાં ના દબાવી મરાય, એ પ્રેશર.
(દિલીપ જે. ધંઘૂકીયા, અમદાવાદ)
28 કોલસા-કૌભાંડમાં ડૉ. મનમોહનની લાચારી શું છે ?
- એમને માટે વિપ્લવી કવિ કૃષ્ણ દવેનો શે’ર કાફી છે :
‘ફાઈવ સ્ટાર વૃક્ષની સામે, પંખી કરે દલીલ,
એક પળ ડાળીએ બેઠા ને આવડું મોટું બિલ ?’
No comments:
Post a Comment