Search This Blog

11/06/2017

ઍનકાઉન્ટર : 11-06-2017

* તમને સૅન્સર બોર્ડના ચૅરમેન બનાવવામાં આવે, તો 'ખુલ્લી' છુટ વધારો કે ઘટાડો?
- હિંદી જવા દો, ઈવન ગુજરાતી ફિલ્મોમાં ય જે રીતે ઉઘાડી છુટો અપાય- લેવાય છે, તે કોઇ પણ સંસ્કારી પરિવારને છાજે નહિ.
(
જયેશ અંતાણી, ભાવનગર)

* ભોળા રહીને 'ભોટ' ગણાવવું સારૂં કે બદમાશ થઇને 'સારા માણસ' ગણાવવું સારૂં ?
- તમે મને શું ગણો છો ?
(
અફરોઝબેન મીરાણી, મહુવા)

* 'ઈવીએમ' જેવા આક્ષેપને હસી કાઢવાને બદલે મતગણતરીનું પુનઃમુલ્યાંક ન થવું જોઇએ ?
- હવે તમને પણ હસી કાઢવા પડશે. કાલ ઉઠીને અંગૂઠાની છાપથી વોટિંગ થાય ને સ્ટુપિડ નેતા એનું ય પુનઃ મૂલ્યાંકન કરાવવા માંગે તો બીજો અંગૂઠો લાવવો ક્યાંથી ?
(
વાહિદ સૈયદ, ધંધૂકા)

* દેશમાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ બંધ થશે, ત્યારે સાચું રામરાજ્ય આવશે. તમે શું માનો છો ?
- આટલા ઉચ્ચ વિચારો ધરાવો છો... કાલ ઉઠીને આ બન્ને આશ્રમો બંધ પણ થાય, તો સ્વયં તમે એમાંના એકે ય અનાથ કે વૃદ્ધને તમારા ઘેર રાખવા તૈયાર છો ?
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* દલિલબાજીમાં તો સ્ત્રીઓને કોઇ ન પહોંચે, છતાં અદાલતોમાં વકીલો તરીકે પુરૂષોની સંખ્યા વધારે કેમ હોય છે ?
- તમને તો અદાલતોમાં ય શાંતિ ગમતી નથી !
(
ધિમંત ભાવસાર, બડોલી- ઈડર)

* સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. પણ સુંદર બનવા શું કરવું પડે ?
- બુદ્ધિમાન સાબિત થવું પડે.
(
ધવલ જે. સોની, ગોધરા)

* અમુક ઉંમર પછી લાઇફમાં કોઇ મઝા રહેતી નથી. તમારો શું અભિપ્રાય ?
- અત્યાર સુધી તો મને ઉંમર ક્યાંય નડી નથી. બધું બરોબર છે !
(
રહિમ મલાકાણી, ભાવનગર)

* તમે દ્વિવેદી (દવે) છો અને આટલા ઍનકાઉન્ટરો કરો છો. ત્રિવેદી કે ચતુર્વેદી હોત તો કેટલાં કરત ?
- તો એ કામ હું 'પંચાલોને' સોંપત !
(
વિપુલ ચપલા, વડોદરા)

* મારા વિસ્તારમાં માણસો કરતા મંદિરો વધારે છે. ટ્રાફિક- સમસ્યા જાન જોખમમાં મૂકી શકે છે. કોઇ ઉપાય ?
- સ્કૂટર- રીક્ષા કે સાયકલોને રાહદારીઓ સાથે ફૂટપાથ પર ચલાવો !
(
બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

* તમારો 'પગના નખ' વિશેનો લેખ બહુ ગમ્યો. તમે કેટલા નખ કાપો છો ?
- એ તો ગ્રાહકો કેટલા આવે છે, એના ઉપર આધાર છે.
(
નયન ખંડોર, મુંબઇ)

* સ્ત્રીઓના સન્માન બાબતે તમારૂં શું માનવું છે ?
- એ લોકો તમને જેટલું આપે, એટલું જ સામે આપવું !
(
દીપક પંડયા, બિલિમોરા)

* એક યોગી યોગ કરીને અબજોપતિ બિઝનૅસમૅન બની ગયા. બીજા મુખ્યમંત્રી બન્યા. તમે શું માનો છો ?
- આમે ય હું માથે ટકો કરાવવાનો જ છું... પછી લાંબા જટીયાં રાખીશ.
(
મધુકર મેહતા, વિસનગર)

* ફલાણી કપનીના ગંજી પહેરવાથી શરીરમાં મર્દોની તાકાત આવી જાય છે, એવી જાહેરાતો ટીવીમાં આવે છે. તો શું હવે અન્નદાનને બદલે 'ગંજીદાનો' શરૂ થશે ?
- હા. લોકો પોતે પહેરી લીધેલા ગંજીઓના છુટથી દાન કરશે.
(
વિદુર પંડયા, ગાંધીનગર)

* ઇ.સ. ૨૦૧૯ની ચૂંટણીઓમાં કૉંગ્રેસનું શું થશે ?
- ખબર નહિ, પણ ત્યાં સુધીમાં તો બાબાભ'ઇના લગ્ન તો થઇ જશે ને ?
(
કિશન મોરાણીયા, સાપુતારા)

* યોગી આદિત્યનાથ વિશે શું કહેવું છે ?
- મોદી ભાગ બીજો.
(
મૌલિક ગજેરા, વડોદરા)

* આપની દ્રષ્ટિએ લવ- મેરેજ સારા કે ઍરેન્જ્ડ મેરેજ ?
- કન્યા જોયા પછી કહું.
(સોહમ બી. દવે, અમદાવાદ)

ભારતમાં બિનસાંપ્રદાયિક સરકાર નહિ હોય તો આગળ જતા તકલીફ પડશે. તમે શું કહો છો
?
- કોને તકલીફ પડશે, એ તમે જણાવ્યું નથી.
(
ડો. શ્રેણિક દલાલ, અમદાવાદ)

* રાષ્ટ્રપતિ તરીકે અડવાણી કે અન્ના હજારે યોગ્ય ગણાય. તમે શું માનો છો ?
- હું તમને ક્યાં નડયો ?
(
હેમંત નાઇક, પથરી- મહારાષ્ટ્ર)

* 'એનકાઉન્ટર'માં તમને આજ સુધીનો સર્વોત્તમ સવાલ કયો લાગ્યો ?
- જેમાં લોકો પોતાનું નામ જ લખે છે. સવાલ અને સરનામું ભૂલી જાય છે તે.
(
પ્રિન્સ ભાલોડીયા, સુરત)

* તમારા જવાબ સવાલને સંબંધિત કેમ નથી હોતા ?
- એવા જવાબો તમને 'આરોગ્ય વિષયક પ્રશ્નોત્તરી'માંથી મળી રહેશે. ખોટી જગ્યાએ ભરાઇ પડયા !
(
રીતિકા શાહ, મુંબઇ)

No comments: