* પ્રાઈમ
મિનિસ્ટરનું નવું સૂત્ર.... 'ઊંઘતો નથી ને ઊંઘવા
દેતો નથી.'
- હું જાગું, ત્યારે આ સવાલ મને પૂછજો.
(ધવલ જે. સોની, ગોધરા)
* સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રગીતને ફરજીયાત બનાવ્યું...
- દેશના તમામ કથા- કિર્તનકારો જંગી મેદની ઊભી કરી શકે છે, એમની કથામાં રાષ્ટ્રગીત ફરજીયાત બનાવવું જ પડે. રામધૂન કે નવકાર મંત્રજાપ સાથે રાષ્ટ્રગીત હોવું જ જોઈએ. સંતોએ કોર્ટના આદેશની રાહ જોવાની ક્યાં જરૂર છે ? આ હવે મારૂં એકલાનું અભિયાન છે.
(કેવલ કાછીયા, ઉમરેઠ)
* 'વાંદરો ઘરડો થાય, તો ય ગુલાંટ ન ભૂલે', એ કહેવત પુરૂષોને સંબંધિત જ કેમ ?
- ઘયઢે ઘડપણ આવી તંદુરસ્તી તો પુરૂષોની જ હોય, માટે !
(જયેશ અંતાણી, ભાવનગર)
* નોટબંધીની અસર તમારા ઉપર શું થઈ ?
- બે ઘડી ગમ્મત એ તો... !
(દિવ્યા સાણંદીયા, સુરત)
* ખાખી કપડાં જોઈને કૂતરાં કેમ ભસે છે ?
- સમદુખીયાઓ.
(ડૉ. અભિલાષ એ. વસાવડા, જૂનાગઢ)
* તમને અમારા સવાલો ગમતા નથી ?
- ચલો, બીજો સવાલ...
(રોહિત દરજી, હિમતનગર)
* મમતા બેનર્જી સત્તા માટે કેટલા નીચે જશે ?
- રામાયણમાં એક કૈકેયી તો જોઈએ !
(મધુકર મહેતા, વિસનગર)
* આપણી હિંદી ભાષા બગડી રહી છે ?
- હજી અમિતાભ બચ્ચન કે આશિષ વિદ્યાર્થી જેવાઓ સુંદર હિંદી બોલી રહ્યા છે, ત્યાં સુધી વાંધો નહિ આવે.
(ધર્મેશ વેકરીયા, જૂની ચાવંડ- વિસાવદર)
* સમય બદલાવા છતાં લોકોનો હિંદી ફિલ્મો જોવાનો શોખ ઓછો કેમ નથી થતો ?
- રોજે રોજ યુ.પી.ની ચૂંટણીઓના સમાચારો ટીવી પર જોવા કરતા ફિલ્મ જોવી સસ્તી પડે.
(ધ્રૂવ પંચાસરા, વીરમગામ)
* લાઈનોમાં ઊભા રહી હેરાન થવા છતાં લોકો મોદીના હજી વખાણ કેમ કરે છે ?
- કોઈનો એવો સ્વભાવ... !
(નિધી રાજેશભાઈ શાહ, વલ્લભીપુર)
* તમારે તો 'એનકાઉન્ટર ટ્રાવેલ્સ'ની બસો શરૂ કરવી જોઈએ... આના કરતા વધારે કમાશો.
- ચાલુ બસે ડ્રાયવિંગ કરતા કરતા ઝોકાં ખાવા સારા... પેસેન્જરોના સવાલોના જવાબો આપવા ના પોસાય.
(હેમલ માંકડ, જામનગર)
* તમે કદી ભૂત જોયું છે ? તમારી સામે ભૂત આવી જાય તો શું કરો ?
- બિનશરતી શરણાગતી... વર્ષો પહેલા આમ જ અચાનક મારા સાસુ સામે આવી ગયા હતા.
(માધવ જે. ધ્રૂવ, જામનગર)
* તમારા મતે સાચો દેશભક્ત કોણ ?
- તમે.
(જયદીપસિંહ ચુડાસમા, દેવગાણા- રાણપુર)
* સૌથી વધુ ચાલે એ શું ? મિત્રતા કે લગ્નજીવન ?
- તમે સ્પષ્ટતા કરી નથી કે, એ બન્ને એક જ વ્યક્તિ સાથે કે જુદી જુદી બે વ્યક્તિઓ સાથે ?
(મયૂરી પંચાલ, અમદાવાદ)
* ઈન્ડિયામાં રોડ બનાવતા પહેલા બમ્પ બનાવવાની ઉતાવળ કેમ ?
- કોઈ પણ બમ્પ પછી નજીકમાં હાડકાના ડૉક્ટર (ઓર્થોપેડિક)ના દવાખાના હોય છે...
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)
* પરીક્ષામાં સારા માકર્સે પાસ થવા શું કરવું જોઈએ ?
- સારો વિદ્યાર્થી શિક્ષકને જાણતો હોય છે અને સફળ વિદ્યાર્થી સ્કૂલના ટ્રસ્ટીને.
(જય પરમાર, બોટાદ)
* અનામત ભારતની કમનસીબી છે, પણ એના વિરૂદ્ધમાં કેમ કોઈ બોલી શકતું નથી?
- બોલવાનું ક્યાં... ? હું તો લખી ય શકતો નથી.
(ડૉ. નિકુંજ સખીયા, આણંદ)
* આપણે પરમિટ લઈ લીધી છે... ક્યારેક આવો, બોસ.
- બા ખીજાય.
(મુકેશ નાયક, નવસારી)
* યુપીએ (બારામતી)ના એક મિનિસ્ટરે રૃા. સાત કરોડ બિનહિસાબી જાહેર કર્યા... કોઈ સજા નહિ. 'સમર્થ કો નહિ દોષ ગુસાંઈ... ?'
- ૨૦- ૨૫ વર્ષમાં મોદીસાહેબ વિફરશે તો આ બધા ઊંચા થઈ જશે... હઓ !
(પ્રણવ કારીઆ, મુંબઈ)
* મારૂં સામાન્ય જ્ઞાન બરોબર નથી. સુધારવા શું કરવું જોઈએ ?
- 'એનકાઉન્ટર' જેવી કોલમો ન વાંચવી જોઈએ.
(ડૉ. મયંક છાયા, અમદાવાદ)
* તમે સ્મોકિંગ છોડી દીધું, એ ફિલ્મ 'હમદોનો'માં સાધનાથી પ્રેરાઈને... ?
- હા, પણ એ પછી શરાબ પીતા પીતા દેવ આનંદ ગાય છે, 'કભી ખુદ પે, કભી હાલાત પે રોના આયા...' પણ જોવું પડે એમ હતું ને ?
(વિપુલ ચપલા, વડોદરા)
* મંદિરમાં ન જઈએ અને હૃદયપૂર્વક ઈશ્વરભક્તિ કરીએ, તો નાસ્તિક કહેવાય ?
- કોઈ તમને નાસ્તિક કે આસ્તિક માને, તેથી તમને કે ઈશ્વરને શું ફરક પડે ?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)
* જૂનાં ફિલ્મી ગીતો હવે તો રેડિયો કે ટીવી પર એકના એક ચવાયેલા આવે છે. શું કરવું?
- જાતે ગાઈ લેવા સારા...
(દીપ્તિ ચેતન દવે, અમદાવાદ)
* દેશને મહાન બનાવવા આજના યુવાનોએ શું કરવું જોઈએ ?
- યુવાન રહેવું જોઈએ.
(સુશીલ વાઘેલા, મંજુસર- સાવલી)
* સવાલ પૂછનારનું સરનામું તો એવી રીતે માંગો છો, જાણે તમે મારા ઘેર આવીને ચા- નાસ્તો કરવાના હો !
- મુંબઈ આવીને 'ચા' ન પીવાય !
(આદિશ શાહ, મુંબઈ)
- હું જાગું, ત્યારે આ સવાલ મને પૂછજો.
(ધવલ જે. સોની, ગોધરા)
* સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રગીતને ફરજીયાત બનાવ્યું...
- દેશના તમામ કથા- કિર્તનકારો જંગી મેદની ઊભી કરી શકે છે, એમની કથામાં રાષ્ટ્રગીત ફરજીયાત બનાવવું જ પડે. રામધૂન કે નવકાર મંત્રજાપ સાથે રાષ્ટ્રગીત હોવું જ જોઈએ. સંતોએ કોર્ટના આદેશની રાહ જોવાની ક્યાં જરૂર છે ? આ હવે મારૂં એકલાનું અભિયાન છે.
(કેવલ કાછીયા, ઉમરેઠ)
* 'વાંદરો ઘરડો થાય, તો ય ગુલાંટ ન ભૂલે', એ કહેવત પુરૂષોને સંબંધિત જ કેમ ?
- ઘયઢે ઘડપણ આવી તંદુરસ્તી તો પુરૂષોની જ હોય, માટે !
(જયેશ અંતાણી, ભાવનગર)
* નોટબંધીની અસર તમારા ઉપર શું થઈ ?
- બે ઘડી ગમ્મત એ તો... !
(દિવ્યા સાણંદીયા, સુરત)
* ખાખી કપડાં જોઈને કૂતરાં કેમ ભસે છે ?
- સમદુખીયાઓ.
(ડૉ. અભિલાષ એ. વસાવડા, જૂનાગઢ)
* તમને અમારા સવાલો ગમતા નથી ?
- ચલો, બીજો સવાલ...
(રોહિત દરજી, હિમતનગર)
* મમતા બેનર્જી સત્તા માટે કેટલા નીચે જશે ?
- રામાયણમાં એક કૈકેયી તો જોઈએ !
(મધુકર મહેતા, વિસનગર)
* આપણી હિંદી ભાષા બગડી રહી છે ?
- હજી અમિતાભ બચ્ચન કે આશિષ વિદ્યાર્થી જેવાઓ સુંદર હિંદી બોલી રહ્યા છે, ત્યાં સુધી વાંધો નહિ આવે.
(ધર્મેશ વેકરીયા, જૂની ચાવંડ- વિસાવદર)
* સમય બદલાવા છતાં લોકોનો હિંદી ફિલ્મો જોવાનો શોખ ઓછો કેમ નથી થતો ?
- રોજે રોજ યુ.પી.ની ચૂંટણીઓના સમાચારો ટીવી પર જોવા કરતા ફિલ્મ જોવી સસ્તી પડે.
(ધ્રૂવ પંચાસરા, વીરમગામ)
* લાઈનોમાં ઊભા રહી હેરાન થવા છતાં લોકો મોદીના હજી વખાણ કેમ કરે છે ?
- કોઈનો એવો સ્વભાવ... !
(નિધી રાજેશભાઈ શાહ, વલ્લભીપુર)
* તમારે તો 'એનકાઉન્ટર ટ્રાવેલ્સ'ની બસો શરૂ કરવી જોઈએ... આના કરતા વધારે કમાશો.
- ચાલુ બસે ડ્રાયવિંગ કરતા કરતા ઝોકાં ખાવા સારા... પેસેન્જરોના સવાલોના જવાબો આપવા ના પોસાય.
(હેમલ માંકડ, જામનગર)
* તમે કદી ભૂત જોયું છે ? તમારી સામે ભૂત આવી જાય તો શું કરો ?
- બિનશરતી શરણાગતી... વર્ષો પહેલા આમ જ અચાનક મારા સાસુ સામે આવી ગયા હતા.
(માધવ જે. ધ્રૂવ, જામનગર)
* તમારા મતે સાચો દેશભક્ત કોણ ?
- તમે.
(જયદીપસિંહ ચુડાસમા, દેવગાણા- રાણપુર)
* સૌથી વધુ ચાલે એ શું ? મિત્રતા કે લગ્નજીવન ?
- તમે સ્પષ્ટતા કરી નથી કે, એ બન્ને એક જ વ્યક્તિ સાથે કે જુદી જુદી બે વ્યક્તિઓ સાથે ?
(મયૂરી પંચાલ, અમદાવાદ)
* ઈન્ડિયામાં રોડ બનાવતા પહેલા બમ્પ બનાવવાની ઉતાવળ કેમ ?
- કોઈ પણ બમ્પ પછી નજીકમાં હાડકાના ડૉક્ટર (ઓર્થોપેડિક)ના દવાખાના હોય છે...
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)
* પરીક્ષામાં સારા માકર્સે પાસ થવા શું કરવું જોઈએ ?
- સારો વિદ્યાર્થી શિક્ષકને જાણતો હોય છે અને સફળ વિદ્યાર્થી સ્કૂલના ટ્રસ્ટીને.
(જય પરમાર, બોટાદ)
* અનામત ભારતની કમનસીબી છે, પણ એના વિરૂદ્ધમાં કેમ કોઈ બોલી શકતું નથી?
- બોલવાનું ક્યાં... ? હું તો લખી ય શકતો નથી.
(ડૉ. નિકુંજ સખીયા, આણંદ)
* આપણે પરમિટ લઈ લીધી છે... ક્યારેક આવો, બોસ.
- બા ખીજાય.
(મુકેશ નાયક, નવસારી)
* યુપીએ (બારામતી)ના એક મિનિસ્ટરે રૃા. સાત કરોડ બિનહિસાબી જાહેર કર્યા... કોઈ સજા નહિ. 'સમર્થ કો નહિ દોષ ગુસાંઈ... ?'
- ૨૦- ૨૫ વર્ષમાં મોદીસાહેબ વિફરશે તો આ બધા ઊંચા થઈ જશે... હઓ !
(પ્રણવ કારીઆ, મુંબઈ)
* મારૂં સામાન્ય જ્ઞાન બરોબર નથી. સુધારવા શું કરવું જોઈએ ?
- 'એનકાઉન્ટર' જેવી કોલમો ન વાંચવી જોઈએ.
(ડૉ. મયંક છાયા, અમદાવાદ)
* તમે સ્મોકિંગ છોડી દીધું, એ ફિલ્મ 'હમદોનો'માં સાધનાથી પ્રેરાઈને... ?
- હા, પણ એ પછી શરાબ પીતા પીતા દેવ આનંદ ગાય છે, 'કભી ખુદ પે, કભી હાલાત પે રોના આયા...' પણ જોવું પડે એમ હતું ને ?
(વિપુલ ચપલા, વડોદરા)
* મંદિરમાં ન જઈએ અને હૃદયપૂર્વક ઈશ્વરભક્તિ કરીએ, તો નાસ્તિક કહેવાય ?
- કોઈ તમને નાસ્તિક કે આસ્તિક માને, તેથી તમને કે ઈશ્વરને શું ફરક પડે ?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)
* જૂનાં ફિલ્મી ગીતો હવે તો રેડિયો કે ટીવી પર એકના એક ચવાયેલા આવે છે. શું કરવું?
- જાતે ગાઈ લેવા સારા...
(દીપ્તિ ચેતન દવે, અમદાવાદ)
* દેશને મહાન બનાવવા આજના યુવાનોએ શું કરવું જોઈએ ?
- યુવાન રહેવું જોઈએ.
(સુશીલ વાઘેલા, મંજુસર- સાવલી)
* સવાલ પૂછનારનું સરનામું તો એવી રીતે માંગો છો, જાણે તમે મારા ઘેર આવીને ચા- નાસ્તો કરવાના હો !
- મુંબઈ આવીને 'ચા' ન પીવાય !
(આદિશ શાહ, મુંબઈ)
No comments:
Post a Comment