* તમને કેમ ખબર પડે
કે તમારા ગ્રહો સારા ચાલે છે કે ખરાબ?
- સાંજે દરવાજો ખોલવા કોણ આવે છે, એની માહિતી મળ્યા પછી ઘરમાં દાખલ થઉં છું.
(અજય જોશી, નાસિક-મહારાષ્ટ્ર)
(અજય જોશી, નાસિક-મહારાષ્ટ્ર)
* વિધાનસભાની
ચૂંટણીમાં, એક સ્ટાર તરીકે તમે કોને મત આપ્યો હતો?
- જે સ્ટાર બની શકે એવા નહોતા, એવાને!
(નાઝનીન કૌકાવાલા, સુરત)
(નાઝનીન કૌકાવાલા, સુરત)
* હૅલ્લો સર... જવાબ
તો આપો.
- સવાલ તો પૂછો.
(મિતલ છાટબાર)
(મિતલ છાટબાર)
* એક નાની અમથી ભૂલ
ને સમજદાર માણસોની સમજદારીનો અંત... સુઉં કિયો છો?
- માણસનો અંત આવી શકે છે... સમજદારીનો નહિ.
(દવ દિવ્યાંશ, ગઢડા (સ્વામી)
(દવ દિવ્યાંશ, ગઢડા (સ્વામી)
* ઘણા ડૉક્ટરો- સર્જનોનું
વિસર્જન કરી નાંખે છે...
- આવો સાલ કોઈ ગાયનેક ડૉક્ટરને ન પૂછશો... નવસર્જન
એમની પાસે ન કરાવાય.
(અશ્વિન મોરે, વડોદરા)
(અશ્વિન મોરે, વડોદરા)
* સર્જરી વખતે
ડૉક્ટરોને... કદાચ, આત્મા મળી આવે!
- એ કેટલામાં પડયો... એ જોવું પડે.
(ઋજુતા મનિષાબેન પારેખ, વલસાડ)
(ઋજુતા મનિષાબેન પારેખ, વલસાડ)
* સી.રામચંદ્રની 'શારદા'નાં બે
ગીતો સારાં હતાં, ઓ ચાંદ જહાં વો જાયે (લતા-આશા) અને મૂકેશનું 'જપજપજપજપજપ રે...'
- ૮- રને આઉટ થઈ જનાર વિરાટ કોહલીએ બે ચોગ્ગા તો
માર્યા જ કહેવાય... આપણને એ અપેક્ષા નહોતી.
(રેખા ઓઝા, ભાવનગર)
(રેખા ઓઝા, ભાવનગર)
* લાંચરુશ્વતનું નામ
પડે ને લોકો પોલીસનું નામ કેમ દેતા હોય છે?
- હાસ્તો વળી... કોઈ પ્રધાનોનાં નામ દેવાય? બા કેવાં ખિજાય?
(ડીપેન જે. શિધીવાલા, ગોંડલ)
(ડીપેન જે. શિધીવાલા, ગોંડલ)
* 'દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે', તો નરેન્દ્ર મોદીની પાછળ કોણ?
- એમનાં પૂજ્ય માતુશ્રી.
(દીપક એમ. પંડયા, બિલિમોરા)
(દીપક એમ. પંડયા, બિલિમોરા)
* આજકાલ સંતો-મહંતો
કે ફિલ્મીહસ્તિઓ રાજકારણીઓને વહાલા થવા કેમ દોડાદોડ કરે છે?
- આપણા દેશમાં ધાર્મિક ગુરુઓની એટલી વિરાટ બોલબાલા
છે કે, નેતા- અભિનેતાઓએ એમની પાછળ ગાન્ડા કાઢવા પડે છે.
(જગજીવન ગોહિલ, અમદાવાદ)
(જગજીવન ગોહિલ, અમદાવાદ)
* પુસ્તક મેળામાં
ખરીદીનું મહત્ત્વ કેમ ઘટતું જાય છે?
- ઈ- બૂક્સનો જમાનો લાંબુ ચાલવાનો નથી. હાર્ડ-કૉપી
પુસ્તકો સિવાય છૂટકો નથી.
(જ્યોતીન્દ્ર એન. માંકડ, રાજકોટ)
(જ્યોતીન્દ્ર એન. માંકડ, રાજકોટ)
* શું 'ઍલિયન્સ' સાચ્ચે
જ હોય છે?
- મારું વિઝિટિંગ-કાર્ડ તમારી પાસે ક્યાંથી આવ્યું?
(પરાગી રામકૃષ્ણ પટેલ, સુરત)
(પરાગી રામકૃષ્ણ પટેલ, સુરત)
* મારે પણ હાસ્યલેખક
બનવું છે. સૌ પહેલા શું કરવું જોઈએ?
- બીજા હાસ્યલેખકોનું સન્માન કરતા શીખો.
(કેવલ જાદવ, વડોદરા)
(કેવલ જાદવ, વડોદરા)
* આવતી ચૂંટણીમાં
ભાજપ અને કોંગ્રેસ- બન્ને તમને ટિકિટ આપવા તૈયાર હોય તો કોને પસંદ કરો?
- એકે ય ને નહિ. કાશ્મીરમાં આપણા આટલા જવાનો શહીદ
થાય છે... બેમાંથી એકે ય પક્ષ પર દેશની સુરક્ષાનો ભરોસો મુકાય એવો છે?
(સુધીર બી. સોનેજી, રાજકોટ)
(સુધીર બી. સોનેજી, રાજકોટ)
* તમારા ફૅમિલી સાથે
કેટલો સમય વિતાવો છો?
- મને અન્ય ફેમિલીમાંથી ઑફરો નથી આવતી, ભાઈ...
(સંકેત કે. વ્યાસ, રાલીસણા)
(સંકેત કે. વ્યાસ, રાલીસણા)
* ફિલ્મ 'પદ્માવત' વિશે
તમારે શું કહેવું છે?
- એ જ કે... મેં હજી જોઈ નથી.
(સંયમ વઘાસીયા, સુરત)
(સંયમ વઘાસીયા, સુરત)
* નિબંધ લખવામાં
માસ્ટરી મેળવવી હોય તો શું કરવું?
- માસ્ટરી શું કામ મેળવવી છે? જે લખો, એને જ 'માસ્ટર- કૉપી' બનાવો.
(હમ્ઝા મકવાણા, ભાવનગર)
(હમ્ઝા મકવાણા, ભાવનગર)
* આપણા ભારતીયોનું
માનસ ગુલામ કેમ છે?
- આપણને બાદશાહત ભોગવવા દે, એ માટે આજુબાજુના કોઈ દેશે તૈયાર થવું પડે ને?
(નયન વિરોજા, વાપી)
(નયન વિરોજા, વાપી)
* શું ભાજપની
વિજયયાત્રામાં રાહુલબાબાનું યોગદાન હતું?
- હારવા માટે ભાજપ સંપૂર્ણ સ્વાવલંબી થઈ ચૂક્યું
છે. એને રાહુલબાબા કે રામરહીમબાબાની જરૂર પડે એમ નથી.
(મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)
* દેશભક્તિ એટલે શું?
(મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)
* દેશભક્તિ એટલે શું?
- જેનું ખાઇએ, એનું
ખોદીએ નહિ... ગર્વ લઈએ, એ!
(ભદ્રેશ પી. પટોલીયા, સુરત)
* તાર- ટેલિગ્રામની જેમ પોસ્ટકાર્ડસ પણ બંધ થવાનાં હતાં, પણ તમારી 'એન્કાઉન્ટર' કૉલમના પ્રોત્સાહનને કારણે એ જીવિત રહ્યા...
(ભદ્રેશ પી. પટોલીયા, સુરત)
* તાર- ટેલિગ્રામની જેમ પોસ્ટકાર્ડસ પણ બંધ થવાનાં હતાં, પણ તમારી 'એન્કાઉન્ટર' કૉલમના પ્રોત્સાહનને કારણે એ જીવિત રહ્યા...
- 'હમ જાનતે હૈં જન્નત-એ-હકીકત લેકીન, દિલ કો બહેલાને કે લિયે 'ગાલિબ', યે ખયાલ
અચ્છા હૈ...'
(રાજુ પરિયાણી, આણંદ)
(રાજુ પરિયાણી, આણંદ)
* મૉર્નિંગ-વૉકમાં
મેં જોયું કે, ગાર્ડનમાં એક ગૂ્રપ એમનું સૅશન પતાવીને નિયમિતપણે
રાષ્ટ્રગીત ગાય છે... શું ભારત બદલાઈ રહ્યું નથી?
- રાષ્ટ્રગીત
એ લોકો ફખ્રથી ગાય છે, જેઓ મફતનું નથી ખાતા-પીતા... દેશે આપણને બધું જ
આપ્યું છે, ને બદલામાં રાષ્ટ્રગીતનું બસ... ગૌરવ જળવાવું
જોઈએ.
(ડિમ્પલ ટેલર, અમદાવાદ)
(ડિમ્પલ ટેલર, અમદાવાદ)
* 'ઍનકાઉન્ટર'માં
સવાલ પૂછનારાઓને કોઈ સલાહ...?
- મોટા ભાગના નવા વાચકો બાજુનું બૉક્સ વાંચતા નથી, પરિણામે એમના સવાલ ડબ્બામાં જાય છે.
(શ્રીરામ જે. પટેલ, વડોદરા)
- મોટા ભાગના નવા વાચકો બાજુનું બૉક્સ વાંચતા નથી, પરિણામે એમના સવાલ ડબ્બામાં જાય છે.
(શ્રીરામ જે. પટેલ, વડોદરા)
No comments:
Post a Comment