Search This Blog

03/09/2017

ઍનકાઉન્ટર : 03-09-2017

* 'આઈપીએલ' ક્રિકેટ વિશે શું માનો છો ?
-
દેશ ઉપર મોટો ઉપકાર છે. રોજેરોજ આતંકવાદની ખબરો, સરહદો પરના ટેન્શનો અને રાજકારણી કાંધીયાઓના મોંઢા જોવા કરતા ભલે 'ફિક્સ' થયેલું ક્રિકેટ નિર્દોષ મનોરંજન તો આપે છે ને ?
(
ઝીલ પટેલ, અમદાવાદ)

* મંદિરોમાં આટલો ઘોંઘાટ હોવા છતાં તોતિંગ ભીડ કેમ હોય છે ?
- ઘર કરતા વધારે શાંતિ મળે માટે.
(
દર્શક બાંભરોલીયા, સુરત)

* તમે અમેરિકાના પટેલોના જવાબો તરત કેમ આપી દો છો ?
- અનામત-ક્વૉટા.
(
ડૉ. મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)

* શીરડી જેવા મંદિરોમાં પ્રસાદ મોંઘી કિંમતો ચૂકવીને લેવો પડે છે, એ શું યોગ્ય છે ?
- મંદિરોમાં ભગવાન કોઇને ભૂખ્યો સુવાડતો નથી. બહારની ખબર નથી.
(
પૂજા કે. બારૈયા, ઊના- ગીરસોમનાથ)

* આપ આટલા તાકીદે જવાબ આપી શકો છો, એનું રહસ્ય શું ?
- બીજો કોઇ કામધંધો નથી.
(
નીરવ દેસાઈ, સુરત)

* દારૂ પીને થતા અકસ્માતો ૩૦ ટકા જેટલા છે ને સરકારે દારૂ બંધ કરાવ્યો. પણ બાકીના ૭૦ ટકા અકસ્માતો વૂમન-ડ્રાયવિંગને કારણે થાય છે, તો એમને સરકાર કેમ બંધ કરાવતી નથી ?
- આમાં એક જ રસ્તો છે. સ્ત્રીઓને દારૂ પીને ગાડી ચલાવવાની છૂટ આપો... ગાડી સીધી ચાલશે.
(
અમૃતલાલ મહેશ્વરી, અમદાવાદ)

* સિંગલ રાજકારણીઓની 'ડબલ' ધમાલ તો ૩-૪ હાસ્યલેખકોની કેવી ધમાલ થાય?
- ગુજરાતનો એકે ય હાસ્યલેખક બીજા હાસ્યલેખકનું લખેલું ઈવન વસીયતનામું ય વાંચતો નથી.
(
બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

* તમને ગાતા આવડે છે ?
- ગાઇ લઉં, પછી બધા આવું પૂછતા હોય છે !
(
શશીકાંત હરસોરા, અમદાવાદ)

* ચાણક્યના કહેવા મુજબ, ધર્મ- પરિષદોને બદલે રાષ્ટ્રીય પરિષદો થવી જોઇએ. સુઉં કિયો છો ?
- જે ચાલે છે, એ બધું ચાલવા દો. દરેક સાધુસંત રાષ્ટ્રગીતને 'ઈગો'નો મુદ્દો બનાવી બેઠો છે. મુસ્લિમ- સ્ત્રીઓ પણ ફૂલ-ફ્લૅજમાં હિંદુ ભજનો ગાય છે, તેના વિડીયો ફરે છે. આપણા એકે ય સાધુને રાષ્ટ્રગીતો ગાતા જોયો ?
(
સુનિત પરમાર, આણંદ)

* ઍક્ઝામ્સ આપવાથી નથી ગભરાતી... રીઝલ્ટ્સથી ગભરાઇએ છે...
- આ તો તમારા મમ્મી-પપ્પાની વાત કરી... તમારે કેમનું છે ?
(
કથન મેહતા, અમદાવાદ)

* નામ 'અશોક' રાખ્યું છે, પણ 'શોક' કેટલી વાર લાગ્યો છે ?
- આવા નામોમાં - પોતાને ન લાગે !
(
ગીરિશ રાવલ, રાજકોટ)

* સાઉથની ફિલ્મોમાં મા-બાપ બ્લેક અને સંતાનો ગોરા કેમ હોય છે ?
- બન્નેને ના પૂછાય... ખાલી માને જ પૂછાય !
(
ભાર્ગવ મકાણી, દહીડા- અમરેલી)

* દીકરી વહાલનો દરીયો તો પુત્રવધૂ વહાલની 'વૅલ' ?
- ખાતર-ખેતીવાડીના ધંધાવાળાને ખબર પડે !
(
પ્રણવ લાંઘણોજા, સુરેન્દ્રનગર)

* કાં તો મારીને પાકિસ્તાન છીનવી લો... કાં તો પ્રેમથી પાછું આપી દો. આપણા જવાનો શહીદ થતા તો બચે !
- એમનું નથી, તે પાછું આપવાનું હોય. ઘેર જઇને થપ્પડ મારીને લઇ આવવાનું હોય !
(
સુધા પટેલ, અમદાવાદ)

* 'આઈપીએલ'માં વપરાતો પૈસો ગરીબોને આપ્યો હોત તો ?
- તમને ખબર છે, આજના આપણા અનેક ક્રિકેટરોને બૂટ લેવાના સાંસા હતા. ક્રિકેટને કારણે અનેકગણું કમાતા થયા.
(
રવિ સુહંદા, ભાવનગર)

* બધા પતિઓને બધાની પત્નીઓ જ કેમ ગમે છે ?
- તમારી કોઇ ભૂલ થાય છે. એમાંની  બધીઓ ગમે એવી નથી હોતી !
(
પિનલ ચૌહાણ, અમરેલી)

* ધર્મને નામે યુધ્ધો બંધ ક્યારે થશે ?
- સરહદોને નામે શરૂ થશે ત્યારે.
(
રોહિત દરજી, હિંમતનગર)

* પતિ- પત્નીની જોડીઓ સ્વર્ગમાં જ બનતી હોવાનું મનાય છે, તો પછી અમુક જોડીઓ કેમ મળી શકતી નથી ?
- એ લોકો બચી જાય છે.
(
મોહિત મર્થક, રાજકોટ)

* મને તો લાગે છે, આપણું ભારત કૅનેડા જેટલું જ ઍડવાન્સ્ડ છે..
- હું આવું પછી નિર્ણય લઇએ !
(
નીરવ દેસાઇ, કૅનેડા)

* લાફિંગ-ક્લબો વિશે શું જાણો છો ?
- જે ત્યાં જાય છે, તે બધા ખુશ છે.
(
પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* આત્મકથા લખવાના હો તો નામ શું રાખશો ?
- હું એવું જીવન જીવ્યો નથી કે આત્મકથા લખવાને લાયક ગણાઉં.
(
બલુચ અંઝરએહમદ ખાન, અમદાવાદ)

* તમને તમારી ફેમિલીમાંથી કદી કોઇ સવાલ મોકલે છે ખરૂં ?
- કોઇ વાંચતું ય નથી.
(
અ.રહેમાન બોગ્લ, ધંત્યા)

* લગ્ન એટલે શું ?
- એનો જવાબ તો નાનું છોકરૂં ય આપી શકે.... ''કેમ કર્યા ?'' એનો જવાબ આપનાર માઇનો લાલ પેદા થયો નથી.
(
કિશન કસવાલા, સુરત)

No comments: