* દિલીપકુમાર
સાહેબને નરગીસ સાથે પ્રેમ હતો કે નહિ ?
– હું મારૂં કહી શકું...કે મને નહોતો.
(કાકા પલેજા, સુરેન્દ્રનગર)
* તમે સ્મશાનો– બેસણાંઓ વિશે કેમ ખૂબ લખ્યું છે ?
– મુશાયરોમાં પણ રમઝટ બોલાવતા યુવાશાયર અનિલ ચાવડાનો શે'ર તમને અર્પણ.
'શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જવાનું થાય તો ?'
(પ્રતિક એમ. શાહ, અમદાવાદ)
* શું 'ઓનલાઇન'ખરીદીમાં પ્રજા છેતરાય છે ?
– આઉટલાઇનમાં છેતરાય !
(દુષ્યંત નવલંચદ કારીઆ, મોરબી)
* 'લાતોં કે ભૂત બાતોં સે નહિ માનતે...'અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી કોઇ બોધપાઠ લેશે ?
– ભૂતો માટે આડુંઅવળું નહિ બોલવાનું !
(ગૌરીબેન વી. કાચા, અમદાવાદ)
* મેં મારા કાવ્યસંગ્રહના વિમોચનનો પ્રારંભ રાષ્ટ્રગીતથી કર્યો.
– બોલો વંદેમાતરમ.
(આઈદાન ખીમકરણ ગઢવી, ગોપાલપુરી– કચ્છ)
* નરેન્દ્ર મોદી બીજા ૨૫ વર્ષો સુધી ભારતના વડાપ્રધાન બન્યા રહે, એ માટે કયા અને કેટલા જાપ કરવા ?
– મને પૂછ્યું એ પૂછ્યું... આ સવાલ સોનીયાજીને ન પૂછશો.
(વિસનજી જાદવજી ધરોડ, પત્રી– મુંદ્રા)
* ટીવી પર 'મહાભારત'સીરિયલ ફરી શરૂ થઇ, એનું શ્રેય કોને જાય છે ?
– જાહેર ખબરો આપનારાઓને.
(સરલા શાહ, પૂણેં– મહારાષ્ટ્ર)
* 'નો સ્મોકિંગ'ના બૉર્ડ પર સિગારેટ બુઝાવતાં વીરલાને શું કહેશો ?
– એને સઉદી અરેબિયા મોકલી દેવો જોઇએ.
(હરિશ મણિયાર, જેતપુર)
* સરકાર સૈન્યને ઈઝરાયેલ જેવું કામ કરવાની મંજૂરી કેમ આપતી નથી ?
– આપણા સૈનિકો કોઇ ઇઝરાયેલ કે ફ્રેન્ચ લશ્કરથી કમ નથી.
(મણીબેન પટેલ, ઊંટડી– વલસાડ)
* 'અડધી રાત્રે ય કામ પડે, તો મને જણાવજો', એવું કહેનારને શું કહો છો ?
– મારા બેડરૂમની છત પર ચોંટેલી ગરોળીને કઢાવવાનું કામ સોંપુ છું.
(પરેશ અંતાણી, રાજકોટ)
* પોસ્ટકાર્ડમાં સવાલ પૂછી શકવાનો પુન:પ્રારંભ કરવાનો ખ્યાલ કેમ આવ્યો ?
– 'ગુજરાત સમાચાર'નાનામાં નાના ગામડે વંચાય છે, જ્યાં બધે ઈન્ટરનેટ નથી હોતું.
(રમેશ આશર, કાલાવડ)
* અરૂંધતી રૉય જેવી દેશદ્રોહીને કાશ્મિર મોકલી દેવી ન જોઇએ...?
– હું તો હજી 'ઊંચે'મોકલવાનું વિચારતો હતો.
(શાંતહર્ષ, મુંબઇ)
* આપને સૅકન્ડ– હૅન્ડ માલ જ કેમ પસંદ આવે છે ? જેમ કે, ડિમ્પલ કાપડીયા, મધુબાલા, બેનઝીર ભૂટ્ટો !
– બીજો કોઇ હાથ ન અડાડે.
(જગદીશ રાવલ, રાજુલા)
* 'સુખ'નામનો છોડ કઇ નર્સરીમાં મળે છે ?
– મા.
(દિનકર ભટ્ટ, ગાંધીનગર)
* ભ્રષ્ટાચારના સમાચારો તો સાધુ– સંતો માટે આવે છે. કોના ઉપર ભરોસો મૂકવો ?
– પોતાના સિવાય અન્ય ઉપર ભરોસો મૂકવો જ શું કામ જોઈએ ?
(તરલ પરિમલ મહેતા, ભાવનગર)
* ઘરની વહુનું પતિ કે સાસુ કેમ સાંભળતા નહિ હોય ?
– એ બન્નેને કોઇ ઈ.એન.ટી. સર્જનને અને વહુએ સ્પીચ– થૅરાપિસ્ટને બતાવવું જોઇએ.
(સંધ્યા ડી. પુરોહિત, અમદાવાદ)
* ધર્મને બદલે રાષ્ટ્રપ્રેમનો પ્રચાર કેમ નથી થતો ?
– ધર્મમાં ટેકો આપનારા લાખો મળી રહે છે...
(અરવિંદ જે. રાવલ, ગાંધીનગર)
* 'વૉટ્સઍપ'પર મા– બાપથી માંડીને પતિ– પત્નીની વફાદારી કે આધ્યાત્મિકતાના મૅસેજ વાંચીને હું તો ભાવુક થઇ જઉં છું...
– ઈશ્વરને પ્રાર્થના કરૂં છું કે, તમારો સેલફોન ચોરાઇ જાય !
(ડૉ.અમિત પી. વૈદ્ય, ડેમાઇ– બાયડ)
* સારા લેખક કે કવિ બનવા માટે શું જરૂરી ?
– આવી ફાલતુ કૉલમો ન વાંચવી જોઇએ.
(પ્રવિણ કે. પટેલ, ઓડ– આણંદ)
* પોપટલાલની શાદી થઇ જાય એ માટે મેં દરિયા ઉપર એક કી.મી. ચાલવાની પ્રતિજ્ઞા લીધી છે...
– આ હિસાબે તમારી શાદી પહેલા તો તમે સાત સમુંદર ચાલ્યા હશો !
(રજાહુસેન બચુભાઇ, મહુવા)
* ગુજરાતભરમાં જલારામ ખમણ અને નાગરની ચોળાફળીના બૉર્ડ કેમ દેખાય છે ?
– તમારે બૉર્ડ ખરીદવા છે કે ખમણ ?
(કાનલ– પ્રિશા સોની, અમદાવાદ)
* તમને કયો કવિ/ગઝલકાર વધુ ગમે ?
– અત્યારનો નવો અને જુવાનજોધ કવિફાલ બહુ ઉત્તમ ઉતર્યો છે..(મેં 'ઘાણ ઉતર્યો છે', એવું નથી કીધું એ બતાવે છે કે, હું એમનાથી પ્રભાવિત છું.)
(દીક્ષિતા કુ. પટેલ, અમદાવાદ)
* 'એનકાઉન્ટર'માં સવાલ પૂછનારાઓને કોઇ સલાહ ?
– એક સાથે એકથી વધુ સવાલો પૂછશો તો એ રદબાતલ થવાના છે. નામ– સરનામા અને સવાલ સિવાય બીજું કાંઇ પણ લખનારાઓના સવાલો કેન્સલ થાય છે.
(સુનિધી જનુભાઈ રાવલ, વડોદરા)
– હું મારૂં કહી શકું...કે મને નહોતો.
(કાકા પલેજા, સુરેન્દ્રનગર)
* તમે સ્મશાનો– બેસણાંઓ વિશે કેમ ખૂબ લખ્યું છે ?
– મુશાયરોમાં પણ રમઝટ બોલાવતા યુવાશાયર અનિલ ચાવડાનો શે'ર તમને અર્પણ.
'શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જવાનું થાય તો ?'
(પ્રતિક એમ. શાહ, અમદાવાદ)
* શું 'ઓનલાઇન'ખરીદીમાં પ્રજા છેતરાય છે ?
– આઉટલાઇનમાં છેતરાય !
(દુષ્યંત નવલંચદ કારીઆ, મોરબી)
* 'લાતોં કે ભૂત બાતોં સે નહિ માનતે...'અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી કોઇ બોધપાઠ લેશે ?
– ભૂતો માટે આડુંઅવળું નહિ બોલવાનું !
(ગૌરીબેન વી. કાચા, અમદાવાદ)
* મેં મારા કાવ્યસંગ્રહના વિમોચનનો પ્રારંભ રાષ્ટ્રગીતથી કર્યો.
– બોલો વંદેમાતરમ.
(આઈદાન ખીમકરણ ગઢવી, ગોપાલપુરી– કચ્છ)
* નરેન્દ્ર મોદી બીજા ૨૫ વર્ષો સુધી ભારતના વડાપ્રધાન બન્યા રહે, એ માટે કયા અને કેટલા જાપ કરવા ?
– મને પૂછ્યું એ પૂછ્યું... આ સવાલ સોનીયાજીને ન પૂછશો.
(વિસનજી જાદવજી ધરોડ, પત્રી– મુંદ્રા)
* ટીવી પર 'મહાભારત'સીરિયલ ફરી શરૂ થઇ, એનું શ્રેય કોને જાય છે ?
– જાહેર ખબરો આપનારાઓને.
(સરલા શાહ, પૂણેં– મહારાષ્ટ્ર)
* 'નો સ્મોકિંગ'ના બૉર્ડ પર સિગારેટ બુઝાવતાં વીરલાને શું કહેશો ?
– એને સઉદી અરેબિયા મોકલી દેવો જોઇએ.
(હરિશ મણિયાર, જેતપુર)
* સરકાર સૈન્યને ઈઝરાયેલ જેવું કામ કરવાની મંજૂરી કેમ આપતી નથી ?
– આપણા સૈનિકો કોઇ ઇઝરાયેલ કે ફ્રેન્ચ લશ્કરથી કમ નથી.
(મણીબેન પટેલ, ઊંટડી– વલસાડ)
* 'અડધી રાત્રે ય કામ પડે, તો મને જણાવજો', એવું કહેનારને શું કહો છો ?
– મારા બેડરૂમની છત પર ચોંટેલી ગરોળીને કઢાવવાનું કામ સોંપુ છું.
(પરેશ અંતાણી, રાજકોટ)
* પોસ્ટકાર્ડમાં સવાલ પૂછી શકવાનો પુન:પ્રારંભ કરવાનો ખ્યાલ કેમ આવ્યો ?
– 'ગુજરાત સમાચાર'નાનામાં નાના ગામડે વંચાય છે, જ્યાં બધે ઈન્ટરનેટ નથી હોતું.
(રમેશ આશર, કાલાવડ)
* અરૂંધતી રૉય જેવી દેશદ્રોહીને કાશ્મિર મોકલી દેવી ન જોઇએ...?
– હું તો હજી 'ઊંચે'મોકલવાનું વિચારતો હતો.
(શાંતહર્ષ, મુંબઇ)
* આપને સૅકન્ડ– હૅન્ડ માલ જ કેમ પસંદ આવે છે ? જેમ કે, ડિમ્પલ કાપડીયા, મધુબાલા, બેનઝીર ભૂટ્ટો !
– બીજો કોઇ હાથ ન અડાડે.
(જગદીશ રાવલ, રાજુલા)
* 'સુખ'નામનો છોડ કઇ નર્સરીમાં મળે છે ?
– મા.
(દિનકર ભટ્ટ, ગાંધીનગર)
* ભ્રષ્ટાચારના સમાચારો તો સાધુ– સંતો માટે આવે છે. કોના ઉપર ભરોસો મૂકવો ?
– પોતાના સિવાય અન્ય ઉપર ભરોસો મૂકવો જ શું કામ જોઈએ ?
(તરલ પરિમલ મહેતા, ભાવનગર)
* ઘરની વહુનું પતિ કે સાસુ કેમ સાંભળતા નહિ હોય ?
– એ બન્નેને કોઇ ઈ.એન.ટી. સર્જનને અને વહુએ સ્પીચ– થૅરાપિસ્ટને બતાવવું જોઇએ.
(સંધ્યા ડી. પુરોહિત, અમદાવાદ)
* ધર્મને બદલે રાષ્ટ્રપ્રેમનો પ્રચાર કેમ નથી થતો ?
– ધર્મમાં ટેકો આપનારા લાખો મળી રહે છે...
(અરવિંદ જે. રાવલ, ગાંધીનગર)
* 'વૉટ્સઍપ'પર મા– બાપથી માંડીને પતિ– પત્નીની વફાદારી કે આધ્યાત્મિકતાના મૅસેજ વાંચીને હું તો ભાવુક થઇ જઉં છું...
– ઈશ્વરને પ્રાર્થના કરૂં છું કે, તમારો સેલફોન ચોરાઇ જાય !
(ડૉ.અમિત પી. વૈદ્ય, ડેમાઇ– બાયડ)
* સારા લેખક કે કવિ બનવા માટે શું જરૂરી ?
– આવી ફાલતુ કૉલમો ન વાંચવી જોઇએ.
(પ્રવિણ કે. પટેલ, ઓડ– આણંદ)
* પોપટલાલની શાદી થઇ જાય એ માટે મેં દરિયા ઉપર એક કી.મી. ચાલવાની પ્રતિજ્ઞા લીધી છે...
– આ હિસાબે તમારી શાદી પહેલા તો તમે સાત સમુંદર ચાલ્યા હશો !
(રજાહુસેન બચુભાઇ, મહુવા)
* ગુજરાતભરમાં જલારામ ખમણ અને નાગરની ચોળાફળીના બૉર્ડ કેમ દેખાય છે ?
– તમારે બૉર્ડ ખરીદવા છે કે ખમણ ?
(કાનલ– પ્રિશા સોની, અમદાવાદ)
* તમને કયો કવિ/ગઝલકાર વધુ ગમે ?
– અત્યારનો નવો અને જુવાનજોધ કવિફાલ બહુ ઉત્તમ ઉતર્યો છે..(મેં 'ઘાણ ઉતર્યો છે', એવું નથી કીધું એ બતાવે છે કે, હું એમનાથી પ્રભાવિત છું.)
(દીક્ષિતા કુ. પટેલ, અમદાવાદ)
* 'એનકાઉન્ટર'માં સવાલ પૂછનારાઓને કોઇ સલાહ ?
– એક સાથે એકથી વધુ સવાલો પૂછશો તો એ રદબાતલ થવાના છે. નામ– સરનામા અને સવાલ સિવાય બીજું કાંઇ પણ લખનારાઓના સવાલો કેન્સલ થાય છે.
(સુનિધી જનુભાઈ રાવલ, વડોદરા)
No comments:
Post a Comment