* 'ઍનકાઉન્ટર'માં આજ
સુધીનો સૌથી ફાલતુ સવાલ કયો ?
– રાહુલ ગાંધી/સલમાન ખાનના લગ્ન ક્યારે થશે !
(હેમંત એલ. મેહતા, ભાખરવડ–જૂનાગઢ)
* મારે પણ તમારા જેવા થવું છે. શું કરૂં ?
– રૉંગ નંબર...
(માનવ પટેલ, અમદાવાદ)
* પહેલી ઘડિયાળ બનાવનારે સમય શેમાં જોઇને નક્કી કર્યો હશે ?
– મોબાઈલમાં.
(યશ અગ્રાવત, રાજકોટ)
* મારે તમને વૉટ્સઍપ મૅસેજ કરવા છે. નંબર મળે ?
– હું ફૅસબૂક કે બ્લૉગ કે ટ્વિટરમાં છું જ નહિ... અને માત્ર પર્સનલ 'વૉટ્સઍપ' ક્યારેક જોઉં છું.
(પાર્થ લંગાલીયા, ભાવનગર)
– રાહુલ ગાંધી/સલમાન ખાનના લગ્ન ક્યારે થશે !
(હેમંત એલ. મેહતા, ભાખરવડ–જૂનાગઢ)
* મારે પણ તમારા જેવા થવું છે. શું કરૂં ?
– રૉંગ નંબર...
(માનવ પટેલ, અમદાવાદ)
* પહેલી ઘડિયાળ બનાવનારે સમય શેમાં જોઇને નક્કી કર્યો હશે ?
– મોબાઈલમાં.
(યશ અગ્રાવત, રાજકોટ)
* મારે તમને વૉટ્સઍપ મૅસેજ કરવા છે. નંબર મળે ?
– હું ફૅસબૂક કે બ્લૉગ કે ટ્વિટરમાં છું જ નહિ... અને માત્ર પર્સનલ 'વૉટ્સઍપ' ક્યારેક જોઉં છું.
(પાર્થ લંગાલીયા, ભાવનગર)
* રાહુલ ગાંધી કહે છે, 'હું સંસદમાં બોલીશ તો ભૂકંપ આવશે'...
– યુ.પી.ની ચૂંટણીઓના પરિણામો પછી એમના વગર બોલે પૂરી કૉંગ્રેસમાં ભૂકંપ આવી જ ગયો છે.
(ડૉ. ચિરાગ ઠક્કર, મેહસાણા)
* 'ભાગુ તો મારી ભોમકા લાજે'... ઊભું તો ?
– બેસી જાઓ.
(યામા ભટ્ટ, જૂનાગઢ)
* ઈન્ટરકાસ્ટ મૅરેજ વિશે આપનું શું માનવું છે ?
– હું શું માનું છું, એ મારા ઘરમાં ય કોઇ માનતું નથી... બોલો, હવે ?
(દેવર્ષિ પટેલ, વડોદરા)
* તમને કર્મકાંડ કેવું આવડે છે ?
– ના. મારા લગ્ન મેં જાતે નહોતા કરાવ્યા... શુક્લજીને બોલાવ્યા હતા.
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)
* તમારી ફાસ્ટ ગર્લફ્રેન્ડ અને લાસ્ટ ગર્લફ્રેન્ડના નામ જણાવશો ?
– બેમાંથી એકે યના નામો મારા આધાર–કાર્ડમાં ય નથી મૂક્યા.
(અલ્પેશ રામાણી, ફાચરીયા–સાવરકુંડલા)
* આપના કોઇ લૅક્ચરમાં શ્રોતાઓ તાળીઓ જ ન પાડે તો શું સમજવું ?
– ...પછી તો એ લોકો સમજી ગયા હોય ને !
(જીતેન્દ્ર કેલા, મોરબી)
* ધીરજ અને શાંતિ વચ્ચે શું ફરક છે ?
– બન્ને સ્ત્રીલિંગ શબ્દો છે... અર્થ સાથે એમને કોઇ લેવાદેવા નહિ.
(ધવલ જે. સોની, ગોધરા)
* 'બુધવારની બપોરે' અને 'ઍનકાઉન્ટર' બેમાંથી કઇ કૉલમ પહેલા વાંચવી ?
– પહેલામાં મારે એકલાએ મગજ ચલાવવાનું છે. બીજીમાં તમારે પણ ! બીજીવાળી અડધી વાંચો તો ચાલે.
(કૌશલ ડી. ઠાકોર, અમદાવાદ)
* સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને ખાનગી શાળાના શિક્ષકો માટે સરકાર ક્યારે વિચારશે ?
– સરકાર વિચારે પણ છે, એ જાણીને આનંદ થયો.
(નિરાલી ચૌહાણ,ચોટીલા)
* આપણા ભારત દેશ માટે મોદી સાહેબ જેવા બીજા ૨૫ નેતાઓ મળી જાય તો દેશ જરૂર લાઇન પર આવે... તમારૂં શું માનવું છે ?
– પછી મોદી ક્યાં જશે ?
* મારે દેશના પ્રધાનમંત્રી બનવું છે. શું કરૂં ?
– આંબરડીમાં પહેલા શૌચાલયો બનાવડાવો.
(ઈમરાન શેખ, આંબરડી–સાવરકુંડલા)
* વિધાનસભામાં અશોક ભટ્ટની ખોટ પૂરવા અશોક દવેને મોકલ્યા હોય તો ?
– એ પૂજનીય 'સ્વર્ગસ્થ' છે... પછી ઉપરની ખોટ પૂરવા મને મોકલશો ?
(નલિની શુક્લ, ભાવનગર)
* ભૂલ થયા પછી કાન પકડવાનો રિવાજ છે... નાક કેમ નહિ ?
– અમારામાં તો નાક–કાન અમારા નહિ.... સામેવાળાના પકડીએ.
(મનિષ એન. વર્મા, ગોધરા)
* ભગવાન શિવ હવે જન્મ લે તો ગળામાં સર્પની માળા કે વ્યાઘચર્મ રાખે ખરા ? બન્ને લુપ્ત થતા પ્રાણીઓ છે.
– એ પણ એ બન્ને પ્રાણીઓની આજીવન રક્ષા કરવાનો ખ્યાલ હતો, જેથી ઈશ્વરનું નામ હોવાથી કોઇ એમને મારી ન નાંખે.
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)
* પતિને પરમેશ્વર કહેવાય છે, તો પત્નીને દેવી સમજીને એનું સન્માન કરવું જોઇએ. સુઉં કિયો છો ?
– એ બધું એ પતિ–પત્ની અંદરોઅંદર સમજી લે... આપણાથી વચ્ચે પડાય નહિ !
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)
* શું તમે કવિ પણ છો ?
– ના. ગુજરાતને કોઇ નુકસાન થાય, એવું હું ઈચ્છતો નથી.
(ઋષિ વૈષ્ણવ, જામનગર)
* તમારા મતે પાકિસ્તાન સામે યુધ્ધ છેડવાનો આ રાઇટ ટાઇમ છે ?
– હાલમાં રોજના ૪–૫ ભારતીય જવાનો મરે છે... બસ, કોઇ હજાર–બે હજાર મરવા માંડે, પછી કદાચ સરકાર નિર્ણય લે !
(પરેશ દવે, સુરત)
* નવી નોટબંધીની નીતિ વિશે તમારો અભિપ્રાય જણાવશો ?
– એમાં સ્વીકારવામાં કાંઇ ખોટું નથી. હજી સુધી તો પ્રજાને તો કોઇ ફાયદો દેખાયો નથી.
(ડૉ. શ્રેણિક દલાલ, અમદાવાદ)
* નરેન્દ્ર મોદી જેવા સાહસિક નિર્ણયો બીજું કોઇ લઇ શક્યું નથી, છતાં એમને બિરદાવવાને બદલે કેટલાક એમની ટીકાઓ કરે છે. તમે શું માનો છો ?
– એમના નિર્ણયો સાચા પડયા છે, તેમ ખોટા ય પડયા છે.
(વિનય ભરાડવા, રાજકોટ)
* અત્યાર સુધીમાં જેટલા કૌભાંડો થયા, એમાં કેટલાને સજા મળી ?
– કેમ ? માયાવતી, રાહુલ, કેજરીવાલ અને અખિલેશને સજા નથી મળી ? સરકારે નહિ તો પ્રજાએ આપી.
(રાજુ દેસાઇ, ખસલીયા–ભાવનગર)
* હાર માની લેવાને બદલે આજના યુવાનોએ વધુ મેહનત કરવી ન જોઇએ ?
– અખિલેશ અને રાહુલ માટે તમારી વાત સ્વીકારૂં છું... પણ માયાવતીને તો યુવાન ક્યાંથી કહેવાય ?
(દ્રષ્ટિ એ. પારેખ, સુરત)
No comments:
Post a Comment