* મેહબૂબા મુફ્તિ ક્યારેય કૅમેરામાં જોઈને કેમ બોલી
શકતા નથી ?
- શરમથી લાજી મરવા કરતા આડું જોઈ લેવું સસ્તું પડે.
(નરેશ પ્રજાપતિ, સુરત)
(નરેશ પ્રજાપતિ, સુરત)
* અમદાવાદનો સમાવેશ 'વર્લ્ડ-હેરિટેજ'માં થયો, તમારો કેમ નહિ ?
- મારે મરવાનું હજી બાકી છે.
(ડૉ.મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)
(ડૉ.મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)
* મારે તમારા જેવું લેખક બનવું છે. શું કરવું ?
- રોજ રાત્રે પરમેશ્વરનું નામ લઈને સૂવાથી સારા
વિચારો આવશે... આવા નહિ !
(છત્રસિંહ શેખવા, ફરેણી-ધોરાજી)
(છત્રસિંહ શેખવા, ફરેણી-ધોરાજી)
* તમે અમુક સવાલના જવાબ આપવામાં ધમકાવી નાંખો છો...!
- હાથ જોડી જોડીને લખીએ છીએ કે, સવાલ પૂછવા તમારું નામ, સરનામુ, મોબાઈલ નંબર લખો. નથી માનતાને તો ય ધમકાવી શકાતા
નથી. શું કરવું બોલો !
(મૂકેશ.કે.શાહ, અમદાવાદ)
(મૂકેશ.કે.શાહ, અમદાવાદ)
* અમદાવાદને હૅરિટૅજ- સિટીમાં મુકાયા પછી શહેરમાં
કોઈ સુધારો થશે ?
- હા. અમદાવાદ સિહોર જેવું લાગવા માંડશે.
(વૃષિ પરમાર, સિહોર)
(વૃષિ પરમાર, સિહોર)
* શ્રીમદ્ રાજચંદ્રના જન્મસ્થાન વવાણીયાની ઉપેક્ષા
થઈ રહી છે.
- અત્યારે માહૌલ ચૂંટણીનો છે.. માર દો હથૌડા..! કોઈ
પણ પક્ષને કહો. કામ થઈ જશે.
(કુલદીપસિંહ જાડેજા, મોટા દહીંસરા-મોરબી)
(કુલદીપસિંહ જાડેજા, મોટા દહીંસરા-મોરબી)
* 'લવ' વિશે તમારો અનુભવ ?
- બે બાળકો છે.
(નીલેશ પઢિયાર, આંકલાવ)
(નીલેશ પઢિયાર, આંકલાવ)
* સત્યનો હંમેશા વિજય થાય છે, એ કેટલું સાચું ?
- આ સત્ય તો ગુજરાતની ચૂંટણીનાં પરિણામો આવશે, ત્યારે ય સિધ્ધ નહિ થાય !
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)
* પહેલા 'એન્કાઉન્ટર' ઊભું આવતું, ત્યારે હાસ્ય દોડતું હતું. હવે આડું થયા પછી
હાસ્ય પણ સૂઇ ગયું લાગે છે...
- એ વખતે તમે દોડતા દોડતા છાપું વાંચતા હતા ?
(ચિંતન માખેચા, રાજકોટ)
(ચિંતન માખેચા, રાજકોટ)
* અસદુદ્દીન ઓવૈસી વિશે તમે શું માનો છો ?
- કંઈક માનવું પડે, એટલો અગત્યનો એ માણસ નથી.
(બલવંતસિંહ સોલંકી, છાણી)
(બલવંતસિંહ સોલંકી, છાણી)
* સુપર્ણખા જેવી રાક્ષસણીની પણ ચૉઇસ જોરદાર હતી, નહિ ?
- એ જનમમાં કદાચ હું લક્ષ્મણ હતો.
(દ્રષ્ટિ ઢેબર, જામનગર)
(દ્રષ્ટિ ઢેબર, જામનગર)
* આપણા દેશમાં રાષ્ટ્રપતિ તરીકે સ્ત્રી આવે તો
રાષ્ટ્ર'પતિ' જ કહેવાય ?
- શબ્દની રમત છે. બાકી એ સર્વોચ્ચ બંધારણીય હોદ્દો
છે... જેનું ગૌરવ એક સ્ત્રી જાળવી શકી નહોતી.
(ટી.વી.બારીયા, વડોદરા)
(ટી.વી.બારીયા, વડોદરા)
* શું જાણીતા લેખકો અને ધર્મગુરુઓએ 'બેટી બચાઓ' આંદોલનમાં સક્રિય થવું ન જોઈએ ?
- આ બન્ને જાતો રાષ્ટ્રગીતના ગૌરવ માટે ય સક્રિય
કાંઈ કરતી નથી, ત્યાં 'બેટી-બચાઓ'...?
(નીલમ કે.પટેલ, સુરત)
(નીલમ કે.પટેલ, સુરત)
* કવિઓને વરસાદી સાંજે જ પ્રિયતમા યાદ આવતી હશે ?
- પેલી હજી સુધી છત્રી પાછી આપી ગઈ ન હોય, તો યાદ તો આવે જ ને ?
(જીતેન્દ્ર કેલા, મોરબી)
(જીતેન્દ્ર કેલા, મોરબી)
* આપણો દેશ આઝાદ ક્યારે થશે ?
- ૧૫ ઓગસ્ટ, ૨૦૧૪૭ના દિવસે.
(મહેશ ચાવડા, ગાંધીનગર)
(મહેશ ચાવડા, ગાંધીનગર)
* ધર્મને રાજકારણ સાથે જોડાવવું કેટલું યોગ્ય છે ?
- બન્નેનું દેશ સાથે જોડાવું જરૂરી છે.
(જગજીવન મેતલીયા, ભાવનગર)
(જગજીવન મેતલીયા, ભાવનગર)
* સાતમ- આઠમના તહેવારો નજીક આવતા જાય, એમ તમને કોઈ ઉત્સાહ ચઢે કે નહિ?
- એ કે અન્ય તહેવારો ૧૫ ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરી
જેટલા અગત્યના નથી.
(રહીમ મલકાણી, ભાવનગર)
(રહીમ મલકાણી, ભાવનગર)
* કુમ્બલે જેવા બાહોશ કોચ સાથે રાજકારણ રમવામાં
કોહલી-શાસ્ત્રીની જેમ તેન્ડુલકરે પણ સાથ આપ્યો. આ યોગ્ય કહેવાય ?
- કુમ્બલેનો ય શું વાંક હતો, એની મને કે તમને ક્યારે ય ખબર પડવાની ખરી ?
(રોહિત યુ.બુચ, વડોદરા)
(રોહિત યુ.બુચ, વડોદરા)
* લોકો પહેલા સૅલરી, પછી જ્વૅલરી અને હવે ગેલેરી સંતાડે છે...
- તમે ડિસ્ટિલરીનું કાંઈ ન પૂછ્યું !
(દેવેન્દ્ર જાની, પેથાપુર)
(દેવેન્દ્ર જાની, પેથાપુર)
* મોબાઈલની ટૅકનોલોજી વધવાની સાથે લોકોની ઊંઘે ય
ઘટી રહી છે ?
- આ કમ્પ્યૂટરમાં કઈ ટૅકનોલોજી વપરાય છે ?
(અ.રહેમાન આઈ.બોગલ, ધન્ત્યા)
(અ.રહેમાન આઈ.બોગલ, ધન્ત્યા)
* પાનના ગલ્લે મોંઢામાં ડૂચો મારીને ઊભા રહેતા
લોકોના હાથમાં હૅન્ડ-ગ્રેનેડ પકડાવીને બૉર્ડર પર મોકલી દેવા ન જોઈએ ?
- હા, પણ ત્યાં પાનની દુકાન હશે ?
(તુષાર સુખડીયા, હિમતનગર)
(તુષાર સુખડીયા, હિમતનગર)
* આપણા દેશની રાજધાની દિલ્હીને બદલે ગાંધીનગર ન
હોવી જોઈએ ?
- ગાંધીનગરમાં હોય તો ય શું કાંદા કાઢી લેવાના છે ?
(મહેશ એમ. પરમાર, ગાંધીનગર)
No comments:
Post a Comment