Search This Blog

30/07/2017

ઍનકાઉન્ટર : 30-07-2017

* શુક્રવારની 'ફિલ્મ ઈન્ડિયા' કૉલમમાં હિંદી ફિલ્મો વિશે જ લખાય છે. ગુજરાતી ફિલ્મો વિશે કેમ નહિ ?
હવે કાંઇક સ્તરવાળી ગુજરાતી ફિલ્મો બનવા માંડી છે. ક્યારેક લખાશે.
(
હેમેન મેહતા, ફિનીક્સઍરિઝોના, અમેરિકા)

* ૧૦૦/ વાળી પૉપકોર્ન પછી પેલી ૧૦/૧૫/ વાળી ખારી સિંગ અને સમોસા બંધ તો નહિ થઇ જાય ને ?
તમારા હાથમાં શું છે, એના ઉપર આધાર છે... પૉપકૉર્ન કે ખારી સિંગ !
(
વિપુલ ચપલા, વડોદરા)

* ઘરમાં ય તમે આવા ફની જવાબો આપો છો ?
એ કોણ પૂછે છે, એના ઉપર આધાર છે.
(
કિશન ભુવા, જામજોધપુર)

* તમે દેશપ્રેમી કે મોદીપ્રેમી ?
મોદી ય દેશપ્રેમી છે.
(
જયેશ શાહ, ભાવનગર)

* મોડી રાત્રે પત્ની સાથે નીકળ્યા હો અને ભૂત મળી જાય તો ડરો ખરા ?
પત્નીને પૂછીને કહું.
(
હરૂભાઇ કારીઆ, મુંબઇ)

* સગાવ્હાલા સાથે કેટલો સમય વિતાવવો જોઇએ ?
એ લોકો બિલ ચૂકવી દે, ત્યાં સુધી.
(
સંકેત કે. વ્યાસ, રાલીસણાવિસનગર)

* ગાંધીજીએ પોતડી પહેરીને કરકસર શીખવી. આજના નેતાઓ શું શીખવે છે ?
પ્રજાને પોતડીભેર ફરતી કરી દેવી.
(
આયેશા માલવીયા, ધોરાજી)

* પ્રેમમાંથી નીકળવા શું કરવું ?
પડવા માટે જે કર્યું'તું એ...!
(
ભાવેશ સોલંકી, ભાવનગર)

* શ્રી. મોરારી બાપુ એમની કથાઓમાં રાષ્ટ્રધ્વજ જરૂર ફરકાવે છે.
તો રાષ્ટ્રગીત દૂર નથી.
(
હિમા શુક્લ, ભાવનગર)

* યુધ્ધ પહેલાની અને યુધ્ધ પછીની શાંતિ વચ્ચે શું ફરક હોય છે ?
એ વખતે યુધ્ધ શાંતિથી લડાતું હોય છે.
(
કલ્પના પટેલ, ભાવનગર)

* કેજરીવાલ પોતાનો કેસ લડવા સરકારી નાણાંનો ઉપયોગ કરે છે, તો એમને સજા કેમ ન થાય ?
એમને કૅસ લડવાના દહાડા આવી ગયા છે, એ સજા જ છે ને ?
(
મધુકર એન. મેહતા, વિસનગર)

* આટલા લોકપ્રિય હોવા છતાં તમે ચૂંટણી કેમ નથી લડતા ?
લોકપ્રિય રહેવા માટે.
(
ઉબૈદુલ્લા ખાન, મહુવા)

* ઇશ્વર પ્રસન્ન થાય તો શું માંગો ?
બસ. મારા રૂમની ચાવી શોધી આપે... પત્ની અંદર છે !
(
ધ્રૂવિત ડી. ચાવડા, જૂનાગઢ)

* ઉ.પ્ર.માં જે રીતે યોગી કામ કરી રહ્યા છે, એ જોતા એમ નથી લાગતું, દેશને આવા બીજા ૮૧૦ યોગીઓ મળી રહે તો કલ્યાણ થઇ જાય ?
કંઇક ઓછું કરી આપો... ૮૧૦ બહુ મોટો આંકડો છે !
(
વિનોદ ડી. પરમાર, અમદાવાદ)

* ક્રિકેટમાં થતા સ્લૅજિંગ વિશે શું માનો છો ?
સચિન કે વિરાટ જેવા બૅટ્સમેનો સામે કોઇ સ્લૅજિંગ કરી શકતું નથી, એ શું બતાવે છે ?
(
સાગર નલીઆપરા, જામનગર)

* મોડે મોડે અક્ષયકુમારને ફિલ્મ 'રૂસ્તમ' માટે નેશનલ ઍવૉર્ડ મળ્યો ખરો...
ઈશ્વરને ગમ્યું તે ખરૂં.
(
મયૂર મફતભાઇ વાળંદ, ભૂજમાધાપર)

* લગભગ બધા હાસ્યલેખકો બ્રાહ્મણો હોવાનું કારણ શું ?
લગભગ બધા બ્રાહ્મણો વેપારી નથી હોતા, એ જ કારણ.
(
યશવંત જાની, અમદાવાદ)

* નરનારી એક સમાન, તો પછી 'લૅડીઝફર્સ્ટ' શું કામ ?
એ બતાવે છે કે, નર વધુ વિવેકી હોય છે.
(
જીજ્ઞોશ ચાવડા, પોરબંદર)

* કોઇ પણ લાયક વ્યક્તિ માટે 'ભારત રત્ન'ની ઝૂંબેશ ચલાવવી પડે, તો એ શું સાચું સન્માન કહેવાય ?
આ બતાવે છે કે, લોકલાગણીને રાજકારણ સાથે સંબંધ હોતો નથી.
(
અશ્વિન એસ. મોરે, વડોદરા)

* 'પંખો કરવા છતાં બા શા માટે ખીજાય ?'

ગામ આખામાં 'એસી' આવી ગયા, છતાં હજી પંખોપંખોપંખો કર્યા કરીએ, એટલે !
(
વિનય ગુપ્તા, વડોદરા)

No comments: